Saturday, August 29, 2026
HomePolitics'ભાજપવાળા સોદો કરે છે, સન્માન નહીં...' બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવનાં તીખા પ્રહાર

‘ભાજપવાળા સોદો કરે છે, સન્માન નહીં…’ બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવનાં તીખા પ્રહાર

Date:

Related stories

ભારતમાં સૌપ્રથમ યામાહા YZF-R2 વૈશ્વિક સ્તરે પદાર્પણ કરે છે;...

• YZF-R2 ભારતમાં Rs. 2,30,500 રૂપિયામાં લોન્ચ થયું; 3...

ગોદરેજ પ્રોપર્ટીઝ અને ઝીન્ટિયોએ ભારતના લૉ-કાર્બન કન્સ્ટ્રક્શન મટિરિયલ્સને વેગ...

ગોદરેજ પ્રોપર્ટીઝ (જીપીએલ)ની નવી સીએસઆર પહેલ, જે લૉ-કાર્બન મટિરિયલ...

સેલર્સને એઆઈ -સંચાલિત ટૂલ્સ અને નિષ્ણાત એડવર્ટાઇઝિંગ સપોર્ટ સાથે...

ભારતનું દેશી ઈ-કોમર્સ માર્કેટપ્લેસ, ફ્લિપકાર્ટે 'સારથિ' લોન્ચ કરવાની જાહેરાત...

રક્ષાનાં બંધનથી બંધાયેલ શ્રીકૃષ્ણ એ દ્રૌપદીનું ચીરહરણ થયુ ત્યારે...

સદગુરુ કૃપા હી કેવલમ.રક્ષાબંધનપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. રક્ષાનાં બંધનથી બંધાયેલ...

