Sunday, June 28, 2026
Homenationalગોગામેડી હત્યા કેસમાં મોટો ખુલાસો: કરણી સેના અધ્યક્ષ પર ફાયરિંગ કરનાર નિકળ્યો...

ગોગામેડી હત્યા કેસમાં મોટો ખુલાસો: કરણી સેના અધ્યક્ષ પર ફાયરિંગ કરનાર નિકળ્યો આર્મી જવાન, લગ્નનું કાર્ડ આપવાના બહાને ઘરમા ઘુસ્યા હત્યારા

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

જયપુર : શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના તાર પાડોસી રાજ્ય હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લા સાથે જોડાયેલા છે. એક શૂટર જવાન નીતિન મહેન્દ્રગઢના ડૌંગડા જાટનો રહેવાસી છે. નીતિન હાલમાં આર્મીમાં ફરજ બજાવી રહ્યો છે અને તે અલવરમાં પોસ્ટિંગ પર છે. જોકે આ સમગ્ર મામલે પોલીસ કંઈપણ કહેવાનો ઈન્કાર કરી રહી છે. રાજસ્થાનમાં થયેલા ગોગામેડી હત્યાકાંડમાં પોલીસે બે આરોપીઓની ઓળખ કરી લીધી છે. એક આરોપીનું નામ રોહિત રાઠોડ છે. જે નાગૌરના મકરાનાનો રહેવાસી છે. બીજી તરફ જવાન નીતિન હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાનો રહેવાસી છે. મહેન્દ્રગઢના ડૌંગડા જાટ ગામનો રહેવાસી જવાન નીતિન અલવરમાં 19 જાટ રેજિમેન્ટમાં તૈનાત હતો. વર્ષ 2019માં ભારતીય સેનામાં ભરતી થયો હતો. તેમણે 8 નવેમ્બરના રોજ બે દિવસની રજા લીધી હતી અને તે પછી તે પોતાની ડ્યૂટી પર પરત ફર્યો જ નહી. આ મામલે નીતિનના પિતાએ જણાવ્યું કે, મારો પુત્ર 9 નવેમ્બરના રોજ 11 વાગ્યે ઘરેથી મહેન્દ્રગઢ ગાડી રિપેર કરાવવા માટે ગયો હતો ત્યારબાદથી મારો તેની સાથે કોઈ સંપર્ક નથી થયો. 22 વર્ષનો નીતિન બે ભાઈઓમાંથી એક છે અને તેમની એક બહેન પણ છે. નીતિનનો ભાઈ વિકાસ પણ 19 જાટ રેજિમેન્ટમાં તૈનાત છે. બધા ભાઈ-બહેનો લગ્ન થઈ ચૂકેલા છે. નીતિનના પણ એક વર્ષ પહેલા લગ્ન થયા હતા. અપહરણ કેસમાં આવ્યુ હતું નીતિનનું નામ પ્રાપ્ત માહિતી પ્રમાણે 10 નવેમ્બરના રોજ મહેન્દ્રગઢના સદરમાં પ્રતાપ ઉર્ફે ગોવિંદ શર્માનું અપહરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ ગ્રામજનોએ સમયસર પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ વાહનનો પીછો કરી અપહરણ કરાયેલ વ્યક્તિને છોડાવી લીધો હતો. પોલીસે આ કેસમાં આરોપી કુલદીપ રાઠી સહિત અન્ય બેની ધરપકડ કરી હતી. જ્યારે જવાન નીતિન ભાગી ગયો હતો. સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના ઠીક પહેલા નીતિનની આ ગુનાહિત પૃષ્ઠભૂમિ છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here