
અમદાવાદના સાયન્સ સિટીમાં આવેલ એક્વેટિક ગેલેરી ખાતે વિશ્વ જળ દિવસની વિશેષ ઉજવણી યોજાઈ, જેમાં પાણી સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો. આ કાર્યક્રમમાં વિવિધ જિલ્લાઓની ચારથી વધુ શાળાઓના 450 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ અવસરે, પાણી આપણા જીવન માટે કેટલી અગત્યની ભૂમિકા ભજવે છે અને ભવિષ્ય માટે તેના સંરક્ષણની જરૂરિયાત વિશે વિદ્યાર્થીઓને અવગત કરાવવામાં આવ્યા. ખાસ કરીને હિમનદીઓ (ગ્લેશિયર્સ) મીઠાં પાણીના મહત્વના સ્ત્રોત છે અને પર્યાવરણ પરિવર્તનના કારણે એ કેવી રીતે પ્રભાવિત થઈ રહી છે, તે અંગે નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું. વિદ્યાર્થીઓ માટે ખાસ “એક્વા-ક્વિઝ”નું આયોજન કરવામાં આવ્યું, જેમાં તેઓએ પાણી સંબંધિત વિવિધ પ્રશ્નોના જવાબ આપ્યા. અંતે, તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને “મિશન લાઈફ” અંતર્ગત પાણી સંરક્ષણ માટે પ્રેરક પોસ્ટર્સ આપવામાં આવ્યા, જેનાથી રોજિંદી જિંદગીમાં ટકાઉ વિકાસના પદ્ધતિઓ અપનાવવાની પ્રેરણા મળશે. આ કાર્યક્રમ દ્વારા ન માત્ર યુવા પેઢીને પર્યાવરણ મુદ્દાઓ અંગે જાગૃત બનાવવામાં આવી, પણ પાણીના સંરક્ષણ માટે તેઓ જાતે જવાબદારી લે તેવો સંદેશ આપવાનો પ્રયાસ કરાયો. આ કાર્યક્રમ એક સફળ પગલું સાબિત થયું, જેનાથી પાણીના મહત્વ અને તેના સંરક્ષણ માટે તાત્કાલિક પગલાં ભરવાની જરૂરિયાતની સમજણ ઊંડી બની.


