
રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા પ્રધાન મોદી સમક્ષ ભારતની પેમેન્ટ્સની ભવિષ્યની જરૂરિયાતો માટે તૈયાર કરાયેલ એઆઈ મોડેલ રજૂ કરવામાં આવ્યું
Or
મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા પ્રધાન મોદી સમક્ષ રેઝરપે દ્વારા ‘ડિજિટલ ભારત’ની આગામી લહેરને વેગ આપવા માટે ભારત-નિર્મિત એઆઈ પેમેન્ટ્સ મોડેલ રજૂ કરવામાં આવ્યું
ભારત, મુંબઈ, ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૬: ભારતનું ફિનટેક ઇકોસિસ્ટમ ગ્લોબલ ફિનટેક ફેસ્ટ ૨૦૨૬ માં ફાઇનાન્સ અને ટેકનોલોજીના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે એકત્ર થયું હતું, ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મુંબઈમાં જીએફએફ ખાતે રેઝરપે ટીમને મળ્યા, જ્યાં કંપનીએ ભારતનું પ્રથમ એઆઈ પેમેન્ટ્સ ફાઉન્ડેશન મોડેલ, ‘રેઝરપે વલ્કન’ રજૂ કર્યું.
રેઝરપેના સીપીઓ ખિલન હરિયા દ્વારા માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સમક્ષ ‘રેઝરપે વલ્કન’ રજૂ કરવામાં આવી રહ્યું છે.
વલ્કન એ રેઝરપે સોફ્ટવેરની અંદરનું એક સિંગલ એઆઈ પેમેન્ટ્સ સિસ્ટમ છે, જે ફક્ત પેમેન્ટ્સ પ્રોસેસ જ નથી કરતી પરંતુ તેને સમજે પણ છે. તે 4 અબજ પેમેન્ટ્સના લગભગ 3 ટ્રિલિયન ડેટા પોઈન્ટ્સ પર પ્રશિક્ષિત છે, જેનો ઉદ્દેશ્ય ભારતમાં દરેક ડિજિટલ પેમેન્ટને વધુ ઝડપી, સુરક્ષિત અને સ્માર્ટ બનાવવાનો છે. એઆઈ ના ઉપયોગ દ્વારા તે રીઅલ-ટાઇમમાં વ્યવસાયોને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો સફળતા દર વધારવામાં મદદ કરે છે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં થતી ઠગાઈને તે થાય તે પહેલાં જ અટકાવે છે અને ગ્રાહકોને ઓનલાઈન પેમેન્ટ ચેકઆઉટનો સરળ અનુભવ પ્રદાન કરે છે.
રેઝરપે માટે, આ ક્ષણ ખાસ કરીને મહત્વપૂર્ણ હતી. એક દાયકા પહેલા, કંપનીએ ભારતીય વ્યવસાયો માટે ડિજિટલ ચુકવણીને સરળ બનાવવાનું નક્કી કર્યું હતું. આજે, તે મિશન વિશ્વના ઝડપથી વિકસતા ચુકવણી ઇકોસિસ્ટમમાંના એકને શક્તિ આપતી ડીપ ટેકનોલોજીના નિર્માણમાં પરિપક્વ થયું છે.
ભારતનું ડિજિટલ કોમર્સ અર્થતંત્ર 2030 સુધીમાં અંદાજિત $350 બિલિયન તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ચુકવણી ઇકોસિસ્ટમને વધુ બુદ્ધિશાળી, સ્થિતિસ્થાપક અને સીમલેસ બનાવવાની જરૂર પડશે. રેઝરપે વલ્કન ભારતના ડિજિટલ વિકાસના આ આગામી પ્રકરણ માટે વિકસાવવામાં આવ્યું છે. બ્લિંકિટ, બચત અને રેડબસ જેવા વ્યવસાયો ચુકવણી સફળતા દરમાં 8-10% સુધારો અને 8 ગણા વધુ આંતરરાષ્ટ્રીય કાર્ડ છેતરપિંડી શોધી અને અટકાવી રહ્યા છે.
ચુકવણીઓને વધુ વિશ્વસનીય અને સુરક્ષિત બનાવવા માટે એઆઈ નો ઉપયોગ કરવાથી લઈને વ્યવસાયોને તેમના નાણાકીય કામગીરીને વધુ સારી રીતે સમજવા અને સંચાલિત કરવામાં મદદ કરવા સુધી, રેઝરપે એક બુદ્ધિશાળી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યું છે જે ભારતીય વાણિજ્યના આગામી યુગને સરળ, સુરક્ષિત અને સ્માર્ટ બનાવશે.
