Monday, September 14, 2026
HomeEducationગુજરાત બોર્ડ દ્વારા ધો.૧૦-૧૨ની પરીક્ષા ૧૪ માર્ચથી; ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા...

ગુજરાત બોર્ડ દ્વારા ધો.૧૦-૧૨ની પરીક્ષા ૧૪ માર્ચથી; ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા ૧૧ એપ્રિલથી..

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

અમદાવાદ: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ માટેનું એકેડમિક કેલેન્ડર જાહેર કરી દેવામા આવ્યુ છે.જે મુજબ ૧૪મી માર્ચથી ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષાઓ શરૃ થશે અને ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાઓ ૧૧ એપ્રિલથી શરૃ થશે.આ વર્ષે ધો.૧૦-૧૨ના અને ધો.૯-૧૧ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમમાં કોઈ ઘટાડો નહી કરવામા આવે અને સ્કૂલોએ પુરો ૧૦૦ ટકા અભ્યાસક્રમ ભણાવવાનો રહેશે  તેમજ પુરા અભ્યાસક્રમ પ્રમાણે જ પરીક્ષાઓ લેવાશે.ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૯થી૧૨ની પરીક્ષાઓની તારીખો જાહેર કરવામા આવી છે અને પરીક્ષાઓને લઈને સ્કૂલો માટે તમામ ડીઈઓને પરિપત્ર કરીને જરૃરી સૂચનાઓ આપવામા આવી છે.જે મુજબ તમામ પરીક્ષાઓ ઓફલાઈન જ લેવામા આવશે અને શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે ધો.૯થી૧૨ના અભ્યાસક્રમમાં કોઈ પણ ઘટાડો કરવામા નહી આવે. ધો.૯થી૧૨ની પ્રથમ પરીક્ષા માટે જુનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે અને ધો.૧૦-૧૨ની પ્રિલિમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.ધો.૯ અને ૧૧ની દ્વિતિય પરીક્ષા માટે જુનથી જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ રહેશે.જેમાં જુનથી સપ્ટેમ્બર સુધીના અભ્યાસક્રમમાંથી ૩૦ ટકા અભ્યાસક્રમ અને ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીના અભ્યાસક્રમમાંથી ૭૦ ટકા અભ્યાસક્રમ રહેશે. ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા તેમજ ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. ધો.૯થી૧૨ની તમામ પરીક્ષાઓ માટે શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી અમલમા આવેલ પરીક્ષા પદ્ધતિ યથાવત રહેશે. પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવાનો રહેશે નહીં. ધો.૯થી૧૨ની પ્રથમ અને પ્રિલીમ-દ્રિતિય પરીક્ષાઓ તેમજ ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાના મુખ્ય વિષયોના પ્રશ્નપત્રો ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ડીઈઓ મારફતે તમામ સ્કૂલોને મોકલવામા આવશે. જ્યારે ગુજરાત બોર્ડ દ્વારા બોર્ડ પરીક્ષાઓની અને વાર્ષિક પરીક્ષાની તારીખો પણ જાહેર કરી દેવાઈ છે.જે મુજબ ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષા ૧૪ માર્ચ ૨૦૨૨થી શરૃ થશે અને ધો.૯ અને ૧૧ની વાર્ષીક પરીક્ષા ૧૧ એપ્રિલ ૨૦૨૨થી શરૃ થશે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here