Saturday, March 7, 2026
HomeReligionપૂજ્ય બાપુ કહે છે કે, સુંદરકાંડ ની આચાર્ય, વિભિષણ અને સુરમા ની...

પૂજ્ય બાપુ કહે છે કે, સુંદરકાંડ ની આચાર્ય, વિભિષણ અને સુરમા ની પુત્રી ત્રિજટા છે.

Date:

spot_img

Related stories

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...
spot_img

હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ.
આજે સોમવાર એટલે ચરિત્રની ઓળખ. ઋષિ શબ્દ સાંભળીને સારું લાગે! પણ પછી એમ થાય કે એ સમય તો વિતી ગયો, આજે માનવી માનવ પણ નથી રહ્યો!: અને એનાં દાનવ થવાનાં ચાન્સ દિવસે દિવસે વધતાં જાય છે ત્યાં ઋષિ તો કેમ શક્ય બને! તો આપણને પ્રશ્ન થાય કે ઋષિ જેવું ચરિત્ર કેમ બને? પુરાણોમાં વર્ણવેલ ઋષિ જેવું ચરિત્ર શું ફક્ત કલ્પના જ હશે! પરંતુ સમય નો એ દોર જોઈએ તો વાનર અને દાનવ પણ ઋષિ ચરિત્ર ધરાવતાં હતાં. ત્રેતા યુગમાં વિભીષણ દ્વારા માતા સીતાની ભાળ મળી‌ ત્યારે હનુમાનજી ક્ષણનો પણ વિલંબ કર્યા વગર અશોકવાટિકામાં આવે છે, અને અશોકનાં વૃક્ષ નીચે બેઠેલી મા સીતા રામ રામ એમ કરતી હતી,એને પોતાના પતિ પરમેશ્વરનાં વિરહમાં તડપતી જોઈને તેનું મન આક્રંદ કરે છે. પરંતુ ગાઢ અંધકારમાં પણ ક્યાંકથી એકાદ આશાનું કિરણ મળી જતાં જીવન ચાલતું હોય છે, એ જ રીતે અશોકવાટિકામાં પણ મા જાનકીને ત્રિજટાનો સહારો હતો, તો આજે આપણે ચિંતનમાં ત્રીજટા વિશે વાત કરીશું.

ત્રિજટાનો પાત્ર પરિચય તો સાવ નાનો છે, અપહરણ કરીને લાવેલ સીતાને અશોકવાટિકામાં રાખે છે, અને તેની સહાય માટે તેમજ તે ક્યાંય ભાગી ન જાય માટે, થોડી રાક્ષસીઓનો પહેરો ત્યાં આગળ ગોઠવે છે. સીતાની ખાસ પરિચારિકા તરીકે ત્રિજટાની નિમણૂક કરે છે, અને એ રીતે ત્રિજટા સીતાનાં લંકા કાળ દરમિયાનની સૌથી શ્રેષ્ઠ સાથી હતી. આ ઉપરાંત ત્રિજટા વિભિષણ અને સુરમાની પુત્રી તરીકે પણ બતાવાઈ છે, અને એટલે જ તેના હૃદયમાં પણ વૈષ્ણવી ગુણો હતાં, અને તે હર હંમેશ સીતાનું રક્ષણ કરતી હતી. તેની ભાવનાઓની કદર કરતી હતી, અને પતિ વિયોગમાં તડપતી સીતાને કોઈને કોઈ બહાને જીવન તરફ આગળ ધકેલતી હતી. ટૂંકમાં કહીએ તો રાક્ષસ કુળમાં જન્મી હોવા છતાં સાધ્વી જેવાં પરમ ગુણ નિભાવતી હતી. રાવણને પણ ખબર હતી કે, હું જે કોમળ સુકુમારી જેવી નારીને લાવ્યો છું, તેનું જતન પણ કોઈ કોમળ સ્વભાવની સ્ત્રી જ કરી શકે એમ છે, માટે ત્રિજટાને સીતાની સેવા સોંપવામાં આવી હતી. ત્રિજટા ઉપરાંત તેની માતા સુરમાં પણ સીતાની સહેલી બની હતી, અને દરબારમાં અપમાન થતાં વિભીષણ જ્યારે લંકા છોડે છે, ત્યારે તેની પત્ની અને પુત્રી લંકા છોડતા નથી, પરંતુ સીતા તરફનું પોતાનું કર્તવ્ય પૂરી નિષ્ઠાથી નિભાવે છે. એટલે આમ જુવો તો એ લોકો પણ રામકાર્ય જ કરતાં હતાં.

