પંજાબમાં પ્રદર્શનકારીઓએ ટોલ પ્લાઝાને ફ્રી કરાવ્યા, રેલવે ટ્રેક પર બેઠા; આજે ચંદીગઢમાં બેઠક

0
12
ખેડૂતોને 7 લેયર બેરિકેડ અને ટીયર ગેસના શેલ છોડીને 3 દિવસ માટે રોક્યા છે.
હરિયાણાની શંભુ બોર્ડર પર પાક માટે એમએસપીની ગેરંટી સહિતની અન્ય માંગણીઓ પૂરી કરવા ધામા નાંખ્યા છે.

નવી દિલ્હી: પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચનો આજે ત્રીજો દિવસ છે. તેઓ હરિયાણાની શંભુ બોર્ડર પર પાક માટે એમએસપીની ગેરંટી સહિતની અન્ય માંગણીઓ પૂરી કરવા ધામા નાંખ્યા છે. અહીં હરિયાણા પોલીસે ખેડૂતોને 7 લેયર બેરિકેડ અને ટીયર ગેસના શેલ છોડીને 3 દિવસ માટે રોક્યા છે.હરિયાણા સાથે જોડાયેલી પંજાબની ખનૌરી અને ડબવાલી બોર્ડર પણ ત્રણ દિવસ માટે બંધ છે. બીજી તરફ આજે ફરી 3 કેન્દ્રીય મંત્રીઓ ચંદીગઢમાં ખેડૂત નેતાઓ સાથે આંદોલન ખતમ કરવા માટે બેઠક કરશે. બંને પક્ષો વચ્ચે 7 દિવસમાં આ ત્રીજી બેઠક હશે.આ દરમિયાન, ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું- કેન્દ્રએ અમારી વાતો સાંભળવી પડશે, નહીં તો જે થશે તે યોગ્ય રહેશે નહીં. અમે આજે કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક કરી છે અને અમે ઈચ્છીએ છીએ કે પીએમ મોદી તેમની સાથે વાત કરે જેથી અમે અમારી માંગણીઓના ઉકેલ સુધી પહોંચી શકીએ.