Monday, June 9, 2025
HomeIndiaPM મોદી નિવૃત્ત થશે કે નિયમ બદલાઈ જશે? કેજરીવાલના સવાલથી RSS મોટી...

PM મોદી નિવૃત્ત થશે કે નિયમ બદલાઈ જશે? કેજરીવાલના સવાલથી RSS મોટી દુવિધામાં

Date:

spot_img

Related stories

એર ઈન્ડિયાએ યુરોપ અને મધ્ય એશિયા સુધી વધુ સારી...

ભારતની અગ્રણી ગ્લોબલ એરલાઈન એર ઈન્ડિયાએ આજે જાહેરાત કરી...

ભૂત સાથે વાત કરતી નૉયનતારાને મળો: કલર્સ લાવી રહ્યો...

ઈન્ડિયન પ્રીમિયર લીગનો ઉત્સાહ ઓછો થઈ રહ્યો છે, ત્યારે...

IPLના ઇતિહાસમાં પહેલી વખત RCB બન્યું ચેમ્પિયન : પંજાબનું...

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ IPL 2025માં ઇતિહાસ રચી દીધો...

કથામાંથી પરિવારમાં પાછા ફરો, ત્યારે આનંદની લહેરખી લઇને જજો...

"માનસ નાલંદા વિશ્વવિદ્યાલય" ના આજનાં છેલ્લાં ચરણમાં શરણાગત શ્રોતાઓએ...

ક્લબ મહિન્દ્રા બિન્સર વેલી અને વિલાની મુલાકાત લઈ ઉત્તરાખંડના...

ઉત્તરાખંડના કુમાઉં પ્રદેશમાં સુંદર પર્વતોથી ઘેરાયલું બિન્સર તેના કુદરતી...
spot_img

દિલ્હીના સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ કેજરીવાલ ભારતીય જનતા પાર્ટી અને RSS સતત પ્રહાર કરી રહ્યા છે. જનતાની અદાલતમાં RSS ચીફ મોહન ભાગવતને પાંચ સવાલ પૂછ્યા બાદ હવે કેજરીવાલે તેમને પત્ર લખ્યો છે. કેજરીવાલે પોતાના પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિવૃતિથી લઈને કેન્દ્રીય તપાસ એજન્સીના દુરુપયોગ અંગે સવાલ પૂછ્યા છે.

PM મોદી અંગે કેજરીવાલે શું પૂછ્યું? :
દિલ્હીના પૂર્વ સીએમ કેજરીવાલે RSS ચીફને સૌથી છેલ્લો સવાલ પીએમ મોદી અંગે પૂછ્યો છે. તેમણે પૂછ્યું કે, તમે બધાએ મળીને કાયદો બનાવ્યો કે 75 વર્ષની ઉંમર બાદ ભાજપના નેતા નિવૃત થઈ જશે. આ કાયદાનો ખૂબ પ્રચાર પણ કરવામાં આવ્યો. આ જ કાયદા હેઠળ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા દિગ્ગજ ભાજપના નેતાઓને નિવૃત પણ કરી દેવામાં આવ્યા. તો પીએમ મોદી નિવૃત થશે કે પછી તેમના માટે કાયદો બદલાઈ જશે?પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કેટલાક અન્ય નેતાઓના ઉદાહરણ આપતા RSSને પૂછ્યું કે, છેલ્લા 10 વર્ષોમાં આ કાયદા હેઠળ અન્ય ઘણા નેતાઓને નિવૃત કરવામાં આવ્યા જેમ કે, શાંતા કુમાર, સુમિત્રા મહાજન વગેરે. હવે ગૃહમંત્રી અમિત શાહનું કહેવું છે કે આ કાયદો PM મોદી પર લાગુ નહીં થશે. શું તમે આ બાબત સાથે સહમત છો કે જે કાયદા હેઠળ લાલકૃષ્ણ અડવાણીને નિવૃત્ત કરવામાં આવ્યા, તે કાયદો હવે પીએમ મોદી પર લાગુ નહીં થશે. શું બધા માટે કાયદા સમાન ન હોવા જોઈએ?અરવિંદ કેજરીવાલ સહીત તમામ વિપક્ષી પાર્ટીઓ લાંબા સમયથી કેન્દ્રની મોદી સરકાર પર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવી રહી છે. કેજરીવાલે પોતાના લેટર દ્વારા RSS ચીફને પૂછ્યું કે દેશભરમાં અલગ-અલગ પ્રકારની લાલચ આપીને અથવા તો પછી ED-CBIની ધમકી આપીને બીજી પાર્ટીના નેતાઓને તોડવામાં આવી રહ્યા છે. શું તમને આ મંજૂર છે? આ અગાઉ પણ અરવિંદ કેજરીવાલે રવિવારે જનતાની અદાલતને સંબોધિત કરતા RSS ચીફને આ જ સવાલ પૂછ્યો હતો.

એર ઈન્ડિયાએ યુરોપ અને મધ્ય એશિયા સુધી વધુ સારી...

ભારતની અગ્રણી ગ્લોબલ એરલાઈન એર ઈન્ડિયાએ આજે જાહેરાત કરી...

ભૂત સાથે વાત કરતી નૉયનતારાને મળો: કલર્સ લાવી રહ્યો...

ઈન્ડિયન પ્રીમિયર લીગનો ઉત્સાહ ઓછો થઈ રહ્યો છે, ત્યારે...

IPLના ઇતિહાસમાં પહેલી વખત RCB બન્યું ચેમ્પિયન : પંજાબનું...

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ IPL 2025માં ઇતિહાસ રચી દીધો...

કથામાંથી પરિવારમાં પાછા ફરો, ત્યારે આનંદની લહેરખી લઇને જજો...

"માનસ નાલંદા વિશ્વવિદ્યાલય" ના આજનાં છેલ્લાં ચરણમાં શરણાગત શ્રોતાઓએ...

ક્લબ મહિન્દ્રા બિન્સર વેલી અને વિલાની મુલાકાત લઈ ઉત્તરાખંડના...

ઉત્તરાખંડના કુમાઉં પ્રદેશમાં સુંદર પર્વતોથી ઘેરાયલું બિન્સર તેના કુદરતી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here