ત્રિજટા શબ્દની સંધિ છૂટી પાડીને અર્થ કરીએ તો, ત્રણ જટા એવો અર્થ થાય, અને જટા સંન્યાસ નું પ્રતીક માનવામાં આવે છે. ત્રિજટા એટલે કે એવી સ્ત્રી કે જે ત્રણ સંન્યાસી જેટલો વૈરાગ્ય ધરાવે છે, અથવા તો ત્રણ સન્યાસી જેટલી સાત્વિક બુદ્ધિ ધરાવે છે, અથવા તો રાક્ષસી હોવા છતાં ત્રણ સન્યાસી જેટલી પવિત્ર અને નિર્મળ છે. રાવણે જ્યારે સીતાનું અપહરણ કર્યું નહોતું, ત્યારથી એનું નામ ત્રિજટા હતું, પરંતુ ભવિષ્યનું વિચારીને પણ તેનું નામકરણ થયું હશે. એટલે કે રામ લક્ષ્મણ અને સીતા ત્રણ ત્રણ તપસ્વી વેશે વનવાસ ભોગવી રહ્યા હતા, એ ત્રણ વૈરાગી ઓના વૈરાગનું સમર્થન કરવા સામે એટલો વૈરાગ પણ હોવો જોઈએ, જે ત્રિજટામાં હતો. વિભિષણની પુત્રી હોવાથી તેનામાં હિંસકવૃત્તિ નહોતી, પાશવી વૃત્તિ પણ નહોતી, અને નાનપણથી ઘરમાં હરી સ્મરણ થતું હોવાથી તે, ભક્તિથી પરિચિત હતી,અને પ્રભુ ભક્તિમાં તલ્લીન રહેતી સીતા માટે લંકામાં ત્રિજટાથી સારો બીજો કોઇ વિકલ્પ હતો નહીં. બાપુએ સાતે સાત કાંડના આચાર્યામાં સુંદરકાંડની આચાર્યા તરીકે ત્રિજટા છે એમ કહ્યું છે, કારણ કે સીતાનું લક્ષ્ય ભગવાન શ્રીરામ આવે ત્યાં સુધી તેની પ્રતીક્ષા કરવાનું હતું, અને ત્રિજટા જ્યારે જ્યારે સીતા વિચલિત થઈ જતાં હતાં, ત્યારે તેને આચાર્યા બની સંભાળી લેતાં હતાં, અને દરેક વખતે તેને પોતાના લક્ષ્ય તરફ આગળ ધકેલતી હતી. સીતા ત્રિજટાને માતે ! એવું સંબોધન કરે છે, માટે તે ઉંમરમાં પણ સીતા કરતાં મોટા હતા. દુશ્મનના ઇલાકામાં દોસ્ત મળવો, એ પણ હરિ કૃપા વિના સંભવ નથી. એટલે સીતા પણ આશ્વાસન લેતાં હતાં કે પ્રભુ આ રીતે મારી સંભાળ લઈ રહ્યાં છે.

ઘણીવાર અશોક વાટિકામાં ડરામણા દેખાવ અને ડરામણા અવાજો કરતી રાક્ષસીઓ સીતા તરફ ધસી આવે છે, અને અમે તને ખાઈ જઈશું! અમે તને ખાઈ જઈશું! એમ કરી તેની પર રોફ જમાવવાની કોશિશ કરે છે. પરંતુ ત્રિજટા ત્યાં આવી જાય છે, અને બધી જ રાક્ષસીઓને દૂર કરે છે, અને કહે છે હે પાપીણીઓ તમે કોને ખાવાની વાત કરો છો તમને ખબર છે? આ સાક્ષાત મા જગદંબા છે, એ ધારે તો આખી લંકા ને રગદોળી શકે તેમ છે, અને રાવણ જેવા કેટલાય મહાબલિ દાનવને તે મારી શકે તેમ છે. બધી જ રાક્ષસીઓ પોતાનો જીવ બચાવવા સીતાની માફી માગી, ત્યાંથી દૂર ચાલી ગઈ અને સીતાના વિરહને શાંત કરવા ત્રિજટા પોતાના સ્વપ્નની વાત કહે છે, અને કહે છે કે પુત્રી સીતા તું ધીરજ રાખ! મને સ્વપ્ન આવ્યું હતું કે બહુ ઝડપથી તારો પતિ અને તારો દેર તને અહીંથી મુક્ત કરાવવાં આવશે, અને રાવણનો વધ થશે. પરંતુ વિરહાગ્નિમાં તડપતી સીતા ત્રિજટાને કહે છે કે, તું મારી હિતેચ્છુ છે, તો મને હવે ક્યાંકથી આગ લાવી દે, મારી ચિતા ખડકી દે, તો હું અહીં જ મારા પ્રાણ આપી દઉં! ત્રિજટા માનતી નથી, ત્યારે સીતા અરણ્યના એ અશોક વૃક્ષ પાસે એક અંગાર માંગે છે, અને કહે છે કે મારી પર એટલી કૃપા કરો ! હવે મારાથી આ રીતે જીવાતું નથી. આપણે સૌ જાણીએ છીએ કે પછી સીતાનો હનુમાન સાથેનો મેળાપ થાય છે, અને એને વિશ્વાસ બેસે છે, કે પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણ એને છોડાવવા જરૂર આવશે. આપણી પ્રભુ તરફની ભક્તિ સાચી હોય, પૂર્ણ નિષ્ઠા ધરાવતા હોઈએ, આપણા કર્મ પણ સત્ય પ્રિય હોય, વચન પણ સત્ય પ્રિય હોય, અને આચરણ પણ સત્ય પ્રિય હોય, તો પ્રભુ આવશે એવી ખાતરી આપવા માટે ત્રિજટા જેવી કોઈ આચાર્ય અને હનુમાન જેવો કોઈ સંત આપણા જીવનમાં આવે છે, અને આપણને એનાથી આશ્વાસન તો મળે જ છે, પરંતુ જીવનમાં રાહતનો પણ અનુભવ થાય છે. તો આપણે સૌ ભગવાનને પણ આવવા માટે વિવશ બનવુ પડે એવી ભાવના બનાવી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.

લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here