Friday, June 5, 2026
HomeGujarat‘અવિષ્કરણ આંધ્ર’ કાર્યક્રમ અંતર્ગત 24 કલાકમાં 1,63,254 નોંધણીઓ સાથે આંધ્ર પ્રદેશે ગિનીસ...

‘અવિષ્કરણ આંધ્ર’ કાર્યક્રમ અંતર્ગત 24 કલાકમાં 1,63,254 નોંધણીઓ સાથે આંધ્ર પ્રદેશે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

Date:

Related stories

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

આંધ્ર પ્રદેશ ઇનોવેશન સોસાયટીએ સ્ટાર્ટઅપ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. સંસ્થાએ “૨૪ કલાકમાં કોઈ ઉદ્યોગસાહસિકતા/સ્ટાર્ટઅપ/બિઝનેસ કાર્યક્રમમાં ઓનલાઇન સાઇન-અપ કરનારા સૌથી વધુ લોકો”નો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ રેકોર્ડ 19ઓગસ્ટ બપોરે 12:30
વાગ્યાથી 20 ઓગસ્ટ બપોરે 12:30 વાગ્યાની વચ્ચે 1,63,254 નોંધણીઓ સાથે બનાવવામાં આવ્યો છે. આ સિદ્ધિ ‘અવિષ્કરણ આંધ્ર’ અભિયાન હેઠળ હાંસલ થઈ છે, જેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, સંશોધકો અને યુવાનોને નવીનતા અને ઉદ્યોગસાહસિકતાની વિચારસરણી અપનાવવા માટે પ્રેરિત કરવાનો છે. આ કાર્યક્રમનો હેતુ પાયાના સ્તરે સ્ટાર્ટઅપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો અને રોજગારીનું સર્જન તેમજ આર્થિક વિકાસને વેગ આપવાનો છે. ઔપચારિક સમારોહમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને આંધ્ર પ્રદેશ
ઇનોવેશન સોસાયટીના સીઇઓ સૂર્યા તેજાને ગિનીસના અધિકૃત નિર્ણાયક ઋષિ નાથ અને રણનીતિકાર નિશ્ચલ બારોટ દ્વારા પ્રદાન કરવામાં આવ્યું. બારોટે આ રેકોર્ડ પ્રયાસની રણનીતિ અને પ્રમાણપત્ર પ્રક્રિયાનું નેતૃત્વ કર્યું હતું. આ અવસર પર રાજ્યના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી કોંડાપલ્લી શ્રીનિવાસ અને ઉદ્યોગ અને આઈટી મંત્રી નરા લોકેશ સહિત ઉદ્યોગ જગતના અનેક દિગ્ગજ વ્યક્તિઓ હાજર રહ્યા હતા. સૌએ ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા અને રાજ્યના ભવિષ્યને નવી દિશા આપવાના આંધ્ર પ્રદેશ સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આ સિદ્ધિને આંધ્ર પ્રદેશના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવ્યું અને “વન ફેમિલી, વન આંત્રપ્રિન્યોર”ના ધ્યેયનો પુનરોચ્ચાર કર્યો.

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here