Saturday, March 7, 2026
HomeIndiaઝારખંડમાં રોટી, બેટી, માટી બચાવવાની લડાઇ, હિંદુઓની વસ્તી ઘટી : મોદી

ઝારખંડમાં રોટી, બેટી, માટી બચાવવાની લડાઇ, હિંદુઓની વસ્તી ઘટી : મોદી

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઝારખંડના હજારીબાગમાં પરિવર્તન મહારેલી સંબોધિત કરી હતી. જેમાં તેમણે ઝારખંડની હેમંત સોરેન સરકાર જોરદાર પ્રહારો કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે ઝારખંડમાં રોટી, બેટી અને માટી બચાવવાની લડાઇ છે. અહીં સતત હિંદુઓની વસ્તી ઘટી રહી છે.રાજ્ય સરકાર પર પ્રહાર કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે તેમણે ક્યારેય પણ આદિવાસીઓને આગળ વધવા દીધા નથી. સત્તા જાળવી રાખવા માટે આ લોકો ઝારખંડમાં એક નવી વોટ બેંક તૈયાર કરી રહ્યા છે.ઝારખંડની બલિ ચઢાવી વોટબેંકની રમત રમવામાં આવી રહી છે. સંથાલ પરગના તેમના ખતરનાક ખેલનો જીવતો જાગતો પુરાવો છે. સંથાલ પરગનામાં આદિવાસી વસ્તી સતત ઘટી રહી છે જ્યારે ઘુસણખોરોની વસ્તી સતત વધી રહી છે.સ્થિતિ એ છે કે હાઇકોર્ટે પણ આ ગંભીર બાબત અંગે ચિંતા વ્યક્ત કરી છે. જો કે જેએમએમ સરકાર કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને ઘૂસણખોરીનો ઇનકાર કરે છે. ઘૂસણખોરોની વધતી વસ્તી, આદિવાસી સમાજની ઘટતી સંખ્યા જેએમએમ અને કોંગ્રેસની સત્તાની ભૂખનું પરિણામ છે.મોદીએ જણાવ્યું હતું કે હું ગેરંટી આપું છું કે ઝારખંડમાં જ્યારે ભાજપની સરકાર બનશે તો રોટી, બેટી અને માટીની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા તેમણે જણાવ્યું હતું કે જેએમએમ જૂઠા વચનોથી પોતાના બચાવવા માંગે છે. જેમણે પાંચ વર્ષ સુધી પ્રજાના હક છીનવી લીધા હવે તે ચૂંટણી વખતે મોટા વચનો આપીને તમારો વિશ્વાસ જીતવા માંગે છે. હું તેમને પ્રશ્ર પૂછવા માંગુ છું કે જૂઠની નવી જલેબી પિરસતા પહેલા જૂનો હિસાબ તો આપો. તેમણે બેકાર યુવાનો બેકારી ભથ્થું આપવાનું વચન આપ્યું હતું તે વચનનું શું થયું. યુવાનોને ભરતીનું વચન આપ્યું હતું તે વચનનું શું થયું.આ દરમિયાન વડાપ્રધાન મોદીએ આજે ઝરાખંડમાં ૮૩,૭૦૦ કરોડ રૃપિયાના વિકાસ પ્રોજેક્ટોનું અનાવરણ કર્યુ હતું. આ પ્રસંગે મોદીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજ્ય અને આદિવાસીઓના વિકાસ માટે કટિબદ્ધ છે. આ પ્રોજેક્ટથી વિકાસને વેગ મળશે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here