Sunday, March 8, 2026
HomeGujaratસુરત મહાનગરપાલિકાના 877 કર્મચારી 9 મહિનાથી વેક્સિન જ લેતાં નથી

સુરત મહાનગરપાલિકાના 877 કર્મચારી 9 મહિનાથી વેક્સિન જ લેતાં નથી

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

સુરત: ગુજરાતમાં કોરોના વાયરસના ખતરનાક વરિયન્ટ ઓમિક્રોનનો ખતરો વર્તાઈ રહ્યો છે. આપણી પાસે હાલ કોરોના સામે લડવા માટે વેક્સિન સિવાય કોઈ રસ્તો નથી. ત્યારે સુરતમાં મહાનગરપાલિકા લોકોને વેક્સિન લેવડાવવા ધમપછાડા કરીને અવનવા નિયમો બનાવી રહ્યું છે, પરંતુ આજે એક મોટા રહસ્ય પરથી પડદો ઉંચકાયો છે. એટલે કે જે તંત્ર લોકોને રસી લેવા માટે અજીબોગરીબ નિયમો બનાવે છે તે જ તંત્રમાં કેટલાક કર્મચારીઓ રસી લેતા જ નથી અને બહાનાબાજી કરીને છૂટી જાય છે. સુરત પાલિકાના 877 કર્મચારીઓ 9 માસથી રસી જ લેતાં નથી, અને બહાના તરીકે કારણ આપતા જણાવે છે કે, ‘અમને એલર્જી-ઇન્ફેક્શન છે’. સુરત પાલિકામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ 100 ટકા વેક્સિનેટેડ છે કે નહી તેની તપાસ કરવામાં આવી હતી. જે આ માહિતીનો ભાંડો ફૂટ્યો હતો. તેમાં પ્રથમ અને બીજો ડૉઝ વગરના મળી 7900થી વધુ કર્મચારીઓ મળી આવ્યા હતાં. કર્મચારીઓને ફરજિયાત વેક્સિન માટે તાકીદ કર્યા પછી અત્યાર સુધીમાં ઘણા કર્મચારીઓએ વેક્સિન લઈ લીધી છે. જોકે, હજી પણ 877 કર્મચારીઓ વૅક્સિન વગરના ફરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સુરત મહાનગરપાલિકાના કુલ 21096 કર્મચારીઓમાંથી 20749એ રસી લીધી છે, એટલે કે હજુ 877 કર્મચારીઓ 9 માસથી વેક્સિન જ લેતા નથી. વેક્સિન નહીં લેનારાઓમાં સૌથી વધુ વર્ગ-2 અને 3ના 66 અધિકારીઓનો સમાવેશ થાય છે. સુરત મહાનગરપાલિકાના આંકડા પ્રમાણે વૅક્સિનની ટકાવારી 88.28 પર પહોંચી હોવાનું પાલિકાના ચોપડે નોંધાયું છે સુરત પાલિકાના 877 કર્મચારીઓ વૅક્સિન વગરના જ છે. તેઓ મેડિકલના કારણમાં ઇન્ફેક્શન-ઍલર્જી અને માંદગી જેવાં કારણો આપવામાં આવ્યાં છે. એટલું જ નહીં 532 કર્મચારીઓએ તો હજુ સુધી વૅક્સિન નહીં લેવાનું કારણ સુદ્ધાં પણ જણાવ્યું નથી.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here