Monday, June 29, 2026
HomenationalCORONA: લખનઉ-NCRના જિલ્લાઓમાં માસ્ક ફરજિયાત, દેશમાં 24 કલાકમાં કોરોનાના કેસ 90% વધ્યા

CORONA: લખનઉ-NCRના જિલ્લાઓમાં માસ્ક ફરજિયાત, દેશમાં 24 કલાકમાં કોરોનાના કેસ 90% વધ્યા

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

દેશમાં એક વાર ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે. દેશમાં રવિવારે કોરોનાના 2,183 કેસ નોંધાયા હતા. જે શનિવારની સરખામણીએ 89.8% વધારે છે. શનિવારે 1,150 કેસ નોંધાયા હતા. કોરોનાથી મૃતકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. રવિવારે 214 લોકોના મોત નોંધાયા છે. 212 મોક કેરળના બેકલોગ ડેટાની છે જ્યારે એક મોત ઉત્તરપ્રદેશમાં નોંધાયું છે.

લખનઉ-NCRના જિલ્લાઓમાં માસ્ક ફરજિયાત

ઉત્તરપ્રદેશની સીમા સાથે જોડાયેલા અમુક રાજ્યોમાં કોવિડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એનસીઆરના જિલ્લા અને લખનઉમાં માસ્ક ફરજિયાત પહેરવાના આદેશ આપવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ કહ્યું છે કે, એનસીઆરના ગૌતમબુદ્ધ નગર, ગાઝિયાબાગ, હાપુડ, મેરઠ, બુલંદશહર, બાગપત અને લખનઉના મુખ્ય શહેરોમાં જાહેર જગ્યાઓએ માસ્ક પહેરવું ફરજિયાત છે. આ વિસ્તારોમાં જે લોકોને વેક્સિન બાકી છે તેવા લોકોને શોધીને વેક્સિનેટ કરવામાં આવે. પબ્લિક એડ્રેસ સિસ્ટમનો પ્રભાવી રીતે ઉપયોગ કરવામાં આવે. જેનામાં થોડા પણ લક્ષણ દેખાય તેમનું તુરંત ટેસ્ટિંગ કરવામાં આવે. મુખ્યમંત્રી યોગીએ સોમવારે રાજ્યમાં જિલ્લાવાર કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી.

જાન્યુઆરીમાં આવેલી ત્રીજી લહેર પછી સતત 11 સપ્તાહથી કેસ ઘટી રહ્યા હતા. પરંતુ છેલ્લા સાત દિવસથી (11થી 17 એપ્રિલમાં) કોરોનાના કેસમાં 35%નો વધારો થયો છે. જોકે આ કેસ માત્ર દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં વધી રહ્યા છે.

રવિવારે પૂરા થતાં સપ્તાહમાં દેશમાં અંદાજે 6,610 કોરોના કેસ નોંધાયા છે. તેના ગયા સપ્તાહે દેશમાં 4,900 કેસ મળ્યા હતા. કોરોનાથી થતાં મોતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગયા સપ્તાહમાં માત્ર 27 લોકોના કોરોના સંક્રમણમાં મોત થયા છે. અહીં 23થી 29 માર્ચ, 2020ના સપ્તાહ પછી એક પણ સપ્તાહમાં સૌથી ઓછા મોત થયા છે. આ પહેલાં ગયા સપ્તાહમાં 54 મોત નોંધાયા છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here