
યાત્રીઓ સાથે કરી આત્મીય વાતચીત, કેટલાય યાત્રીઓએ મુખ્યમંત્રી સાથે લીધી સેલ્ફી
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે તારીખ 24 મે, 2026 ના રોજ ગાંધીનગર કેપિટલથી સૂરત સુધી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ વંદે ભારત એક્સપ્રેસથી યાત્રા કરી રેલવે યાત્રીઓને સુખદ આશ્ચર્ય આપ્યું. આ અવસર પર માનનીય કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા એ પણ મુખ્યમંત્રી સાથે યાત્રા કરી.
રાજ્યના મુખ્યમંત્રીને પોતાની વચ્ચે એક સામાન્ય સહ-યાત્રી રૂપે જોઈને ટ્રેનમાં મુસાફરી કરી રહેલા યાત્રીઓમાં વિશેષ ઉત્સાહ અને આનંદનું વાતાવરણ જોવા મળ્યું. યાત્રા દરમિયાન કેટલાય યાત્રીઓએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે સેલ્ફી લીધી તથા આ વિશેષ અવસરને પોતાના મોબાઈલ કેમેરાઓમાં કેદ કર્યો. મુખ્યમંત્રીએ યાત્રીઓથી આત્મીય સંવાદ સ્થાપિત કરતાં તેમની યાત્રા સંબંધિત અનુભૂતિઓને પણ જાણી.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને સાર્વજનિક પરિવહનના બહોળા ઉપયોગની કરવામાં આવેલ અપીલને અનુરૂપ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હવાઈ યાત્રાને બદલે રેલવે યાત્રાને પ્રાથમિકતા આપી. તેમણે કહ્યું કે રેલવે જેવા સાર્વજનિક પરિવહનના સાધન ફક્ત સુરક્ષિત, સુવિધાજનક અને પર્યાવરણને અનુકૂળ જ નથી પરંતુ, સમય અને ઊર્જાની પણ મોટી બચત કરાવે છે. તેમણે નાગરિકોને દેશની પ્રગતિ અને પર્યાવરણ સંરક્ષણ માટે વધારે અને વધારે સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો.
મુખ્યમંત્રીએ વંદે ભારત એક્સપ્રેસની સ્વચ્છતા, આધુનિક સુવિધાઓ તથા યાત્રીઓને આપવામાં આવી રહેલી સેવાઓની પ્રશંસા કરતાં કહ્યું કે ભારતીય રેલવે દેશમાં ઝડપી, સુરક્ષિત અને વિશ્વસ્તરના યાત્રા અનુભવ કરાવવાની દિશામાં સતત કામ કરી રહ્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સહજ અને સાધારણ યાત્રાએ સામાન્ય જનતા વચ્ચે સાર્વજનિક પરિવહન પ્રત્યે સકારાત્મક સંદેશ પ્રસારિત કર્યો છે તથા નાગરિકોને વધુને વધુ સાવર્જનિક પરિવહન અપનાવવા માટે પ્રેરિત કર્યા છે.