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

બિહાર: નીતીશ કુમાર ફરી એનડીએમાં જોડાઈ ગયા બાદ બિહારના 9મી વખત મુખ્યમંત્રી બની જવામાં સફળ રહ્યા હતા પરંતુ હવે આજે વિધાનસભામાં તેમની આ સરકારે વિશ્વાસ મત મેળવવાનો હતો. જેના પર ગંભીર ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચામાં ભાગ લેતાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે ભાજપ અને નીતીશ કુમાર બંનેને ઘેર્યા હતા. બિહારમાં અવધ બિહારી ચૌધરીને વિધાનસભા સ્પીકર પદેથી હટાવવાનો પ્રસ્તાવ ધ્વનિ મતથી પસાર કરાયો હતો. આ પ્રસ્તાવ પર વોટિંગ પણ થઈ અને તેના પછી સ્પીકરની તરફેણમાં 125 અને વિરુદ્ધમાં 112 વોટ આવ્યા હતા.સમ્રાટ ચૌધરીની પાઘડી વિશે તેજસ્વીએ કહ્યું કે, ‘તેમને અમારા કાકાએ પાઘડી ઉતારવાની સલાહ આપી હશે. સમ્રાટ ચૌધરીના પિતા અમારી પાર્ટીમાં રહ્યા છે, તેમણે નીતિશ વિશે શું કહ્યું છે તે અમે જણાવવા માંગતા નથી. બિહારના બાળકોને પૂછો કે તેઓ કયા શબ્દોનો ઉપયોગ કરશે, અમે તે કહી શકતા નથી.તેજસ્વી યાદવે આક્રમક અંદાજમાં કહ્યું કે, ‘તમારે અમને જણાવી દેવાની જરૂર હતી કે તમે અમને છોડીને જઈ રહ્યા છો. 2020માં આપણે ગઠબંધન બનાવ્યું હતું પરંતુ આપણા ગઠબંધનમાં કોઈ તકલીફ નહોતી. અમે હવે એકલા જ મોદીને બિહારમાં રોકીશું.’નીતીશ કુમાર પર પ્રહાર કરતા તેજસ્વીએ કહ્યું, ‘નીતીશ કુમારે અમને પહેલા પણ આશીર્વાદ આપ્યા હતા કે હવે અમે જ આગળ વધીશું. અમે માનીએ છીએ કે અમે વનવાસ કરવા આવ્યા નથી. નીતીશજીએ અમને કહ્યું હતું કે ભાજપના લોકો અમને ફસાવવા માટે ED-CBIનો ઉપયોગ કરે છે. આખરે શું થયું કે તમારે આ નિર્ણય લેવો પડ્યો? તમે કહ્યું હતું કે અમે NDA છોડી દીધું છે કારણ કે અમારી પાર્ટીને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તમે કહ્યું હતું કે અમારો એકમાત્ર ઉદ્દેશ્ય દેશભરના વિરોધ પક્ષોને એક કરવાનો છે. તમે તમારી વાતથી ફરી ગયા.’આરજેડી નેતાએ કહ્યું કે, ‘અમે કહ્યું હતું કે જો અમે તમારી સાથે આવીશું તો તમે અમને ખાતરી આપો કે અમને વચન આપ્યા મુજબ 10 લાખ નોકરીઓ આપીશું, ત્યારબાદ સીએમએ કહ્યું કે નાણા સચિવ જતા રહ્યા છે. તે તમને સમજાવશે. તેઓ અમને ફાઇલ બતાવે છે, તે કેવી રીતે થશે. અમે કહ્યું કે આ કામ અમારે કોઈપણ સંજોગોમાં કરવાનું છે. તમે કહેતા હતા કે તે અશક્ય હતું, પરંતુ અમે તેને 17 મહિનામાં હાંસલ કરી લીધું. અમે થાકેલા મુખ્યમંત્રીને દોડાવવાનું કામ કર્યું.’બિહારના વિકાસને લઈને તેજસ્વીએ કહ્યું કે, ‘અમે બિહારના હિત અને પ્રગતિ માટે કામ કરવા માગીએ છીએ. જ્યાં સુધી સરકારમાં સ્થિરતા નહીં હોય ત્યાં સુધી વિકાસ શક્ય જ નથી. અમને જેડીયુના ધારાસભ્યો પ્રત્યે દુઃખ થાય છે. પ્રજાને તેઓ શું જવાબ આપશે. તમને કોઈ પૂછશે કે નીતીશજી તમે 3-3 વખત શપથ લીધા, તો શું જવાબ આપશો? તેજસ્વીએ કહ્યું કે અમારી પાસે તો કહેવા માટે છે કે અમે નોકરીઓ આપી.

ભારતમાં સૌપ્રથમ યામાહા YZF-R2 વૈશ્વિક સ્તરે પદાર્પણ કરે છે;...

• YZF-R2 ભારતમાં Rs. 2,30,500 રૂપિયામાં લોન્ચ થયું; 3...

ગોદરેજ પ્રોપર્ટીઝ અને ઝીન્ટિયોએ ભારતના લૉ-કાર્બન કન્સ્ટ્રક્શન મટિરિયલ્સને વેગ...

ગોદરેજ પ્રોપર્ટીઝ (જીપીએલ)ની નવી સીએસઆર પહેલ, જે લૉ-કાર્બન મટિરિયલ...

સેલર્સને એઆઈ -સંચાલિત ટૂલ્સ અને નિષ્ણાત એડવર્ટાઇઝિંગ સપોર્ટ સાથે...

ભારતનું દેશી ઈ-કોમર્સ માર્કેટપ્લેસ, ફ્લિપકાર્ટે 'સારથિ' લોન્ચ કરવાની જાહેરાત...

રક્ષાનાં બંધનથી બંધાયેલ શ્રીકૃષ્ણ એ દ્રૌપદીનું ચીરહરણ થયુ ત્યારે...

સદગુરુ કૃપા હી કેવલમ.રક્ષાબંધનપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. રક્ષાનાં બંધનથી બંધાયેલ...

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here