Saturday, June 6, 2026
HomeAhmedabadવિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાબરમતી લોકોશેડ તથા રેલવે હોસ્પિટલ ખાતે વ્યાપક વૃક્ષારોપણ...

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાબરમતી લોકોશેડ તથા રેલવે હોસ્પિટલ ખાતે વ્યાપક વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

Date:

Related stories

નામદેવ ફિનવેસ્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી જીતેન્દ્ર...

નામદેવ ફિનવેસ્ટ ખાતે, અમે વંચિત અને ઊભરતા બજારોમાં સતત...

સીઆઇડી દ્વારા રાજપીપળાના નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ કરાઇ

જમીનના હક્કપત્રકની નોંધને ગેરકાયદેસર રીતે પ્રમાણિત દ્વારા ધરપકડ કરી...

વૈશ્વિક મંદીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે, અને છતાં વિદેશી...

અમેરિકાનાં સાંસદો એ ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધ અટકાવવાની ચીમકી આપી!...

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ‘મેગા એગ્રી ક્રેડિટ આઉટરીચ...

*વડોદરા, ૦૬ જૂન, ૨૦૨૬* – સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા,...

 નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ...

પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં કામકાજ દરમિયાન અચાનક પ્રચંડ ધડાકા...

વટવાથી સાબરમતી રેલવે સ્ટેશન સુધી રેલવે કર્મચારીઓ કરશે વૃક્ષારોપણ,...

વૃક્ષારોપણ, સ્વચ્છતા, જળ-ઊર્જા સંરક્ષણ અને પ્લાસ્ટિક ઉન્મૂલન પર રહ્યું...

“એક વૃક્ષ માંના નામે” અભિયાન હેઠળ પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લેવામાં આવ્યો.

વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં “એક વૃક્ષ માંના નામે” અભિયાન હેઠળ વિવિધ રેલવે પરિસરોમાં વ્યાપક સ્તરે વૃક્ષારોપણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યના સંવર્ધન અને હરિયાળા ભવિષ્યના સંકલ્પ સાથે અધિકારીઓ તથા કર્મચારીઓએ વૃક્ષારોપણ કરી તેના સંરક્ષણનો સંકલ્પ લીધો.

સાબરમતી સ્થિત લોકોમોટિવ શેડ ખાતે વરિષ્ઠ મંડળ યાંત્રિક ઇજનેર (Sr. DME) શ્રી એસ. પી. ગુપ્તાના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સુપરવાઇઝરો, તકનીકી કર્મચારીઓ તથા અન્ય રેલકર્મીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ પ્રસંગે શ્રી ગુપ્તાએ જણાવ્યું કે વૃક્ષો માત્ર પર્યાવરણીય સંતુલન જાળવવા માટે જ નહીં, પરંતુ ભાવિ પેઢીઓના સ્વસ્થ જીવન માટે પણ અત્યંત આવશ્યક છે. તમામ કર્મચારીઓએ વાવેલા વૃક્ષોની નિયમિત દેખભાળ અને સંરક્ષણ કરવાનો સંકલ્પ લીધો.

આ જ ક્રમમાં, સાબરમતી સ્થિત મંડળ રેલવે હોસ્પિટલ ખાતે અપર મુખ્ય ચિકિત્સા અધિક્ષક ડૉ. મનોજ દેવના નેતૃત્વમાં તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ કર્મચારીઓ તથા અન્ય કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ડૉ. દેવએ જણાવ્યું કે સ્વચ્છ હવા અને હરિયાળું પર્યાવરણ સારા સ્વાસ્થ્યનો આધારસ્તંભ છે તેમજ હોસ્પિટલ પરિસરને વધુ પર્યાવરણ અનુકૂળ બનાવવા માટે આવા પ્રયત્નો ભવિષ્યમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે મંડળના વિવિધ સ્ટેશનો, રેલવે કોલોનીઓ તેમજ ટ્રેકની બાજુઓમાં પણ નીમ, પીપળ, બરગત, ગુલમોહર અને જામુન જેવા સ્વદેશી વૃક્ષોના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. અમદાવાદ મંડળ ભારતીય રેલવેના “નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન” લક્ષ્યની પ્રાપ્તિ માટે સતત અને હરિત વિકાસ પ્રત્યે પ્રતિબદ્ધ છે.

નામદેવ ફિનવેસ્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી જીતેન્દ્ર...

નામદેવ ફિનવેસ્ટ ખાતે, અમે વંચિત અને ઊભરતા બજારોમાં સતત...

સીઆઇડી દ્વારા રાજપીપળાના નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ કરાઇ

જમીનના હક્કપત્રકની નોંધને ગેરકાયદેસર રીતે પ્રમાણિત દ્વારા ધરપકડ કરી...

વૈશ્વિક મંદીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે, અને છતાં વિદેશી...

અમેરિકાનાં સાંસદો એ ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધ અટકાવવાની ચીમકી આપી!...

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ‘મેગા એગ્રી ક્રેડિટ આઉટરીચ...

*વડોદરા, ૦૬ જૂન, ૨૦૨૬* – સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા,...

 નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ...

પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં કામકાજ દરમિયાન અચાનક પ્રચંડ ધડાકા...

વટવાથી સાબરમતી રેલવે સ્ટેશન સુધી રેલવે કર્મચારીઓ કરશે વૃક્ષારોપણ,...

વૃક્ષારોપણ, સ્વચ્છતા, જળ-ઊર્જા સંરક્ષણ અને પ્લાસ્ટિક ઉન્મૂલન પર રહ્યું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here