
અમદાવાદ, ૧૭ જુલાઈ, ૨૦૨૬: જીએલએસ યુનિવર્સિટી દ્વારા ‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’ શ્રેણી અંતર્ગત એક અત્યંત પ્રેરણાદાયી અને રસપ્રદ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા પોડકાસ્ટર અને સ્ટોરીટેલર શ્રી જય ઠાટેશ્વર વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જીએલએસ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુશ્રી ચાંદની કાપડિયા દ્વારા સંચાલિત આ સત્રમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો અને યુવા મહત્વાકાંક્ષી વ્યાવસાયિકો ઉદ્યોગસાહસિકતા, સર્જનાત્મકતા, વ્યક્તિગત વિકાસ, કોમ્યુનિકેશન સ્કિલ્સ અને સ્ટોરીટેલિંગની બદલાતી દુનિયા પરના આ સમૃદ્ધ સંવાદમાં સહભાગી થયા હતા.
આ સંવાદમાં શ્રી જય ઠાટેશ્વરની વ્યાવસાયિક ઓળખથી પરની સફરનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં તેમના અનુભવો, શિખામણો અને તેમના કાર્યને આકાર આપતી ફિલસૂફી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ચર્ચા દરમિયાન ઝડપથી બદલાતી દુનિયામાં પ્રમાણિકતા, જિજ્ઞાસા, સ્થિતિસ્થાપકતા અને પોતાના આગવા અવાજને ઓળખવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
વાતચીત દરમિયાન શ્રી જય ઠાડેશ્વર બ્રાન્ડ્સને તેમના ગ્રાહકોને સમજવામાં અને ઓળખ ઊભી કરવામાં મદદ કરવાથી લઈને પોતાના પ્લેટફોર્મ દ્વારા અર્થપૂર્ણ સંવાદો રચનારા સ્ટોરીટેલર બનવા સુધીની સફરના મૂલ્યવાન વિચારો શેર કર્યા હતા. તેમણે સ્ટોરીટેલિંગની શક્તિ વિશે વાત કરી અને જણાવ્યું કે કેવી રીતે સાચી વાર્તાઓ લોકોને પ્રભાવિત કરી શકે છે, સમુદાયોને પ્રેરણા આપી શકે છે અને લાંબા ગાળાની અસર ઊભી કરી શકે છે.
આ સંવાદનું એક મુખ્ય આકર્ષણ શ્રી જય ઠાટેશ્વર દ્વારા તેમની પોડકાસ્ટ સફરને ગુજરાતી ભાષાની આસપાસ કેન્દ્રિત કરવાનો નિર્ણય હતો. તેમણે પ્રાદેશિક ભાષાઓના વધતા પ્રભાવ પર પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો અને જણાવ્યું કે કેવી રીતે સંસ્કૃતિ અને ઓળખ ડિજિટલ યુગમાં મજબૂત પ્રભાવ ઊભો કરવાની સાથે ઓડિયન્સ સાથે ઊંડાણપૂર્વક જોડાઈ શકે છે.
આ ચર્ચામાં મહત્વાકાંક્ષા, ઉદ્યોગસાહસિકતા, મૂલ્યો અને વ્યક્તિગત માન્યતાઓ વચ્ચેના સંતુલનની પણ ચર્ચા કરવામાં આવી હતી. શ્રી જય ઠાડેશ્વર વ્યવસાય, આધ્યાત્મિકતા અને હેતુ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા અને વ્યાવસાયિક સફળતા મેળવતી વખતે વિઝનની સ્પષ્ટતા જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા શ્રી જય ઠાડેશ્વર આજની પેઢી સમક્ષ રહેલી તકો અને પડકારો વિશે વાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયાની અસર, સતત થતી સરખામણીઓ અને સફળ થવાના દબાણ વિશે વાત કરી હતી અને યુવા માનસોને સતત શીખવા, સ્વ-વિકાસ અને અર્થપૂર્ણ યોગદાન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ સંવાદમાં ઉદ્યોગસાહસિકો, ઉદ્યોગપતિઓ, કલાકારો અને જાહેર હસ્તીઓ સહિત વિવિધ ક્ષેત્રોની અગ્રણી હસ્તીઓનો ઇન્ટરવ્યુ લેવાના તેમના અનુભવો વિશે પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. શ્રી જય ઠાડેશ્વર લોકોને સમજવા, પ્રભાવશાળી પ્રશ્નો પૂછવા અને ઉપરછલ્લી ચર્ચાઓથી આગળ વધીને ગહન સંવાદો રચવાના તેમના અભિગમને શેર કર્યો હતો.
