Sunday, March 8, 2026
HomeGujaratAhmedabadચાંગોદરની કેમિકલ ફેક્ટરીમાં આગ ફાટી નીકળતાં નાસભાગ

ચાંગોદરની કેમિકલ ફેક્ટરીમાં આગ ફાટી નીકળતાં નાસભાગ

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

ચાંગોદરમાં નીરવ કેમિકલ નામની ફેક્ટરીમાં આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભારે ઉત્તેજના ફેલાઈ

અમદાવાદ, તા.૨૪
શહેરના ચાંગોદર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી કેમીકલ ફેક્ટરીમાં આજે બપોરે ભીષણ આગ ફાટી નીકળતાં ભારે નાસભાગ મચી ગઇ હતી. વિકરાળ આગના કારણે સમગ્ર વિસ્તારમાં ખાસ કરીને આસપાસના ઇન્ડ્‌સ્ટ્રીયલ એકમોમાં ભારે ચકચાર મચી ગઇ હતી. જા કે, અમદાવાદ ફાયર બ્રિગેડના જવાનોએ ૧૦ ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી જઈને સમયસર આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં કોઇ ઇજા કે જાનહાનિ નહી નોંધાતા સૌકોઇએ રાહતનો દમ લીધો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ચાંગોદર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નીરવ કેમીકલ નામની ફેક્ટરીમાં આજે કોઇક કારણસર રેઝીન કેમીકલનો જથ્થો હતો, તેમાં અચાનક આગ લાગી હતી. કેમીકલ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં અમદાવાદ ફાયરબ્રિગેડના જવાનો દસથી વધુ ફાયર ફાઇટર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમયસર આગને કાબુમાં લઇ લીધી હતી. જા કે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, ચાંગોદર એ વિશાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અને ત્યાં છાશવારે આવી આગની ઘટનાઓ બનતી રહે છે, જેથી કયારેક કોઇ મોટી દુર્ઘટના કે હોનારત ના સર્જાય તેની સતત દહેશત બની રહે છે તેવા સંજાગોમાં અગાઉ ચાંગોદર ઇન્ટ્રસ્ટીયલ એસોસીએશન દ્વારા પણ સરકાર અને સંબંધિત સત્તાવાળાઓને આ વિસ્તારમાં ખાસ ફાયરસ્ટેશન ઉભુ કરવા માંગણી કરેલી છે પરંતુ હજુ સુધી તેની પર કોઇ નિર્ણય લેવાયો નથી. સૌથી નોંધનીય વાત એ છે કે, ચાંગોદર ઇન્ટ્રસ્ટીયલ એરિયામાં કોઇ એકમમાં આગ લાગે ત્યારે અમદાવાદ ફાયરબ્રિગેડના જવાનોને અમદાવાદના શહેરી વિસ્તારના ટ્રાફિકમાંથી નીકળીને ત્યાં પહોંચતા ઓછામાં ઓછી ૪૫ મિનિટ લાગે અને તેથી ત્યાં સુધી ઘણી વાર વાત કાબૂ બહાર જતી રહે તેવું પણ જાખમ બની રહે છે ત્યારે સત્તાવાળાઓએ એસોસીએશનની નવા ફાયરસ્ટેશનની દરખાસ્ત પરત્વે તાકીદે નિર્ણય લેવો જાઇએ તેવી પણ સ્થાનિક એકમોમાં આજે ભારે ચર્ચા ચાલી હતી.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here