Friday, April 25, 2025
HomeIndiaવક્ફ બિલ પર અસદ્દુદ્દીન ઓવૈસીનું સરકાર પર નિશાન : 'તમે મુસ્લિમોના દુશ્મન...

વક્ફ બિલ પર અસદ્દુદ્દીન ઓવૈસીનું સરકાર પર નિશાન : ‘તમે મુસ્લિમોના દુશ્મન છો, આ બિલ તેનો પુરાવો છે…’,

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

Waqf Act Amendment Bill: વક્ફ બૉર્ડ બિલ પર ચર્ચામાં ભાગ લેતાં અસદુદ્દીન ઓવૈસીએ સરકાર પર આકરા પ્રહાર કર્યાં. તેમણે સરકારને કહ્યું કે તમે મુસ્લિમોના દુશ્મન છો. આ બિલ તેનો પુરાવો છે. આ બિલ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન કરે છે, જે તમામ નાગરિકોને પોતાની આસ્થા માટે સમાન તક આપે છે. આખરે આ બિલને લાવવાની જરૂર જ શું છે. મંદિરોની સમિતિઓમાં કોઈ બિન-હિંદુ નથી તો પછી વક્ફ સંપત્તિમાં તેની શું જરૂર છે. આવું જ તમારી સરકાર ખ્રિસ્તીઓ અને શિખોની સાથે પણ કરી રહી છે. યુપીની સહરાનપુર લોકસભા બેઠકથી કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદે પણ આ મુદ્દે આકરા પ્રહાર કર્યાં. તેમણે કહ્યું કે આ બિલ કાયદાનું ઉલ્લંઘન કરે છે. બંધારણ વિરુદ્ધ છે. ઇમરાન મસૂદે કહ્યું કે સરકાર તરફથી તર્ક આપવામાં આવી રહ્યો છે કે વક્ફ બૉર્ડ સંસ્થા છે અને આ કોઈ ધાર્મિક સ્થળ નથી. આ વાત ખોટી છે કેમ કે દેશમાં વક્ફ બૉર્ડ જ મસ્જિદો, દરગાહો અને અન્ય મુસ્લિમ સંસ્થાની દેખરેખ કરે છે. તેમની સંપત્તિઓની સારસંભાળ રાખે છે. તેથી આને મુસ્લિમોની ધાર્મિક બાબતોથી અલગ દર્શાવી શકાય નહીં.

હાર્યા છે, તેથી આવું બિલ લઈ આવ્યા :
આ ચર્ચામાં અખિલેશ યાદવે પણ ભાગ લીધો અને કહ્યું કે વક્ફ બૉર્ડમાં કોઈ બિન-મુસ્લિમને સામેલ કરવાનું કારણ શું છે. જો આપણે જિલ્લાધિકારીને જ બધું સોંપી દઈએ તો શું થઈ શકે છે. તમે તેને સમજી શકો છો. એક સ્થળે આવું થયું હતું અને પછી જિલ્લાધિકારીએ શું કર્યું, તમે સૌ જાણો છો. આ બિલ એટલા માટે લવાઈ રહ્યું છે કેમ કે તાજેતરમાં જ આ લોકો હાર્યા છે. પોતાના અમુક કટ્ટર સમર્થકોના તુષ્ટિકરણ માટે આવું બિલ લાવવામાં આવી રહ્યું છે. આ બિલનો ડીએમકે, ટીએમસી, શરદ પવારની એનસીપી જેવી પાર્ટીઓએ પણ વિરોધ કર્યો છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here