બ્રિટિશ પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમન્સમાં ‘યંગ ઇન્ડિયા’ના અવાજનું પ્રતિનિધિત્વ કરવાના પોતાના અનુભવને શેર કરતા શ્રી જય ઠાડેશ્વર વૈશ્વિક મંચો પર પ્રભાવ ઊભો કરવા માટે કમ્યુનિકેશન, જિજ્ઞાસા અને આત્મવિશ્વાસની શક્તિ પર પ્રકાશ પાડ્યો હતો. ગુજરાતના એક નાના શહેરમાં ઉછેર થવાથી લઈને વૈશ્વિક શ્રોતાઓને સંબોધિત કરવા સુધીની તેમની સફર દર્શાવે છે કે મહત્વાકાંક્ષા, જિજ્ઞાસા અને અસરકારક સંચાર ભૌગોલિક સીમાઓને પાર કરી શકે છે. શ્રી ઠાટેશ્વરના જણાવ્યા અનુસાર, જે વ્યક્તિ જીવન પ્રત્યે જિજ્ઞાસુ રહે છે, સતત શીખતી રહે છે, વ્યાપક દ્રષ્ટિકોણ કેળવે છે અને પોતાના વિચારો વ્યક્ત કરવાની હિંમત રાખે છે, તે વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચો પર પોતાની જાતને અને પોતાના વિચારોને રજૂ કરી શકે છે. તેમણે વિદ્યાર્થીઓને જિજ્ઞાસા કેળવવા, સંચાર કૌશલ્ય વિકસાવવા અને અર્થપૂર્ણ યોગદાન વિશ્વના કોઈપણ ખૂણેથી આવી શકે છે તેવો વિશ્વાસ રાખવા પ્રેરણા આપી હતી.
પોતાની વ્યક્તિગત સફરને યાદ કરતા શ્રી જય ઠાડેશ્વર જણાવ્યું હતું કે, “ક્યારેક જીવન તમને સીધા તમારા સ્વપ્ન તરફ નથી લઈ જતું, તે તમને એવા અનુભવોમાંથી પસાર કરે છે જે તમને તેના માટે તૈયાર કરે છે. જે એક સમયે ગુમાવેલી તક જેવું લાગતું હોય, તે ભવિષ્યમાં કંઈક ઘણું મોટું કરવા માટેનો પાયો બની શકે છે.”
આ કાર્યક્રમનું સમાપન શ્રી જય અને વિદ્યાર્થીઓ વચ્ચેના રસપ્રદ પ્રશ્નોત્તરી સત્ર સાથે થયું હતું, જેણે નેતૃત્વ, કમ્યુનિકેશન, એન્ટરપ્રિન્યોરશિપ, સર્જનાત્મકતા અને જીવન તેમજ કારકિર્દી પ્રત્યે હેતુપૂર્ણ અભિગમ વિકસાવવા અંગે મૂલ્યવાન દ્રષ્ટિકોણ પૂરો પાડ્યો હતો.
આ પ્રસંગે જીએલએસ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ચાંદની કાપડિયાએ જણાવ્યું હતું કે, એવા પ્લેટફોર્મ્સ ઊભા કરવા જરૂરી છે જ્યાં વિદ્યાર્થીઓ પ્રેરણાદાયી હસ્તીઓ સાથે વાર્તાલાપ કરી શકે અને પરંપરાગત ક્લાસરૂમ શિક્ષણની બહાર વ્યવહારુ જ્ઞાન મેળવી શકે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા સંવાદો વિદ્યાર્થીઓને નવીન રીતે વિચારવા, આત્મવિશ્વાસ કેળવવા અને વિવિધ દ્રષ્ટિકોણને સમજવા માટે પ્રોત્સાહિત કરે છે.
‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’ દ્વારા, જીએલએસ યુનિવર્સિટી સતત અર્થપૂર્ણ સંવાદોને પ્રોત્સાહન આપી રહી છે જે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી વ્યક્તિઓ સાથે જોડે છે અને શીખવા, મંથન કરવા અને વ્યક્તિગત વિકાસ માટેની તકો પૂરી પાડે છે.
