2002માં ગુજરાત સરકારને બદનામ કરવા માટે તિસ્તાએ અહેમદ પટેલ પાસેથી 30 લાખ રૂપિયા લીધા હતા

0
11
સંબિત પાત્રાએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન
કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલના આદેશ પર સેતલવાડને એક વખત 5 લાખ અને બીજી વખત 30 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

ગાંધીનગર : ગુજરાત SITએ 2002નાં ગુજરાત રમખાણોને લઈને સોગંદનામામાં સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ વિરુદ્ધ મોટો ઘટસ્ફોટ કર્યો છે. SITનું કહેવું છે કે તિસ્તાને ગુજરાત સરકારને બદનામ કરવા માટે 2002માં કોંગ્રેસ પાસેથી ફંડ મળ્યું હતું. SIT એફિડેવિટ અનુસાર, કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલના આદેશ પર સેતલવાડને એક વખત 5 લાખ અને બીજી વખત 30 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. ગુજરાત રમખાણોના કેસમાં જેલમાં બંધ તિસ્તા વતી દાખલ કરવામાં આવેલી જામીન અરજીનો વિરોધ કરતા SITએ આ વાત જણાવી હતી. SITએ તેના એફિડેવિટમાં જણાવ્યું હતું કે તિસ્તા સાથે આ કાવતરું ઘડવામાં આરબી શ્રીકુમાર જે તે સમયે ગુજરાતના DGP હતા અને પૂર્વ IPS સંજીવ ભટ્ટ પણ સામેલ હતા. ગુજરાતના રમખાણો પછી આ લોકોએ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી રાજ્ય સરકારને અસ્થિર કરવાનું કાવતરું ઘડ્યું હતું. જો કે કોંગ્રેસે આ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. વિપક્ષને બદનામ કરવા માટે આવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. SITના ખુલાસા બાદ ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું હતુ કે એફિડેવિટમાંથી સત્ય બહાર આવ્યું છે કે આ કાવતરું ઘડવા પાછળ કોણ લોકો હતા. સંબિત પાત્રાએ કહ્યું કે અહેમદ પટેલના ઈશારે તિસ્તા સેતલવાડ અને અન્યોએ ગુજરાત સરકારને અસ્થિર કરવાનું કાવતરું ઘડ્યું હતું. તેમણે કહ્યું કે અહેમદ પટેલ માત્ર નામ છે. ખરેખરમાં તો આ કાવતરા પાછળ તેમના બોસ સોનિયા ગાંધી હતા. સોનિયા ગાંધી તેમના મુખ્ય રાજકીય સલાહકાર અહેમદ પટેલ સાથે મળીને ગુજરાતની છબી ખરાબ કરવાના પ્રયાસ કર્યા હતા. સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો હતો કે સોનિયા ગાંધીએ તિસ્તા સેતલવાડને પ્રથમ હપ્તા તરીકે 30 લાખ રૂપિયા આપ્યા હતા. તેમણે કહ્યું કે અહેમદ પટેલે જ રૂપિયા પહોંચાડ્યા હતા. સોનિયા ગાંધીએ ત્યાર બાદ નરેન્દ્ર મોદીને અપમાનિત કરવા અને બદનામ કરવા માટે કરોડો રૂપિયા આપ્યા હશે.સંબિત પાત્રાએ કહ્યું કે અહેમદ પટેલના ઈશારે તિસ્તા સેતલવાડ અને અન્યોએ ગુજરાત સરકારને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું હતું. તેમણે કહ્યું કે અહેમદ પટેલ માત્ર નામ છે. ખરેખરમાં તો આ કાવતરા પાછળ તેમના બોસ સોનિયા ગાંધી હતા. સોનિયા ગાંધીએ તેમના મુખ્ય રાજકીય સલાહકાર અહેમદ પટેલ સાથે મળીને ગુજરાત સરકારની છબી ખરાબ કરવાના પ્રયાસ કર્યા હતા.આ મામલે અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે કહ્યું હતું કે ગુજરાત ચૂંટણી પહેલા તો આવું થવાનું જ હતું. આ મામલાને 20 વર્ષ થઈ ગયા છે. મારા પિતા જીવિત હતા ત્યારે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં? ચૂંટણીના કારણે આવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. છેલ્લા દોઢ વર્ષથી મારા પિતાને બદનામ કરવામાં આવી રહ્યા છે. દરેક ચૂંટણી પહેલા કોઈને કોઈ મુદ્દો ઉઠાવવામાં આવે છે.