Wednesday, August 26, 2026
HomeAhmedabadઇલેક્ટ્રો-હોમિયોપેથીના સ્થાપક ડૉ. કાઉન્ટ સીઝર મેટીની ૨૧૭મી જન્મજયંતિ નિમિત્તે ‘GUJEHCON-2026’ વૈજ્ઞાનિક સંમેલન...

ઇલેક્ટ્રો-હોમિયોપેથીના સ્થાપક ડૉ. કાઉન્ટ સીઝર મેટીની ૨૧૭મી જન્મજયંતિ નિમિત્તે ‘GUJEHCON-2026’ વૈજ્ઞાનિક સંમેલન અને સન્માન સમારોહનું આયોજન કરાયું

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

આપ સૌ લોકશાહીના મજબૂત સ્તંભ છો અને કોઈ પણ સાચી વાતને પ્રજા તેમજ સરકાર સુધી પહોંચાડવાનું શ્રેષ્ઠ માધ્યમ છો. ન્યુ ગુજરાત ઇલેક્ટ્રો-હોમિયોપેથિક મેડિકલ પ્રેક્ટિશનર્સ એસોસિયેશન (NGEHMPA) આપના માધ્યમથી જાહેર જનતા અને સરકારનું ધ્યાન સ્વાસ્થ્ય ક્ષેત્રની એક મહત્વપૂર્ણ ક્રાંતિ તરફ દોરવા માંગે છે.

ગયા વર્ષની ઐતિહાસિક સફળતા બાદ, આ વર્ષે પણ અમારી સંસ્થા દ્વારા ઇલેક્ટ્રો-હોમિયોપેથીના સ્થાપક ડૉ. કાઉન્ટ સીઝર મેટીની ૨૧૭મી જન્મજયંતિ નિમિત્તે ‘GUJEHCON-2026’ વૈજ્ઞાનિક સંમેલન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સંમેલનમાં દેશભરના નિષ્ણાતો દ્વારા ઇલેક્ટ્રો-હોમિયોપેથીના વૈજ્ઞાનિક પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે, જેમાં મુખ્ય વિષયો નીચે મુજબ રહેશે:

1. IDC માપદંડ: નવી ચિકિત્સા પદ્ધતિઓની સત્તાવાર માન્યતા માટે IDC ના અનિવાર્ય માપદંડોનું વિશ્લેષણ.

2. ચિકિત્સા વિજ્ઞાનનો ઇતિહાસ: હિપ્પોક્રેટ્સ અને હેનિમેનથી શરૂ કરીને ડૉ. મેટી સુધીની ઔષધીય ક્રાંતિની સફર.

3. સચોટ ઔષધિ પસંદગી: વિવિધ રોગોમાં ઇલેક્ટ્રો-હોમિયોપેથિક દવાઓની પસંદગીની ચોક્કસ વૈજ્ઞાનિક પદ્ધતિ.

 સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય:

ઇલેક્ટ્રો-હોમિયોપેથી એ ૧૦૦% વનસ્પતિ આધારિત, સુરક્ષિત અને આડઅસર રહિત પદ્ધતિ છે. રાજસ્થાન સરકારની જેમ ગુજરાતમાં પણ આ પદ્ધતિને સત્તાવાર માન્યતા મળે અને તેના નિયમન માટે બોર્ડની રચના થાય તે દિશામાં આ સંમેલન એક મહત્વનું ડગલું સાબિત થશે.

અમે આપ સૌ મીડિયા મિત્રોને વિનંતી કરીએ છીએ કે આ વૈજ્ઞાનિક ચિકિત્સા પદ્ધતિના પ્રચાર-પ્રસારમાં સહભાગી બની જનહિતમાં આ સમાચારને બહોળી પ્રસિદ્ધિ આપશો.

આપનો વિશ્વાસુ, ડૉ. હર્ષ મૌર્ય (નેશનલ પ્રેસિડેન્ટ)

 ન્યુ ગુજરાત ઇલેક્ટ્રો-હોમિયોપેથિક મેડિકલ પ્રેક્ટિશનર્સ એસોસિયેશન (NGEHMPA) 

ઇલેક્ટ્રો-હોમિયોપેથી શું છે? (What is Electro-Homeopathy?)

ઇલેક્ટ્રો-હોમિયોપેથી એ વનસ્પતિઓ પર આધારિત એક સંપૂર્ણ અને સ્વતંત્ર ચિકિત્સા પદ્ધતિ છે. તેની શોધ ઈ.સ. ૧૮૬૫માં ઈટાલીના વિજ્ઞાની ડૉ. કાઉન્ટ સીઝર મેટી દ્વારા કરવામાં આવી હતી.

નામનું વિશ્લેષણ:

1. Electro (ઇલેક્ટ્રો): અહીં ‘ઇલેક્ટ્રો’ નો અર્થ વીજળી નથી, પરંતુ વનસ્પતિઓમાંથી મેળવેલી તે ‘જૈવિક શક્તિ’ (Bio-Energy) છે, જે શરીરમાં વીજળીની ઝડપે અસર કરે છે અને જ્ઞાનતંતુઓ દ્વારા રોગને મટાડે છે.

2. Homoeo (હોમિયો): આ શબ્દ ‘Homeostasis’ પરથી આવ્યો છે, જેનો અર્થ શરીરમાં આંતરિક સંતુલન જાળવવું એવો થાય છે.

3. Pathy (પથી): એટલે કે ચિકિત્સા પદ્ધતિ.

૩. મુખ્ય વૈજ્ઞાનિક પાયા અને સિદ્ધાંત

મૂળભૂત સિદ્ધાંત (Fundamental Principle): આ પદ્ધતિનો પાયો એ માન્યતા પર છે કે માનવ શરીરના તમામ રોગોનું મૂળ તેના રક્ત (Blood) અને લસિકા (Lymph) ના બગાડમાં રહેલું છે. જો રક્ત અને લસિકા શુદ્ધ અને સંતુલિત હોય, તો શરીર રોગમુક્ત રહે છે. ઇલેક્ટ્રો-હોમિયોપેથી આ બંને મુખ્ય પ્રવાહીઓને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે.

૪. મુખ્ય વૈજ્ઞાનિક પાયા અને સિદ્ધાંત

મૂળભૂત સિદ્ધાંત (Fundamental Principle): આ પદ્ધતિનો પાયો એ માન્યતા પર છે કે માનવ શરીરના તમામ રોગોનું મૂળ તેના રક્ત (Blood) અને લસિકા (Lymph) ના બગાડમાં રહેલું છે. જો રક્ત અને લસિકા શુદ્ધ અને સંતુલિત હોય, તો શરીર રોગમુક્ત રહે છે. ઇલેક્ટ્રો-હોમિયોપેથી આ બંને મુખ્ય પ્રવાહીઓને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે.

દવાઓની બનાવટ (Spagyric Essence): આ પદ્ધતિમાં દવાઓ બનાવવા માટે ૧૧૪ વનસ્પતિઓનો ઉપયોગ થાય છે. આ દવાઓ ‘સ્પેજીરિક’ (Spagyric) પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે, જેમાં વનસ્પતિના અર્કમાંથી તેની જૈવિક ઉર્જા અને ક્ષારોને અલગ તારવીને અત્યંત પ્રભાવશાળી અને આડઅસર રહિત બનાવવામાં આવે છે.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here