
જે દેવામાં વાર લાગે એ ધન,જે હાથમાંથી જલ્દી નીકળી જાય એ દ્રવ્ય-લક્ષ્મી સમજવું.
આરંભમાં એક વિશેષ કાર્યક્રમ દ્વારા યવતમાલ ખાતે સાતમા દિવસની રામકથાનો આરંભ થયો. માનવસેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા ભેગા થયેલા ૭૦ લાખ રૂપિયાનો,કેન્સર પિડીતોની સેવા માટે કામ કરતી કેન્સર ઇન્સ્ટિટ્યૂટનાં સચિવ અને સીઈઓ શૈલેષ જોગલેકરને,મનોરથી દર્ડા પરિવાર,ચંદ્રપુરના સાંસદ અને અહીંના એમ.એલ.એ દ્વારા બાપુના હસ્તે ચેક વિતરણનો નાનકડો પણ ખૂબ જ મહત્વનો કાર્યક્રમ થયો.બાપુએ પણ આ કાર્યની ખૂબ જ સરાહના કરી અને કહ્યું કે પિતા અને માતામાં કંઈક વિશેષતાઓ હોય છે રામના પિતા દશરથ,જાનકીનાં પિતા જનક-આ બધા જ મહાન છે.છતાં પણ પિતા સીમિત હોય છે,માતા અમિત હોય છે,અસીમ હોય છે. પિતામાં પ્રતાપ હોય છે.પ્રતાપમાં તાપ છે ઉગ્રતા છે. માતામાં પ્રભાવ હોય છે.પ્રભાવમાં ભાવ હોય છ.મા પાસે ચાર વસ્તુ હોય છે:એક હોય છે-આંસુ.જે પરિવાર માટે માતા ખર્ચતી હોય છે.ભજનનો પ્રભાવ અને પ્રતાપ બંને હોય છે પણ જેણે ભજન પચાવેલું છે એ સાધુ પ્રતાપને દબાવે છે,પ્રભાવ ક્યારેક બહાર આવી જતો હોય છે.આમ છતાં ભજનાનંદી પોતાના સ્વભાવમાં
જીવતો હોય છે.


