Friday, June 26, 2026
HomeAhmedabadપશ્ચિમ રેલવેના અપર મહાપ્રબંધક શ્રી પ્રદીપ કુમારે ભાવનગર મંડળનું સંરક્ષા નિરીક્ષણ કર્યું

પશ્ચિમ રેલવેના અપર મહાપ્રબંધક શ્રી પ્રદીપ કુમારે ભાવનગર મંડળનું સંરક્ષા નિરીક્ષણ કર્યું

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

પશ્ચિમ રેલવેના અપર મહાપ્રબંધક શ્રી પ્રદીપ કુમારે તા. 14 અને 15 મે, 2026 દરમિયાન ભાવનગર મંડળના બોટાદ–ભાવનગર ખંડનું વિગતવાર સંરક્ષા નિરીક્ષણ કર્યું. આ નિરીક્ષણનો મુખ્ય હેતુ રેલ સંરક્ષા, સંચાલન કાર્યક્ષમતા તથા યાત્રી સુવિધાઓની સમીક્ષા કરવાનો હતો.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે તા. 14 મે, 2026ના રોજ અપર મહાપ્રબંધક શ્રી પ્રદીપ કુમારે બોટાદથી ભાવનગર પરા સુધી વિન્ડો ટ્રેલિંગ નિરીક્ષણ કર્યું અને માર્ગમાં રેલ પાટા, સિગ્નલ તથા અન્ય સંરક્ષા સંબંધિત વ્યવસ્થાઓનું અવલોકન કર્યું.
આ જ દિવસે તેમના હસ્તે ભાવનગર પરામાં નવનિર્મિત ટાઇપ-5 રેલવે આવાસોની (5 એકમો) લોકાર્પણ વિધિ યોજાઈ. આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે રેલવેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરતાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું.
નિરીક્ષણ દરમિયાન તેમની સાથે મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્મા, અપર મંડળ રેલ પ્રબંધક શ્રી ઋત્વિક શર્મા તથા મંડળના તમામ શાખા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
ત્યારબાદ અપર મહાપ્રબંધકે ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું. તેમણે મંડળ રેલ પ્રબંધક કચેરીમાં શાખા અધિકારીઓ સાથે બેઠક યોજી અને વિવિધ વિકાસ કાર્યો, સંરક્ષા ઉપાયો તથા સંચાલન વ્યવસ્થાઓની સમીક્ષા કરી. સાથે સાથે નવનિર્મિત મંડળ કચેરીના ભવનનું પણ અવલોકન કર્યું.
તા. 15 મે, 2026ના રોજ શ્રી પ્રદીપ કુમારે બોટાદ રેલવે સ્ટેશનનું સંરક્ષા નિરીક્ષણ કર્યું. આ દરમિયાન સ્ટેશન પર ઉપલબ્ધ સંરક્ષા તથા યાત્રી સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી. આ જ દિવસે તેમના હસ્તે બોટાદ ખાતે નવનિર્મિત રેલવે સુરક્ષા બલ (RPF) કચેરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. નિરીક્ષણ સમયે મંડળના સંબંધિત શાખા અધિકારીઓ પણ હાજર રહ્યા.
આ બે દિવસીય નિરીક્ષણ દરમિયાન અપર મહાપ્રબંધકે સંરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું અને ભાવનગર મંડળમાં આધુનિક સુવિધાઓના વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને યાત્રી સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી.

અતુલ કુમાર ત્રિપાઠી
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here