Saturday, March 7, 2026
HomeGujaratમારી ઓળખ ભારતીય જનતા પાર્ટીનો ખેસ અને કમળ છે- શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

મારી ઓળખ ભારતીય જનતા પાર્ટીનો ખેસ અને કમળ છે- શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

Date:

spot_img

Related stories

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...
spot_img

કોંગ્રેસના ૬૦ વર્ષ સામે શ્રી મોદીજીના નેતૃત્વમાં છેલ્લા ૧૧ વર્ષમાં અનેક વિકાસકામો થયા હોવાનું અને લાભાર્થી સહાય સીધી બેંક ખાતામાં જવાથી કોંગ્રેસના સમયની વચેટિયા પ્રથા બંધ થઈ હોવાનું જણાવતા શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે વિશાળ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું.

પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને યાદ કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દીનદયાળજીની ‘અંત્યોદય’ ની વિચારધારાને સર્વોત્તમ રીતે મૂર્તિમંત કરી રહ્યા છે. સ્વામી વિવેકાનંદજીનું સ્મરણ કરતા તેઓએ જણાવ્યું કે, ઇતિહાસ સાક્ષી છે કે સ્વામી વિવેકાનંદજી જયારે જનસેવા અને પ્રભુસેવાના લોકમાર્ગે નિકળ્યા ત્યારે મહાકાળી માતાજીના આશિર્વાદ લઈને તેઓએ પ્રારંભ કર્યો હતો. તેમના વિચારો આજે પણ યુવાનો માટે દીવાદાંડી સમાન છે.

કાર્યકર્તાઓને સંબોધન કરતા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનને બિરદાવતા જણાવ્યું હતું કે, આજે દેશમાં પહેલા એવા વડાપ્રધાન આવ્યા છે કે જેમણે ભારતના પવિત્ર અને ધાર્મિક સ્થળોના જીર્ણોદ્ધાર તથા આધુનિક સુવિધાઓ સાથેના કોરિડોરોના વિકાસ માટે દૃઢ સંકલ્પ સાથે કાર્ય હાથ ધર્યું છે. લાલ કિલ્લા પરથી જ્યારે શ્રી મોદીજીએ શૌચાલયની વાત કરી ત્યારે દિલ્હીમાં બેસતા વિદેશી વિચારધારા વાળા વિપક્ષના નેતાઓ હસતા હતા, પણ આજે દેશમાં ૧૧ કરોડથી વધુ પરિવારોને શૌચાલય આપી મહિલાઓને સન્માન આપવાનું કામ મોદીજીએ કર્યું છે. ગુજરાતમાં વાળુ સમયે સાંજે વિજળી ન હતી ત્યારે મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં ૨૪ કલાક વીજળીની વાત જ્યારે શ્રી મોદીજીએ કરી ત્યારે કોંગ્રેસના મિત્રો તેને અશક્ય ગણતા હતા, પણ ‘જ્યોતિગ્રામ યોજના’ થકી આજે ગુજરાત ઝળહળી રહ્યું છે.

તેમણે કહ્યું કે, મારી ઓળખ ભારતીય જનતા પાર્ટીનો ખેસ અને કમળ છે. પ્રદેશ અધ્યક્ષ તરીકે મળતું સન્માન હકીકતમાં કાર્યકર્તાઓનું સન્માન છે. ભાજપનુ કમળ ખિલવવા માટે રાત દિવસ કાર્યકર્તાએ અથાગ પરિશ્રમ કર્યો છે. બુથ કાર્યકર્તાઓની મહેનતને બિરદાવી “મેરા બુથ સબસે મજબૂત” ના સૂત્રોચ્ચાર સાથે તેમણે પ્રત્યેક બુથ ને મજબૂત બનાવવા કાર્યકર્તાઓને હાકલ કરી હતી. બુથ મજબૂત તો વિધાનસભા અને તેના થકી રાષ્ટ્ર મજબૂત. તેઓએ કહ્યું કે, ચોમાસા સમયે જેમ દેડકા બહાર આવે તેવી રીતે આખા દેશના કોઈપણ રાજ્યમાં ચૂંટણી આવે ત્યારે વિપક્ષીઓ બહાર આવે છે.

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આજે ભારત સુરક્ષીત હાથોમાં છે, ગુજરાત સુરક્ષીત હાથોમાં છે, ભાજપ પાસે શ્રી નરેન્દ્રભાઇ મોદીનું મજબૂત નેતૃત્વ છે. કોંગ્રેસના ૬૦ વર્ષ સામે શ્રી મોદીજીના નેતૃત્વમાં છેલ્લા ૧૧ વર્ષમાં અનેક વિકાસકામો થયા છે. ભાજપના શાસનમાં ગુજરાત ગ્રામીણ વિસ્તારમાં રોડ, પાણી, કનેક્ટિવિટીની બાબતમાં અગ્રેસર બન્યું છે. કોંગ્રેસની સરકારે વર્ષો સુધી સરદાર સરોવર નર્મદા ડેમ પર દરવાજા લાગવાની પરવાનગી ન આપી, શ્રી નરેન્દ્રભાઇ મોદી એ પ્રધાનમંત્રી બનતા ૧૭ માં જ દિવસે પરવાનગી આપી દીધી. નર્મદા યોજનાના કેનાલ અને પાઇપલાઇનના ૭૫ હજાર કિમીના આ નેટવર્કનો લાભ ગુજરાતના કરોડો નાગરિકોને મળી રહ્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે, દુનિયામાં સૌથી મોટી હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ ભારતમાં છે અને યુપીઆઈથી અન્ય માધ્યમોથી સૌથી વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થાય છે. જળ જીવન મિશન, આવાસ, આનાજ, વિધવા સહાય, નમો લક્ષ્મી નિધિ, આદિવાસી વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ અને સ્કોલરશીપ સહિતના અનેક પ્રકલ્પો આજે કાર્યરત છે. રાજીવ ગાંધીના “એક રૂપિયો મોકલીએ તો 15 પૈસા મળે છે”ના ઉલ્લેખ સાથે તેઓએ જણાવ્યું કે, તે સમયની વચેટિયા પ્રથા બંધ કરવાનું કામ શ્રી મોદીજીએ કર્યું છે. ભાજપા સરકારની કામગીરી લઈને કાર્યકર્તાઓને ગર્વ સાથે પ્રજા વચ્ચે જવા તેઓએ આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, અગ્રેસર ગુજરાત એટલે ભાજપ પરનો જન જનનો વિશ્વાસ, ભાજપ પ્રત્યેની સમર્પિતતા, વિકાસ અને વિશ્વાસનો વિજય. છેલ્લા 30 વર્ષથી ગુજરાતની સાડા છ કરોડની જનતાનો અકલ્પનિય પ્રેમ ભાજપાને મળ્યો છે.

ભાજપા આગેવાનો અને કાર્યકરોએ નોટબુક અને પુસ્તકથી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનું સ્વાગત-અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપા મહામંત્રીશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી જયદ્રથસિંહ પરમાર, સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ, ધારાસભ્ય શ્રી સી.કે. રાઉલજી સહિત સ્થાનિક ભાજપા સંગઠનના પદાધિકારીઓ, ભાજપા આગેવાનો, અગ્રણીશ્રીઓ સહિત વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યકર્તા સંમેલન પૂર્વે શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પંચમહાલ જિલ્લા સંગઠનના નવનિયુક્ત પદાધિકારીઓ સાથે પરિચય બેઠક યોજી હતી.

પ્રશાંત વાળા
પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ
ભાજપા ગુજરાત

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here