Friday, June 5, 2026
HomeSportsCricketઅમદાવાદમાં રમાશે IPL!: ગાંગુલીએ લીગ રમવાનું સ્થળ નક્કી કરી લીધું, મોદી સ્ટેડિયમમાં...

અમદાવાદમાં રમાશે IPL!: ગાંગુલીએ લીગ રમવાનું સ્થળ નક્કી કરી લીધું, મોદી સ્ટેડિયમમાં પ્લે ઓફ રમાઈ શકે

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

BCCI પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ IPL 2022 માટે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. દાદાએ કહ્યું છે કે આ સિઝનની તમામ લીગ મેચો માત્ર મહારાષ્ટ્રમાં જ રમાશે. ત્યારપછી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્લેઓફ મેચોનું આયોજન કરાઈ શકે છે. જોકે BCCIએ હજુ સુધી IPL 2022 માટે સ્થળ નક્કી કર્યું નથી, પરંતુ આ વખતે IPL ભારતમાં રમાય તેવી પૂરી સંભાવના છે. અગાઉ, IPL 2020 અને IPL 2021ની હાફ સિઝન UAEમાં રમાઈ હતી, પરંતુ આ સિઝનમાં BCCI UAEમાં IPLનું આયોજન કરાવવા માગતું નથી.સૌરવ ગાંગુલીએ સ્પોર્ટ્સ સ્ટાર સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે IPL 2022ની લીગ મેચો મહારાષ્ટ્રમાં રમાશે. આ તમામ મેચો મુંબઈ, નવી મુંબઈ અને પુણેના મેદાનમાં રમાઈ શકે છે. જ્યારે પ્લેઓફ મેચો માટે કયું શહેર અને સ્ટેડિયમ પસંદ કરાશે એ અંગે જાણકારી ટૂંક સમયમાં રજૂ કરાશે. તેવામાં અમદાવાદમાં સ્થિત વર્લ્ડનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ આ રેસમાં સૌથી આગળ છે. અહીં પ્લે ઓફની મેચ રમાઈ એવી સંભાવના વધારે જણાઈ રહી છે.BCCIએ IPL 2020 સંપૂર્ણ સિઝન અને IPL 2021ની અડધી સિઝન UAEમાં આયોજિત કરી હતી. આ સિવાય T20 વર્લ્ડ કપ 2021નું પણ દુબઈમાં આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય ક્રિકેટ બોર્ડે અમીરાત ક્રિકેટ બોર્ડને IPL 2020 અને 2021ની હાફ સિઝનની યજમાની કરવા માટે 150 કરોડ રૂપિયા આપ્યા હતા.બીજી બાજુ જોવા જઈએ તો UAEમાં માત્ર 3 મેદાન જ છે અને અહીં ઝાકળનું પ્રમાણે વધારે હોવાથી રાત્રે બીજી બોલિંગ કરતી ટીમને મુશ્કેલી પડી શકે છે. જેથી ટોસનું મહત્ત્વ વધી જાય છે. વળી તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપમાં પણ ટોસ જીતનારી ટીમે મોટાભાગની મેચો જીતી હતી. આનાથી ક્રિકેટનો રોમાંચ સમાપ્ત થઈ જાય છે. આ જ કારણ છે કે BCCI UAEમાં IPL કરાવવા માગતું નથી.મેગા ઓક્શન પહેલા BCCIના સૂત્રોએ ANIને જણાવ્યું છે કે બોર્ડ IPL 2022ની સિઝનનનું આયોજન ભારતમાં જ કરશે, પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા એકપણ દર્શકને સ્ટેડિયમમાં મેચ જોવાની અનુમતિ મળશે નહીં. 22 જાન્યુઆરી, શનિવારે BCCI અને ફ્રેન્ચાઈઝીના માલિકો વચ્ચે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આની સાથે જ બોર્ડ હવે મુંબઈના 3 સ્ટેડિયમ- વાનખેડે, ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા (CCI),ડીવાઈ પાટિલ તથા જરૂર જણાશે તો પુણેમાં જ આખી સિઝનનું આયોજન કરવાનો પ્લાન બનાવી રહ્યું છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here