દરેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા : ચિદમ્બરમે દાવો કર્યો

0
42
તેમના અને તેમના પુત્રના ખાતા અંગે પ્રશ્ન થયા

નવી દિલ્હી,તા. ૨૨
નાણાંમંત્રી પી. ચિદમ્બરમની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ચિદમ્બરમની મુશ્કેલીઓ હાલ ઓછી થાય તેવા સંકેત દેખાઈ પણ રહ્યા નથી. આજે તેમને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા હતા. જ્યાં ૨૬મી ઓગસ્ટ સુધી રહેશે.

ચિદમ્બરમે કહ્યું હતું કે, તેઓએ દરેક પ્રશ્નોના જવાબ આપ્યા છે. એવા કોઈ પ્રશ્ન નથી જેનો જવાન આપ્યો નથી. પ્રશ્નોની યાદી વાચી શકાય છે. અધિકારીઓએ તેમના અને તેમના પુત્રના ખાતાના સંબંધમાં વાત કરી હતી. બહાર કોઈ ખાતા છે કે કેમ તેવો પ્રશ્ન કરવામાં આવ્યા બાદ સીબીઆઈના અધિકારીઓને કહેવામાં આવ્યું હતું કે તેમનું બહાર કોઈ ખાતુ નથી. તેમના પુત્રના સંબંધમાં પુછવામાં આવતા કહેવામાં આવ્યું હતું કે, તેમના ચોક્કસ પણે વિદેશમાં ખાતા છે. ચિદમ્બરમે તકદાર દલીલો કરી હતી. બીજી બાજુ રાત્રે ધરપકડ કરવાનો આક્ષેપ કરતા તેમના વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે, રાત્રે તેમની કોઈ પુછપરછ
રાત્રે ધરપકડ કરવામાં આવ્યા બાદ રાત્રે કોઈ પુછપરછ કરાઈ ન હતી.