Friday, June 5, 2026
HomeAhmedabad

Ahmedabad

દસક્રોઈમાં હીટ એન્ડ રનની ઘટનામાં 3 વર્ષના માસૂમનું મોત,

મૂળ મહેસાણા જિલ્લાના વતની અને હાલ ગામડી ગામ પાસે રહીને મજૂરી કામ કરતા નવઘણભાઈ ઝાલાનો સાડા ત્રણ વર્ષનો પુત્ર ક્રિષ્ણા આ અકસ્માતનો ભોગ બન્યો...

તા. 22 મે, 2026 ના રોજ સેન્ટ્રલ બેંક ઑફ ઈન્ડિયા દ્વારા રિટેલ ક્રેડિટ આઉટરીચ અભિયાનનું આયોજન

તા. 22.06.2026 ના રોજ સેન્ટ્રલ બેંક ઑફ ઈન્ડિયા, ક્ષેત્રીય કાર્યાલય, વડોદરા દ્વારા સયાજીગંજી ખાતે મેગા રિટેલ આઉટરીચ કેમ્પેઈન નું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડોદરા...

માંગમાં અસાધારણ ઉછાળા વચ્ચે પણ PSU OMCs દ્વારા પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પુરવઠો સતત ચાલુ રાખવામાં આવ્યો છે

સ્ટેટ લેવલ કોઓર્ડિનેટર (SLC) ગુજરાત દ્વારા જણાવવામાં આવ્યું છે કે પબ્લિક સેક્ટરની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) — ઇન્ડિયન ઓઇલ, BPCL અને HPCL —રાજ્ય અને...

Array ફાઇનાન્સિયલ સર્વિસીસ દ્વારા અમદાવાદમાં SMEs માટે નાણાકીય જાગૃતિ અને સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ અંગે શૈક્ષણિક સેમિનારનું આયોજન

અમદાવાદ, ૨૨ મે, ૨૦૨૬ — સમગ્ર દેશમાં નાણાકીય જાગૃતિ વધારવાના મક્કમ ઉદ્દેશ્ય સાથે, અમદાવાદ સ્થિત Array ફાઇનાન્સિયલ સર્વિસીસ દ્વારા તાજેતરમાં "બચત અને સ્માર્ટ રોકાણ...

અમદાવાદના SG હાઈવે પર તંત્રનો નવતર પ્રયોગ, સિગ્નલ બંધ, સીધા ક્રોસિંગ પર નો-એન્ટ્રી…: 

એસ.જી. હાઇવે પર આવેલ પેલેડિયમ મોલ જંકશન અને ઇસ્કોન મંદિર નજીક ચારેય દિશામાંથી આવતો ટ્રાફિક વિના અવરોધે સતત આગળ વધતો રહે તે માટે સિગ્નલફ્રી...

ડેટિંગ એપ પર ક્રાઈમ બ્રાન્ચના નકલી PSI બનીને યુવતી સાથે ઠગાઈ

 લગ્નની લાલચ આપી 79 હજારથી વધુ પડાવ્યા અમદાવાદમાં ડેટિંગ એપના માધ્યમથી પોતાને ક્રાઇમ બ્રાન્ચનો સાયબર સિક્યોરિટી ઓફિસર ઓળખાવી, એક યુવતીને લગ્નની જાળમાં ફસાવીને હજારો રૂપિયા...

અમદાવાદમાં ડેન્ગ્યુ સામે તૈયારી: શહેરમાં ડેન્ગ્યુ સિઝનની શરૂઆત વચ્ચે વહેલી તપાસ શા માટે મહત્વપૂર્ણ છે

