
શિયાળાની ઋતુને તંદુરસ્તી માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. શિયાળા દરમિયાન બીમાર વ્યક્તિ પણ એકદમ તંદુરસ્ત બની જતા હોય છે, સૌથી મોટો બીજો ફાયદો એ છે કે આ ઋતુ દરમિયાન તમામ શાકભાજી ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં અને સારી ગુણવત્તાવાળા મળતા હોય છે. જેથી શિયાળા દરમિયાન શાકભાજીના તાજા રસનું સેવન પણ આટલું જ પ્રચલિત માનવામાં આવે છે.
જે કોઈ પણ વ્યક્તિની તંદુરસ્તી માટે આજે આટલું જ મહત્વનું માનવામાં આવે છે, પરંતુ જે રીતે શાકભાજીના તાજા રસના અનેક ફાયદાઓ છે, તેવી રીતે જો શાકભાજીના રસનો આડેધડ અને બિનજરૂરી રીતે ઉપયોગ કરવામાં આવે તો તેના ફાયદા આરોગ્યની દ્રષ્ટિએ નુકસાનકારક થઈ શકે છે.શિયાળાની ઋતુને કોઈ પણ વ્યક્તિની તંદુરસ્તી માટે ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. શિયાળા દરમિયાન બીમાર વ્યક્તિ પણ એકદમ તંદુરસ્તી પ્રાપ્ત કરી લેતો હોય છે. શિયાળાની ઋતુનો બીજો સૌથી મોટો ફાયદો શાકભાજીના રૂપમાં મળી રહ્યો છે. શિયાળો એક એવી ઋતુ છે, કે આ સમય દરમિયાન મોટાભાગના શાકભાજી મળતા હોય છે, અને તેમાં પણ શિયાળા દરમિયાન આવેલું શાકભાજી ગુણવત્તાની દ્રષ્ટિએ પણ ખૂબ સારું અને પરિપક્વ માનવામાં આવે છે.જેથી શિયાળા દરમિયાન શાકભાજીના સેવનને અનેકગણું ફાયદાકારક માનવામાં આવે છે, ત્યારે શિયાળા દરમિયાન હવે વહેલી સવારે શાકભાજીના રસનું સેવન પણ ખૂબ જ પ્રચલિત બની રહ્યું છે. જેમાં પાલક, મેથી, આંબળા, આદુ, હળદર, ગાજર, બીટ જેવા શાકભાજીના તાજા રસનું સેવન શરીરના આરોગ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે, પરંતુ શાકભાજીના રસનું આડેધડ સેવન કરવામાં આવે તો તે ફાયદાની જગ્યા પર કેટલાક કિસ્સામાં નુકસાન પણ કરી શકે છે.શિયાળા દરમિયાન શાકભાજીના તાજા રસોને શારીરિક રીતે ખૂબ જ લાભપ્રદ માનવામાં આવ્યા છે, પરંતુ દિવસ દરમિયાન ઈચ્છા પડે ત્યારે શાકભાજીનો રસ લેવો ફાયદાની જગ્યા પર નુકસાનકારક પણ બની શકે છે. સામાન્ય રીતે કોઈ પણ શાકભાજીના તાજા રસનું સેવન સવારના સમયે કરવાનું યોગ્ય માનવામાં આવે છે, સીધી ભાષામાં કહીએ તો કોઈ પણ શાકભાજીના રસનું સેવન કર્યા બાદ એક કલાક પછી ભોજન લેવામાં આવે તો તેના અનેક ફાયદા આયુર્વેદમાં વર્ણવવામાં આવ્યા છે.સામાન્ય રીતે લોકો શાકભાજીના રસ કાઢીને તેને સાચવીને દિવસ દરમિયાન લેતા હોય છે, પરંતુ શાકભાજીનો રસ કાઢ્યા બાદ ઓછામાં ઓછી 10 મિનિટના સમયની અંદર તેને તાજો જ પી લેવો આરોગ્યની દ્રષ્ટિએ ઉત્તમ માનવામાં આવ્યો છે. વહેલી સવારે અને નરણા કોઠે 40 ml એટલે કે અડધા ગ્લાસની મર્યાદામાં રસ પીવો ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ આડેધડ પાણીની માફક ઈચ્છા પડે ત્યારે શાકભાજીના રસને લેવો નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે.


