Friday, June 26, 2026
HomeGujaratAhmedabadAhmedabad: ગણેશોત્સવની ઉજવણીને લઇને પોલીસ કમિશનરનું જાહેરનામું; નિયમોમાં રહી ઉજવો તહેવાર

Ahmedabad: ગણેશોત્સવની ઉજવણીને લઇને પોલીસ કમિશનરનું જાહેરનામું; નિયમોમાં રહી ઉજવો તહેવાર

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

સાર્વજનિક ગણેશોત્સવ માટે એકતરફ સરકારે મંજૂરી આપી છે, પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. પણ બીજીતરફ કેટલાક સ્થાનિક પોલીસ સ્ટેશનો તરફથી આયોજકોને મંજૂરી જ આપવામાં નથી આવતી. સરકારે સાર્વજનિક ગણેશોત્સવમાં 4 ફૂટની પ્રતિમા મૂકીને ઉજવણી કરવાની છૂટ આપી છે.પરંતુ સ્થાનિક પોલીસે મંજૂરી આપવાનું શરૂ ન કરતાં કચવાટ ફેલાયો છે. અમદાવાદ સાર્વજનિક શ્રીગણેશ મહોત્સવ એસોસિએશને આ અંગે પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કરી છે. અરજી પ્રમાણે, પોલીસ સ્ટેશન તરફથી અરજીઓ સ્વિકારવાનું શરૂ કરાયું છે પણ મંજૂરી આપવામાં આવતી નથી. શહેરના કેટલાક પોલીસ સ્ટેશનમાં સાર્વજનિક ગણેશોત્સવ ન યોજવાની બાંહેધરી લખાવવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી છે.અમદાવાદ સાર્વજનિક ગણેશ મહોત્સવના આયોજન કરતી 300થી 400 જેટલી સંસ્થાઓને સાદગીથી અને સરકારી નિયમોની અમલવારી સાથે ગણેશોત્સવ ઉજવવા અપીલ કરવામાં આવી છે. નાની જગ્યામાં નાની મૂર્તિની સ્થાપના કરી ત્યાં જ વિસર્જન કરવા માટે સમજ આપવામાં આવી છે.સાર્વજનિક કુંડમાં વિસર્જન કરવાથી મોટી સંખ્યામાં લોકો એકત્ર ન થાય, સરઘસ ન યોજાય અને ડીજે ન નીકળે તે માટે એસોસિએશન પ્રયત્નશીલ છે. સરઘસ યોજવાના ન હોવાથી પોલીસ મંજૂરીની જરૂર નથી. આરતી પૂરતાં જ લાઉડ સ્પિકર ચાલુ કરવા અને પંડાલ નાનામાં નાના રાખવા એસોસિએશનો દ્વારા અપીલ કરવામાં આવી છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here