
પિરામલ ફાઇનાન્સ લિમિટેડે (BSE Scrip Code: 544597; NSE symbol: PIRAMALFIN) નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) પર તેના લિસ્ટિંગ સાથે આજે એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું હતું. પિરામલ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ (પીઈએલ)ના તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની પિરામલ ફાઇનાન્સ લિમિટેડ સાથે સફળ મર્જર બાદ એક એકીકૃત, રિટેલ-કેન્દ્રિત એનબીએફસી કંપની અસ્તિત્વમાં આવી હતી અને તેના બાદ આ લિસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
પિરામલ ફાઇનાન્સના ચેરમેન આનંદ પિરામલ, પિરામલ ફાઇનાન્સના એમડી અને સીઈઓ જયરામ શ્રીધરન, પિરામલ ગ્રુપના ગ્રુપ પ્રેસિડેન્ટ રૂપેન ઝવેરી, એનએસઈના મેનેજિંગ ડિરેક્ટર તથા સીઈઓ આશિષકુમાર ચૌહાણ તથા સમગ્ર પિરામલ પરિવારના સભ્યો અને પિરામલ ફાઇનાન્સ મેનેજમેન્ટ ટીમ દ્વારા એનએસઈ ખાતે ઓપનિંગ બેલ વગાડવાની વિધિ હાથ ધરાઈ હતી.
આ સીમાચિહ્ન અંગે પિરામલ ફાઇનાન્સના ચેરમેન આનંદ પિરામલે જણાવ્યું હતું કે, “આ લિસ્ટિંગ સાથે નાણાંકીય સેવાઓમાં ભારતની સૌથી મહત્વાકાંક્ષી પરિવર્તન યાત્રાઓમાંની એક સાકાર થવા પામી છે. માત્ર ચાર વર્ષમાં, પિરામલ ફાઇનાન્સ એક હોલસેલ ધિરાણકર્તાથી રિટેલ-કેન્દ્રિત, ટેકનોલોજીની આગેવાની ધરાવતી સંસ્થા બની છે જે ઉભરતા ભારતની ભાવના અને આકાંક્ષાને આગળ ધપાવે છે. અમારો હેતુ સ્પષ્ટ છે: લાખો લોકો માટે નાણાંકીય પહોંચને સરળ, વિશ્વસનીય અને પારદર્શક બનાવવાનો. આ લિસ્ટિંગ અમારી સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને તેની સાથે અમારા હિસ્સેદારો માટે નવી જવાબદારી આવે છે. પિરામલ ફાઇનાન્સના સૌથી આશાસ્પદ પ્રકરણો હજુ ઘણા આગળ છે.”


