Sunday, April 20, 2025
HomeGujaratકનીજ રેલવે સ્ટેશન પાસે ગુડ્ઝ ટ્રેનના ટેન્કરમાં ગેસ લીકેજ થતાં અફરાતફરી

કનીજ રેલવે સ્ટેશન પાસે ગુડ્ઝ ટ્રેનના ટેન્કરમાં ગેસ લીકેજ થતાં અફરાતફરી

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

નડિયાદ : મહેમદાવાદ નજીક કનીજ રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહેલી એક ગુડ્ઝ ટ્રેનમાં શનિવારે સાંજે પોણા ચાર વાગ્યે ટેન્કરમાંથી ગેસ લીકેજ થયો હતો. જેની જાણ થતાં જ લોકોપાયલટે તાત્કાલિક ટ્રેનને રોકી અધિકારીઓ અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જેથી મહેમદાવાદ, નડિયાદ અને કપડવંજ ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગેસ લીકેજ રોકવાની કામગીરી હાથ ધરી હતી. મોડીસાંજ સુધી ઘટનાને કારણે અન્ય કોઈ ટ્રેનના સમયને અસર થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા તરફથી અમદાવાદ તરફ જઈ રહેલી એક ગુડ્ઝ ટ્રેન શનિવારે સાંજે પોણાચાર વાગ્યે મહેમદાવાદના કનીજ રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે ટ્રેનમાં ફીટ કરેલા ગેસના ટેન્કર પૈકી એક ટેન્કરમાં ગેસ લીકેજ થયો હતો. જેની જાણ થતાં લોકોપાયલટે તાત્કાલિક ટ્રેનને અટકાવી તપાસ આદરી હતી. તેમજ રેલવે અધિકારીઓ તથા મહેમદાવાદ, નડિયાદ અને કપડવંજના ફાયરબ્રિગેડને જાણ કરતા તમામ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ગેસ લીકેજ બંધ કરવાની કામગીરી હાથ ધરી હતી. ઉપરાંત બનાવની જાણ થતાં મહેમદાવાદ મામલતદાર અને પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ અંગે કનીજ રેલવે સ્ટેશનના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલ ટ્રેનમાં થયેલી ખામીનું સમારકામ ચાલી રહ્યું છે, સાત વાગ્યા પહેલા તે પૂર્ણ થઈ જશે. અત્યારસુધી આ ટ્રેનના કારણે અન્ય કોઈ ટ્રેનના સમયને અસર થઈ નથી. અન્ય ટ્રેનોની અવર-જવર ચાલુ છે. સમારકામ પૂર્ણ થતાં આ ગુડ્ઝ ટ્રેન પણ આગળ વધશે તેમ ઉમેર્યું હતું.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here