Saturday, March 7, 2026
HomeGujaratસતધામ અમદાવાદ દ્વારા શહેરમાં સૌપ્રથમવાર પ.પૂ. સત્ શ્રી સ્વામીજીની “રાષ્ટ્ર કથા”નું આયોજન

સતધામ અમદાવાદ દ્વારા શહેરમાં સૌપ્રથમવાર પ.પૂ. સત્ શ્રી સ્વામીજીની “રાષ્ટ્ર કથા”નું આયોજન

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

સતધામ અમદાવાદ દ્વારા શહેરમાં સૌપ્રથમવાર “જનની જન્મભૂમીશ્વ સ્વર્ગાત અપિ ગરીયસી” અને “મેરા ભારત મહાન” આ સૂત્રોને લક્ષ્યમાં રાખી નીકોલમાં આવેલા ખોડિયારધામ ગ્રાઉન્ડ ખાતે વિશ્વમાં સૌપ્રથમવાર તા. 21 થી 27 ફેબ્રુઆરી, 2025 દરમિયાન પ.પૂ. સત્ શ્રી સ્વામીજીની “રાષ્ટ્ર કથા”નું આયોજન કરવામાં આવ્યું છે. એક સપ્તાહ ચાલનારી આ રાષ્ટ્ર કથાનો સમય રાત્રે 8.30 થી 11.30નો રહેશે. આ કથાનું જીવંત પ્રસારણ જીટીપીએલમાં 555 નંબરની ચેનલ ઉપર થશે અને સતશ્રી કથા યુટ્યુબ ચેનલ ઉપર પણ પ્રસારિત થશે.સતધામ અમદાવાદના પૂ. સર્વમંગલ સ્વામીજી એ “રાષ્ટ્ર કથા” અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, મહાન દેશભક્તો અને મહાપુરૂષોના જીવન ચરિત્રો દ્વારા ભારતીય સંસ્કારોનું સિંચન અને પ્રબળ દેશભક્તિની ભાવનાની જ્યોત આજના યુવાનોના દિલમાં જગાવવાના હેતુથી ખોડિયારધામ ગ્રાઉન્ડ ખાતે તા. 21 થી 27 ફેબ્રુઆરી, 2025 દરમિયાન પ.પૂ. સત્ શ્રી સ્વામીજીની “રાષ્ટ્ર કથા”નું આયોજન કરવામાં આવ્યું છે. પ.પૂ. સત્ શ્રી સ્વામીજી મહારાજ તેમની દિવ્ય વાણીથી આ કથામાં “યોગી ભારત-નીરોગી ભારત”, “હરિયાળુ ભારત-રળીયામણું ભારત”, “શિક્ષીત ભારત-વિકસિત ભારત”, “સ્વચ્છ ભારત-સ્વસ્થ ભારત” બનાવવાની પ્રેરણા આપશે.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં સામાજિક સંબેધોમાં આવતી સમસ્યાઓ, વિવિધ પ્રકારનાં વ્યસનો, મોબાઇલ એડીક્શન, માનસિક તણાવ, જેવા વિવિધ પ્રશ્નોથી આજનો દરેક માનવી એટલી હદે ઘેરાયેલો છે, કે તે પોતે પોતાની જવાબદારીઓથી દૂર ભાગે છે, અને સ્વાભાવિક છે કે સામાજીક જવાબદારીઓથી દૂર ભાગતા માનવીમાં રાષ્ટ્ર ભાવનાનો અભાવ અવશ્ય જોવા મળે છે. વિવિધ સમસ્યાઓથી ઘેરાયેલા માણસોને સતાવતી વિવિધ સમસ્યાઓમાંથી બહાર લાવવા પ.પૂ. સત્ શ્રી સ્વામીજી ની “રાષ્ટ્ર કથા” ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. પ.પૂ. સત્ શ્રી સત્ શ્રી સ્વામીજી આપણા શાસ્ત્રોનાં ગહન અભ્યાસથી પ્રાપ્ત કરંલાં જ્ઞાનને વિવિધ કથાના માધ્યમથી લોકો સુધી પહોંચાડી નિર્વ્યસની, સંસ્કારી અને આદર્શ સમાજનાં નિર્માણ ઘડતરમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here