Friday, August 7, 2026
HomeAhmedabadપશ્ચિમ રેલવેના અપર મહાપ્રબંધક શ્રી પ્રદીપ કુમારે ભાવનગર મંડળનું સંરક્ષા નિરીક્ષણ કર્યું

પશ્ચિમ રેલવેના અપર મહાપ્રબંધક શ્રી પ્રદીપ કુમારે ભાવનગર મંડળનું સંરક્ષા નિરીક્ષણ કર્યું

Date:

Related stories

2027માં થિયેટરમાં આવશે YRFની પ્રથમ હોરર ફિલ્મ, વરુણ ધવન...

YRFની પ્રથમ હોરર ફિલ્મમાં વરુણ ધવન લીડ તરીકે જોડાયાપ્રથમ...

સેમસંગ ભારતની એઆઈ પ્રતિભા પાઇપલાઇનના નિર્માણમાં મદદ કરવા સેમસંગ...

7 ઓગસ્ટ, 2026: સેમસંગ ઇન્ડિયા એ સેમસંગ ઇનોવેશન કેમ્પસ...

ઝી સ્ટુડિયોઝનું ગુજરાતી સિનેમામાં ભવ્ય આગમન: સિદ્ધાર્થ રાંદેરિયાની ‘ટોમ...

અમદાવાદ: ભારતીય મનોરંજન જગતમાં પ્રાદેશિક ભાષાની ફિલ્મો સતત નવી...

જીવનયાત્રામાં બાધક બનતી વૃત્તિનું નામ કબંધ છે! અને હરિ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

પશ્ચિમ રેલવેના અપર મહાપ્રબંધક શ્રી પ્રદીપ કુમારે તા. 14 અને 15 મે, 2026 દરમિયાન ભાવનગર મંડળના બોટાદ–ભાવનગર ખંડનું વિગતવાર સંરક્ષા નિરીક્ષણ કર્યું. આ નિરીક્ષણનો મુખ્ય હેતુ રેલ સંરક્ષા, સંચાલન કાર્યક્ષમતા તથા યાત્રી સુવિધાઓની સમીક્ષા કરવાનો હતો.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે તા. 14 મે, 2026ના રોજ અપર મહાપ્રબંધક શ્રી પ્રદીપ કુમારે બોટાદથી ભાવનગર પરા સુધી વિન્ડો ટ્રેલિંગ નિરીક્ષણ કર્યું અને માર્ગમાં રેલ પાટા, સિગ્નલ તથા અન્ય સંરક્ષા સંબંધિત વ્યવસ્થાઓનું અવલોકન કર્યું.
આ જ દિવસે તેમના હસ્તે ભાવનગર પરામાં નવનિર્મિત ટાઇપ-5 રેલવે આવાસોની (5 એકમો) લોકાર્પણ વિધિ યોજાઈ. આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે રેલવેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરતાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું.
નિરીક્ષણ દરમિયાન તેમની સાથે મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્મા, અપર મંડળ રેલ પ્રબંધક શ્રી ઋત્વિક શર્મા તથા મંડળના તમામ શાખા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
ત્યારબાદ અપર મહાપ્રબંધકે ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું. તેમણે મંડળ રેલ પ્રબંધક કચેરીમાં શાખા અધિકારીઓ સાથે બેઠક યોજી અને વિવિધ વિકાસ કાર્યો, સંરક્ષા ઉપાયો તથા સંચાલન વ્યવસ્થાઓની સમીક્ષા કરી. સાથે સાથે નવનિર્મિત મંડળ કચેરીના ભવનનું પણ અવલોકન કર્યું.
તા. 15 મે, 2026ના રોજ શ્રી પ્રદીપ કુમારે બોટાદ રેલવે સ્ટેશનનું સંરક્ષા નિરીક્ષણ કર્યું. આ દરમિયાન સ્ટેશન પર ઉપલબ્ધ સંરક્ષા તથા યાત્રી સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી. આ જ દિવસે તેમના હસ્તે બોટાદ ખાતે નવનિર્મિત રેલવે સુરક્ષા બલ (RPF) કચેરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. નિરીક્ષણ સમયે મંડળના સંબંધિત શાખા અધિકારીઓ પણ હાજર રહ્યા.
આ બે દિવસીય નિરીક્ષણ દરમિયાન અપર મહાપ્રબંધકે સંરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું અને ભાવનગર મંડળમાં આધુનિક સુવિધાઓના વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને યાત્રી સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી.

અતુલ કુમાર ત્રિપાઠી
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ

2027માં થિયેટરમાં આવશે YRFની પ્રથમ હોરર ફિલ્મ, વરુણ ધવન...

YRFની પ્રથમ હોરર ફિલ્મમાં વરુણ ધવન લીડ તરીકે જોડાયાપ્રથમ...

સેમસંગ ભારતની એઆઈ પ્રતિભા પાઇપલાઇનના નિર્માણમાં મદદ કરવા સેમસંગ...

7 ઓગસ્ટ, 2026: સેમસંગ ઇન્ડિયા એ સેમસંગ ઇનોવેશન કેમ્પસ...

ઝી સ્ટુડિયોઝનું ગુજરાતી સિનેમામાં ભવ્ય આગમન: સિદ્ધાર્થ રાંદેરિયાની ‘ટોમ...

અમદાવાદ: ભારતીય મનોરંજન જગતમાં પ્રાદેશિક ભાષાની ફિલ્મો સતત નવી...

જીવનયાત્રામાં બાધક બનતી વૃત્તિનું નામ કબંધ છે! અને હરિ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here