Sunday, April 13, 2025
HomePoliticsમહારાષ્ટ્રની દિગ્ગજ પાર્ટીનું ભાવિ અધ્ધરતાલ, 25 નેતાએ એકસાથે સાથ છોડ્યો, શરદનો 'પાવર'...

મહારાષ્ટ્રની દિગ્ગજ પાર્ટીનું ભાવિ અધ્ધરતાલ, 25 નેતાએ એકસાથે સાથ છોડ્યો, શરદનો ‘પાવર’ વધ્યો

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

મહારાષ્ટ્રમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જો કે ચૂંટણીને હજુ ઘણા મહિના બાકી છે તે પહેલા જ રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (Ajit Pawar)ને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. અને રાજકીય પાવર પણ ઓછો થઈ રહ્યો છે. અગાઉ ચાર નેતાઓ અજિત પવારની પાર્ટી છોડી હતી, ત્યારે હવે અહેવાલ મળી રહ્યા છે કે બુધવારે (17 જુલાઈ) 25 નેતાઓએ એકસાથે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે (NCP) સાથે છેડો ફાડી નાખ્યો હતો. આ તમામ નેતાઓ પિંપરી-ચિંચવડના છે, જેમાં અજીત ગવાને (Ajit Gavane)નું નામ પણ સામેલ છે. એવી અટકળો હતી કે તેઓ પક્ષ બદલીને શરદ પવારના જૂથમાં જોડાઈ શકે છે. પિંપરી ચિંચવડમાં એનસીપી સાથે છેડો ફાડનારોમાં 2 પૂર્વ મેયર, વિરોધ પક્ષના નેતા અને 20 પૂર્વ કાઉન્સિલરોનો સમાવેશ થાય છે. આ તમામ વરિષ્ઠ નેતાઓ પવારની પાર્ટીમાં જોડાયા હતા. મંગળવારે (16 જુલાઈ) ગવાનેની સાથે તેના કાર્યકારી અધ્યક્ષ રાહુલ ભોસલેએ પણ રાજીનામું ધરી દીધું હતું.

હવે આટલા બધા નેતાઓ એકસાથે પાર્ટીમાંથી રામ રામ કરતા હોવાને કારણે ચૂંટણીમાં અજિત પવારને અસર કરી શકે છે.ગયા વર્ષે અજિત પવારે કાકા શરદ પવાર સાથે બળવો કર્યો હતો, ત્યારે એનસીપીમાં ભંગાણ થયા પછી શરદ પવાર પાસે માત્ર એક કાઉન્સિલર અને 8 અધિકારીઓ જ વધ્યા હતા. જો કે હવે તેની તાકાતમાં વધારો થયો છે તેવું લાગી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ એવા સમયે થયું જ્યારે અજીતના નેતૃત્વમાં એનસીપી તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી હતી. ડેપ્યુટી સીએમની પત્નીને પણ બારામતી બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો.શરદ પવારે બુધવારે (17 જુલાઈ) કહ્યું હતું કે ‘મારી પાર્ટીમાં કોઈપણ નેતાના સંભવિત પ્રવેશ અંગેનો નિર્ણય સામૂહિક રીતે લેવામાં આવશે.’ જો કે, અજિત પવાર પાછા આવવા માંગતા હોય તો તેમને પાર્ટીમાં સામેલ કરવામાં આવશે કે કેમ તેની પુષ્ટિ કરવાનો શરદ પવારે ઇનકાર કર્યો હતો. સિનિયર નેતાએ પુણેમાં પત્રકારો સાથે વાત કરતા ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી.’

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here