Friday, June 26, 2026
HomeGujaratAhmedabadખતરાની ઘંટી! ગુજરાતમાં મ્યુકરમાઇકોસિસનાં વધી રહ્યાં છે દર્દીઓ પરંતુ ઇન્જેક્શનની અછત

ખતરાની ઘંટી! ગુજરાતમાં મ્યુકરમાઇકોસિસનાં વધી રહ્યાં છે દર્દીઓ પરંતુ ઇન્જેક્શનની અછત

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

એમ્ફોટેરિસિન બી ઈન્જેક્શનના અભાવે દર્દીઓની હાલત બગડી રહી છે. કોરોનાથી સાજા થયેલા પરંતુ મોટે ભાગે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિતની બીમારીથી પીડાતા લોકો આ બ્લેક ફંગસનો શિકાર બની રહ્યા છે.

અમદાવાદ : કોરોનાની બીજી લહેરમાં મ્યુકરમાઇકોસિસ નામના રોગનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યનાં ચાર મહાનગરોની સિવિલ હૉસ્પિટલોમાં જ આના 1100થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. હાલ અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં જ 470થી વધુ દર્દીઓ દાખલ છે. આ સાથે અહીં રોજની 20થી વધુ સર્જરી પણ થઇ રહી છે. અમદાવાદમાં કોરોનાની બીજી લહેરમાં એક બાજુ જ્યારે હવે કોરોનાના દર્દીઓ ઘટી રહ્યા છે, ત્યારે બીજી બાજુ કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોમાં મ્યુકરમાઈકોસિસની સમસ્યા જોવા મળી રહી છે. પરિણામે, સિવિલમાં આના 8 વોર્ડ આ શરૂ કરવામાં આવ્યાં છે જેમાં 6 વોર્ડ પ્રી ઓપેરિટિવ પેશન્ટ વોર્ડ છે જ્યારે બે વોર્ડ પોસ્ટ ઓપરેટિવ વોર્ડ છે. આ સાથે પાંચ ઓપરેશન થીયેટર વોર્ડ છે. સિવિલમાં 470થી વધુ દર્દીઓ મ્યુકરમાઈકોસિસની સારવાર માટે દાખલ છે. એવામાં દર્દીઓની સારવાર માટે જરૂરી ઈન્જેક્શનની પણ અછત દેખાઇ રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ સિવિલમાં રોજના એક હજાર જેટલા ઈન્જેક્શનની જરૂરિયાત સામે સરકાર રોજના 100 જેટલા ઈન્જેક્શન પૂરા પાડે છે. આવી સારવારને કારણે દર્દીઓની સ્થિતિ કથળતી જાય છે અને મોતનો ખતરો પણ મંડાય છે. આ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદીનું કહેવું છે કે, સિવિલમાં મ્યૂકરના 447 દર્દી દાખલ છે. બુધવાર દરમિયાન 26 જેટલી સર્જરી કરવામાં આવી હતી. સિવિલ કેમ્પસની ડેન્ટલ હોસ્પિટલમાં 60થી વધુ દર્દી છે, દર્દીઓનો ધસારો વધતાં ડેન્ટલમાં બીજું ઓપરેશન થિયેટર કાર્યરત્ કરી દેવાયું છે, જ્યાં રોજ સાતથી આઠ સર્જરી થઈ રહી છે. ઈન્જેક્શનની ભારે અછતના કારણે ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સારવારમાં મુશ્કેલી પડી રહી છે, કેટલાક તો સિવિલમાં ઈન્જેક્શન મળી રહેશે તેવી આશાએ આ સરકારી હોસ્પિટલે દોડી રહ્યા છે. એમ્ફોટેરિસિન બી ઈન્જેક્શનના અભાવે દર્દીઓની હાલત બગડી રહી છે. કોરોનાથી સાજા થયેલા પરંતુ મોટે ભાગે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિતની બીમારીથી પીડાતા લોકો આ બ્લેક ફંગસનો શિકાર બની રહ્યા છે. જૂની સિવિલમાં ત્રીજો માળ મ્યૂકર માટે ફાળવાયેલો છે, આ સિવાય 1200 બેડમાં પણ દર્દીઓ છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here