Friday, June 5, 2026
HomeGujaratસુર્યનારાયણ હજી બે દિવસ કાળઝાળ રહેશે

સુર્યનારાયણ હજી બે દિવસ કાળઝાળ રહેશે

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તાપમાનનો પારો ૪૩ થી ૪૪ ડિગ્રી વચ્ચે રહે તેવી સંભાવના: દક્ષિણ અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાયું

છેલ્લા દોઢ માસથી કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા સૌરાષ્ટ્રવાસીઓને આગામી દિવસોમાં ગરમીમાં રાહત મળે તેવા કોઈ જ એંધાણ દેખાતા નથી. આગામી ૪૮ કલાક સુધી હજી સુર્યનારાયણ કાળઝાળ ગરમી આકાશમાંથી અગનવર્ષા કરે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે અને આવતીકાલે એમ બે દિવસ હજી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મહતમ તાપમાનનો પારો ૪૩ થી ૪૪ ડિગ્રી વચ્ચે રહે તેવી સંભાવના જણાઈ રહી છે.

હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાજકોટનું મહતમ તાપમાન ૪૩ ડિગ્રી નોંધાયું હતું. આજે પણ તાપમાનનો પારો ૪૩ ડિગ્રી આસપાસ રહે તેવી સંભાવના જણાઈ રહી છે. રાજયમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું હોય ૪૮ કલાક અગનવર્ષાની સંભાવના પણ નકારી શકાતી નથી.

આવતીકાલે પણ તાપમાનનો પારો મોટાભાગના શહેરોમાં ૪૦ ડિગ્રીને પાર રહેશે અને અમુક સ્થળોએ ૪૪ ડિગ્રી આસપાસ તાપમાન નોંધાઈ તેવી સંભાવના પણ જણાઈ રહી છે. છેલ્લા દોઢ માસથી માથુ ફાડી નાખતી ગરમીનો સામનો કરી રહેલી સૌરાષ્ટ્રની જનતાને ગરમીમાં જુન માસ સુધી રાહત મળે તેવી કોઈ જ શકયતા દેખાતી નથી. એકાદ વરસાદ બાદ ગરમીથી રાહત મળશે.

હવામાન વિભાગના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, દક્ષિણ અરબી સમુદ્રમાં એક હવાનું હળવું દબાણ સર્જાયું છે. જે આગામી ૪૮ કલાકમાં ડિપ્રેશનમાં પરવર્તીત થશે અને ત્યારબાદ વિસર્જન થઈ જશે. સારા ચોમાસા માટેની નિશાની મળી રહી છે. સામાન્ય રીતે જે વર્ષે ચોમાસું સારું રહેવાનું હોય તે વર્ષે એપ્રિલ કે મે માસમાં વાવાઝોડા સાથે અમુક રાજયોમાં વરસાદ પડતો હોય છે. આ વર્ષે નૈઋત્યનું ચોમાસું ટનાટન રહે તેવા સુખદ એંધાણ મળી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here