મોસમી પરિસ્થિતિઓ મચ્છરના પ્રજનન માટે અનુકૂળ બનતાં ડોક્ટર્સે અમદાવાદના નાગરિકોને સતત આવતો તાવ સામાન્ય વાયરસજન્ય બીમારી સમજીને તેની અવગણના ન કરવા અપીલ કરી અમદાવાદમાં એવા મોસમી સમયગાળાની શરૂઆત થઈ રહી છે જ્યારે સામાન્ય રીતે ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળે છે. આવી સ્થિતિમાં ડોક્ટર્સે નાગરિકોને સાવચેત રહેવા અને સતત રહેતા તાવને “સામાન્ય વાયરલ ઇન્ફેક્શન” સમજીને અવગણના ન કરવા અનુરોધ કર્યો છે. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન અને તે બાદ ડેન્ગ્યુના કેસોમાં વધારો નોંધાતો હોય છે, પરંતુ તબીબી નિષ્ણાંતોનું કહેવું છે કે મોસમી પરિવર્તનના આ તબક્કામાં સજ્જતા અને વહેલી તકે તપાસ કરાવવાથી ગંભીર જટિલતાઓનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. “અમદાવાદમાં ડેન્ગ્યુની સિઝનની શરૂઆત સાથે અમે સૌથી સામાન્ય જે ચિંતા જોીએ છીએ તે મોડું ટેસ્ટિંગ કરાવવાની છે, કારણ કે દર્દીઓ સતત રહેતા તાવને સામાન્ય વાયરલ ઇન્ફેક્શન માની લે છે. ડેન્ગ્યુના લક્ષણો શરૂઆતના તબક્કામાં અનેક મોસમી બીમારીઓ જેવા હોઈ શકે છે, તેથી સમયસર નિદાનાત્મક તપાસ કરાવવી જરૂરી બની જાય છે, જેથી ડોક્ટર્સ વિવિધ ચેપ વચ્ચે ભેદ કરી શકે અને દર્દીઓનું યોગ્ય રીતે મોનિટરીંગ કરી શકે. અમે લોકોને સલાહ આપીએ છીએ કે જો તાવ બે થી ત્રણ દિવસથી વધુ સમય સુધી રહે, ખાસ કરીને તે સાથે શરીરમાં ભારે દુઃખાવો, અસામાન્ય થાક અથવા નબળાઈ હોય, તો તેને અવગણવો નહીં,” એમ અમદાવાદ સ્થિત ન્યુબર્ગ સુપ્રાટેક લેબ્સના ટેકનિકલ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ ડો. આકાશ શાહે જણાવ્યું હતું. બીજી એક સામાન્ય ગેરસમજ એ છે કે માત્ર પ્લેટલેટની સંખ્યા જ રોગની ગંભીરતા નક્કી કરે છે. ડોક્ટર્સ ચેતવણી આપે છે કે માત્ર પ્લેટલેટ લેવલ પર આધાર રાખવાથી સારવારમાં મોડું થઈ શકે છે, કારણ કે ડેન્ગ્યુની ગંભીરતા અનેક ક્લિનિકલ અને લેબોરેટરી સંકેતો પર આધારિત હોય છે. યોગ્ય મોનિટરીંગ અને જટિલતાઓથી બચવા માટે સમયસર તબીબી મૂલ્યાંકન અને માર્ગદર્શન અત્યંત જરૂરી છે. અમદાવાદમાંથી પ્રાપ્ત નાગરિક આરોગ્ય સંબંધિત આંકડા મુજબ, શહેરમાં જાન્યુઆરીથી નવેમ્બર 2025 દરમિયાન ડેન્ગ્યુના 1,459 કેસ નોંધાયા હતા. આ આંકડા દર્શાવે છે કે ચોમાસા અને ચોમાસા બાદના સમયગાળામાં મચ્છરજન્ય રોગોની મોસમી સમસ્યા પ્રદેશમાં યથાવત રહી હતી. આ માહિતી ગુજરાતના શહેરી વિસ્તારોમાં, ખાસ કરીને વરસાદ, ભેજ અને પાણી ભરાઈ રહે તેવી પરિસ્થિતિ દરમિયાન ડેન્ગ્યુ ફેલાવવા માટે વારંવાર જોવા મળતી પેટર્ન દર્શાવે છે. ડેન્ગ્યુના મોસમી વધારા દરમિયાન તેને મેનેજ કરવામાં સૌથી મોટો પડકાર મોડું નિદાન થવાનું છે, કારણ કે શરૂઆતના લક્ષણો સામાન્ય વાયરલ બીમારીઓ જેવા જ હોય છે. તાવ, માથાનો દુઃખાવો, શરીરમાં દુઃખાવો, થાક, નબળાઈ, ઉબકા અને સામાન્ય અસ્વસ્થતા જેવા લક્ષણોને લોકો ઘણીવાર સામાન્ય મોસમી ચેપ સમજી લે છે, જેના કારણે ઘણા લોકો ડોક્ટરની સલાહ લેવામાં મોડું કરે છે અથવા પોતે જ દવા લેવાનું શરૂ કરે છે. ડોક્ટર્સનું કહેવું છે કે વહેલી તપાસ એટલા માટે જરૂરી બને છે કારણ કે ડેન્ગ્યુના પ્રારંભિક તબક્કામાં ગંભીર ચેતવણીજનક લક્ષણો દેખાતા નથી, જેના કારણે તેને અન્ય વાયરસજન્ય તાવથી અલગ ઓળખવું મુશ્કેલ બની શકે છે. સામાન્ય માન્યતાથી વિપરીત, લોકોને લક્ષણો વધુ ગંભીર બને અથવા પ્લેટલેટની સંખ્યા ઘટે તેની રાહ જોવાને બદલે તાત્કાલિક તબીબી સલાહ લેવાની ભલામણ કરવામાં આવે છે. અમદાવાદના હવામાનમાં વચ્ચે વચ્ચે વરસાદ, વધતો ભેજ, તાપમાનમાં ફેરફાર અને પાણી ભરાઈ રહેવાની સ્થિતિ જોવા મળતી હોય છે જે મચ્છરના પ્રજનન માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરે છે. બાંધકામ ચાલી રહ્યું હોય તેવા સ્થળો, ઓવરહેડ પાણીની ટાંકી, કૂલર, ફૂલદાની તેમજ રહેણાંક વિસ્તારોની આસપાસ ભરાયેલું સ્થિર પાણી શહેરી વિસ્તારોમાં મચ્છરોના મુખ્ય પ્રજનન કેન્દ્રો તરીકે યથાવત્ રહ્યા છે. 

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read