ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને વોલ્ટાસ અને
વોલ્ટાસ બેકો પ્રોડક્ટ્સ પર આકર્ષક ધિરાણ વિકલ્પો મેળવી શકે છે
મુંબઇ, 10 સપ્ટેમ્બર 2026: ભારતની નં. 1 એસી બ્રાન્ડ અને અગ્રણી એપ્લાયંસિસ કંપની અને ટાટા ગૃહની વોલ્ટાસ લિમીટેડ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસની સમગ્ર શ્રેણીમાં અસંખ્ય આકર્ષક ઓફર્સ સાથે ગણેશ ચતુર્થીની ગતિશીલતાની ઉજવણી કરે છે. અનેક પરિવારો જ્યારે પોતાના ઘરે ભગવાન ગણેશના સ્વાગતની તૈયારી કરી રહ્યા છે ત્યારે વોલ્ટાસ તહેવારની ખરીદીને કેશબેકના ફાયદાઓ અને સાનુકૂળ ધિરાણ ઉકેલોના મિશ્રણ મારફતે વધુ વળતરયુક્ત બનાવવાનો આશય ધરાવે છે, જેની ડિઝાઇન સુગમતા અને પોષણક્ષમતામાં વધારા માટે કરવામાં આવી છે.
આ ગણેશ ચતુર્થીએ ગ્રાહકો વોલ્ટાસ અને વોલ્ટાસ બેકોની પસંદગીની પ્રોડક્ટ્સ પર 15% કેશબેક અને રૂ. 6000 સુધીના લાભો પ્રાપ્ત કરી શકે છે, તેની સાથે અગ્રણી બેન્ક કાર્ડઝ અને ડિજીટલ પેમેન્ટ પ્લેટફોર્મ્સમાં આકર્ષક કેશબેક ઓફર્સ પણ મેળવી શકે છે. ખરીદીની યાત્રાને વધુ સરળ બનાવવા માટે વોલ્ટાસએ ભાગ લેતી બેન્કો અને ધિરાણ ભાગીદારો મારફતેની સરળ ઇએમઆઇ અને ઝીરો ડાઉન પેમેન્ટ સ્કીમ્સ સહિત અસંખ્ય ધિરાણ ઉકેલો પણ રજૂ કર્યા છે. આ ઓફર્સ વોલ્ટાસ અને વોલ્ટા બેકો પ્રોડક્ટ્સના વિશાળ પોર્ટફોલિયોમાં ઉપલબ્ધ છે, જે ગ્રાહકોને તેમના ઘરોને નવીન, ઉર્જા કાર્યક્ષમ અને ટેકનોલોજીકલી એડવાન્સ્ડ એપ્લાયંસિસ સાથે અપગ્રેડ કરવામાં સહાય કરે છે, તેની સાથે સુંદર ધિરાણ સાનુકૂળતાનો પણ આનંદ માણે છે.
આ તહેવાર પરંપરાગત રીતે નવી શરૂઆત, ઘરના અપગ્રેડ અને ગ્રાહક ખર્ચમાં વધારા સાથે સંકળાયેલો છે, જે તેને નવા એપ્લાયંસિસની ખરીદી માટે સૌથી મહત્વપૂર્ણ સમયગાળામાંનો એક બનાવે છે. ભારતીય ગ્રાહકો આરામ, સુવિધા અને રોજિંદા જીવનને વધારતા ઉત્પાદનોમાં રોકાણ કરવાનું ચાલુ રાખે છે, તેથી વોલ્ટાસ એવા ઉકેલો પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે જે ગ્રાહક-કેન્દ્રિત મૂલ્ય દરખાસ્તો સાથે શ્રેષ્ઠ પ્રદર્શનને જોડે છે.
તહેવારને લગતી ગ્રાહક ઓફર્સ પર ટિપ્પણી કરતા, વોલ્ટાસ લિમીટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકુંદન મેનનએ જણાવ્યું હતું કે, “ગણેશ ચતુર્થીએ સમૃદ્ધિ, આનંદ અને નવા શુભારંભની ઉજવણી છે. વોલ્ટાસ ખાતે અમે ગ્રાહકોને તેમના ઘરે નવીન અને ઉર્જા કાર્યક્ષમ પ્રોડક્સ ઘરે લાવવા માટેની તેમને તક આપીને તહેવારની ઉજવણીમાં એક ભાગ બનતા ખુશી અનુભવીએ છીએ, જે આકર્ષક ફાયદાઓ અને ધિરાણ વિકલ્પો સમર્થિત છે. આ તહેવારની ઓફર્સ મારફતે અમે ઘરને અપગ્રેડ કરવાનું ઍક્સેસિબલ અને સુગમ બનાવવાનો હેતુ સાથે ગ્રાહકોને મદદ કરીને તેમના પરિવારો સાથે આરામદાયક અને આધુનિક લિવીંગ સ્પેસનું સર્જન કરવામાં મદદ કરીએ છીએ. અમે આનંદ ફેલાવવાની અને દેશભરના ગ્રાહકો માટે તહેવારની ખરીદીના અનુભવને વધારવાની અપેક્ષા રાખીએ છીએ.”
ગણેશ ચતુર્થી માટે ખાસ ઑફર્સ 14 સપ્ટેમ્બર 2026થી 30 સપ્ટેમ્બર 2026 સુધી સમગ્ર ભારતમાં વોલ્ટાસ બ્રાન્ડ સ્ટોર્સ, અધિકૃત રિટેલ આઉટલેટ્સ અને ભાગીદાર ચેનલો પર ઉપલબ્ધ રહેશે.
