
ભારતની અગ્રણી ગ્લોબલ એરલાઈન એર ઈન્ડિયાએ આજે જાહેરાત કરી છે કે તેણે ઉભરી રહેલા બજારોમાં ચાર મહત્વની એરલાઈન્સ સાથે ઈન્ટરલાઈન પાર્ટનરશીપ કરી છે. આ ભાગીદારીથી યુરોપ અને ખાસ કરીને બાલ્ટીક વિસ્તાર તથા પૂર્વી યુરોપ અને મધ્ય એશિયાના કેટલાક ભાગો સાથે કનેક્ટિવિટીમાં નોંધપાત્ર પ્રમાણમાં વૃદ્ધિ થશે.આ ભાગીદારીથી એર ઈન્ડિયાના યાત્રીઓને આ પ્રદેશોમાં 6 દેશના વધુ 16 સ્થળોની કોઈ પ્રકારના અવરોધ કે મુશ્કેલી વગર યાત્રા કરવાનો વિકલ્પ ઉપલબ્ધ બનશે. આ સાથે જ સંબંધિત ભાગીદાર એટલે કે પાર્ટનર એરલાઈન્સના યાત્રીઓ માટે ભારત સુધી સરળતાથી પહોંચવાનો વિકલ્પ ઉપલબ્ધ બનશે.એર ઈન્ડિયાએ નવી દિલ્હીમાં યોજાઈ રહેલા 81માં આઈએટીએ એજીએમ પ્રસંગે એરબાલ્ટીક, બલ્ગેરિયા એર, સાઈપ્રસ એરવેઝ, અને ઉઝબેકિસ્તાન એરવેઝ સાથે આ ઈન્ટરલાઈન એગ્રીમેન્ટ્સ પર હસ્તાક્ષર કર્યાં છે.આ નવી ભાગીદારી ગ્લોબલ કનેક્ટર તરીકે એર ઈન્ડિયાની સ્થિતિને વધારે મજબૂત કરે છે, જેથી યાત્રીઓને સિંગલ-ટીકિટથી યાત્રા સંબંધિત કાર્યક્રમ સાથે વિવિધ મહાદ્વીપોની યાત્રા કરી શકે છે, તેમા એર ઈન્ડિયાની ફ્લાઈટ તેમના ભાગીદાર એટલે કે પાર્ટનર એલાઈનની ફ્લાઈટ સાથે કોઓર્ડિનેટેડ બેગેજ અલાઉન્સ એન્ડ હેન્ડલિંગનો પણ સમાવેશ થાય છે.
4 પાર્ટનર એરલાઈન્સ મારફતે બિલકુલ અનુકૂળ વન-સ્ટોપ કનેક્ટિવિટીઃ
· એર બાલ્ટીકઃ એમ્સ્ટર્ડમ, પેરીસ, કોપેનહેગન, ફ્રેન્કફર્ટ, લંડન ગેટવિક, મિલાન-માલપેન્સા, વિયેના, જ્યૂરિચ અથવા દુબઈમાં એર ઈન્ડિયાના યુરોપિયન ગેટવેના માધ્યમથી રીગા (લાતવિયા), તેલિન (એસ્ટોનિયા) અને વિનિયસ (લિથુઆનિયા) સુધી પહોંચ પ્રદાન કરે છે.
· બલ્ગેરિયા એરઃ લંડન હિથ્રો, પેરિસ, એમ્સ્ટર્ડમ, ફ્રેન્કફર્ટ, મિલાન, જ્યુરીચ અને તેલ અવીવમાં એર ઈન્ડિયાના ગેટવે માધ્યમથી સોફિયા સુધી પહોંચ પ્રદાન કરે છે, જેથી વાઈબ્રન્ટ ઈસ્ટર્ન યુરોપિયન સિટીની યાત્રામાં સહાયતા મળે છે. એર ઈન્ડિયાના યાત્રી સોફિયાથી બલ્ગેરિયાના અન્ય શહેરો વર્ના અને બર્ગાસ માટે પણ ઉડ્ડાન ભરી શકે છે.
· સાઈપ્રસ એરવેઝઃ આ ઉડ્ડયન સેવા પેરિસ, મિલાન અને દુબઈમાં એર ઈન્ડિયાના યુરોપિયન ગેટવે મારફતે લારનાકા (સાઈપ્રસ) સુધીની પહોંચ પૂરી પાડે છે. તેને લીધે ભારતીય યાત્રીઓ માટે ભૂમધ્ય સમુદ્રના મહત્વના સાંસ્કૃતિક અને આર્થિક હબ્સ ખુલે છે.
· ઉઝબેકિસ્તાન એરવેઝઃ દિલ્હી, મુંબઈ અને ગોવા-મોપા (જીઓએક્સ)થી તાશ્કંદ સુધી પહોંચ પ્રદાન કરે છે. આ સાથે તાશ્કંદથી બુખારા, કાર્શી, નુકુસ, ઉર્ગેંચ, ટર્મેઝ, સમરકંદ, ફરગના અને નામંગન સુધી આગળ સુધીની કનેક્ટીવિટી પૂરી પાડે છે.
તેનાથી વિપરીત એર ઈન્ડિયા તેના ચાર સહયોગી એરલાઈન્સના ગ્રાહકોને 30થી વધારે ભારતીય શહેરો સુધી આરામદાયક પહોંચ પ્રદાન કરશે, જેમાં દિલ્હી, મુંબઈ, બેંગ્લુરુ, ચેન્નઈ,હૈદરાબાદ, અમદાવાદ, અમૃતસર, ગોવા અને કોચીનો સમાવેશ થાય છે.એર ઈન્ડિયાના ચીફ કોમર્શિયલ ઓફિસર શ્રી નિપુન અગ્રવાલે જણાવ્યું હતું કે, “આ ચાર નવી ઈન્ટરલાઈન ભાગીદારીઓ એર ઈન્ડિયાની વૈશ્વિક પહોંચને ખૂબ જ મહત્વપૂર્ણ રીતે વધારશે અને વર્તમાન સમયના કેટલાક સૌથી મહત્વના ઉભરતા બજારોમાં વાઈબ્રન્ટ શહેરો સુધી કોઈ જ અવરોધ વગરના માર્ગ ખોલશે. એરબાલ્ટીક બલ્ગેરીયા એર, સાઈપ્રસ એરવેઝ અને ઉઝબેકિસ્તાન એરવેઝ સાથેની અમારી ભાગીદારી વિશ્વભરમાં અમારા વધી રહેલા ગ્રાહકો માટે વધારે પ્રમાણમાં યાત્રાને લગતા વિકલ્પો અને આરામદાયક યાત્રા રજૂ કરે છે, આ ઉપરાંત મહત્વના ગ્લોબલ એવિએશન હબ તરીકે ભારતની વધી રહેલી સ્થિતિને વધુ મજબૂત કરે છે.”આ ઈન્ટરલાઈન કનેક્શન્સ માટે બુકિંગ એર ઈન્ડિયાની વેબસાઈટ(www.airindia.com), મોબાઈલ એપ અથવા વિશ્વભરના ટ્રાવેલ એજન્ટોના મારફતે પ્રગતિશીલ રીતે શરૂ થશે.