Wednesday, September 9, 2026
Homewriter's thoughtરુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક કરવી એ પણ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક કરવી એ પણ કબંધ વૃત્તિ છે.

Date:

Related stories

બંધન બેન્કે ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યા, ચાર વેરિઅન્ટ રજૂ...

• દરેક ગ્રાહક વર્ગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ચાર કાર્ડ...

નિયોએ IFSCA (ગિફ્ટ સિટી)માંથી PSP લાઇસન્સ મેળવ્યું; આંતરરાષ્ટ્રીય વૃદ્ધિના...

IFSCA પાસેથી પ્રાપ્ત નવું પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડરનાં લાઇસન્સ સાથે...

ઇન્જેક્ટો પોલિમર્સ નો ₹૫૬.૧૩ કરોડનો આઈપીઓ ૧૧ સપ્ટેમ્બરે ખુલશે

૧૬ સપ્ટેમ્બર સુધી ઇશ્યુ ખુલ્લો રહેશે; કંપનીએ આવક અને...

શિવનાં યતિનાથ અને હંસાવતારની પૌરાણિક કથામાં, ભીલ દંપતીની ભૂમિકા...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક.મિત્રો-...

નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે 72મો રાષ્ટ્રીય...

દિલ્હીની બહાર પ્રથમ વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ ગુજરાતમાં;...

અમદાવાદમાં પાંચ વર્ષમાં ફેફસાંના કેન્સરના દર્દીઓમાં લગભગ 40 ટકાનો...

બે દર્દીઓની સારવારની સફર સમયસર નિદાન, આધુનિક સારવાર અને સતત ફોલોઅપના મહત્વને ઉજાગર કરે છે અમદાવાદ, 7 સપ્ટેમ્બર, 2026:અમદાવાદમાં ફેફસાંનું કેન્સર વધતી જતી આરોગ્ય સમસ્યા બની રહ્યું છે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ફેફસાંના કેન્સરના દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. GCRIના ડેટા અનુસાર, દર્દીઓની સંખ્યા 2021માં 813થી વધીને 2025માં 1,133 થઈ છે, જે લગભગ 40 ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ 2021થી 2025 દરમિયાન સંસ્થામાં કુલ 4,830 ફેફસાંના કેન્સરના દર્દીઓ નોંધાયા હતા, જેમાં 3,931 પુરુષો અને 899 મહિલાઓનો સમાવેશ થાય છે. તમાકુનું સેવન હજુ પણ ફેફસાંના કેન્સરના મુખ્ય જોખમી પરિબળોમાંનું એક છે. જોકે, ડૉક્ટરો પેસિવ સ્મોકિંગ, વાયુ પ્રદૂષણ અને જોખમી પદાર્થોના વ્યવસાયિક સંપર્કને પણ મહત્વપૂર્ણ ચિંતાના વિષયો ગણાવે છે. સતત રહેતી ઉધરસ, ગળફામાં લોહી આવવું, કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટવું અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોને અવગણવા જોઈએ નહીં, ખાસ કરીને જ્યારે આ લક્ષણો કેટલાક અઠવાડિયા સુધી ચાલુ રહે. અદ્યતન તબક્કાના ફેફસાંના કેન્સરમાં પણ સફળ સારવારના પરિણામોની શક્યતા હોઈ શકે છે, તે એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ અને ડૉ. કલ્પેશ પ્રજાપતિની દેખરેખ હેઠળ સારવાર પામેલા બે દર્દીઓની સારવારની સફર પરથી સ્પષ્ટ થાય છે. એપ્રિલ 2023માં 69 વર્ષીય એક પુરુષ, જેમને લગભગ ચાર દાયકાથી ધૂમ્રપાન કરવાની આદત હતી, તેમણે કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટી રહ્યું હોવાથી તબીબી સલાહ લીધી હતી. સીટી સ્કેન અને બાયોપ્સીમાં તેમના ફેફસાંમાં લગભગ 7 સેમીનું ટ્યુમર અને સ્ટેજ III ફેફસાંનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ સાથે પરામર્શ બાદ, તેમને કીમોથેરાપી અને ઇમ્યુનોથેરાપી શરૂ કરવામાં આવી. સારવારના શરૂઆતના તબક્કામાં જ ટ્યુમરમાં નોંધપાત્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો અને તેમણે સારવાર ખૂબ સારી રીતે સહન કરી હતી. ત્યારબાદ તેમણે ઇમ્યુનોથેરાપીના 35 સાયકલ પૂર્ણ કર્યા અને હાલમાં તેઓ રોગમુક્ત છે. પોતાની સારવારની સફરને યાદ કરતાં દર્દીએ જણાવ્યું,...

સદગુરુ કૃપા હી કેવલમ.
સંકલન- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- માનસ કબંધ (ભાગ ૫)

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક કરવી એ પણ કબંધ વૃત્તિ છે.

માનસ કબંધની પાંચમા દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું કે આજની કથા અધ્યાત્મ રામાયણનાં કેટલાક શ્લોકથી શરૂ કરું છું. આપણે વાલ્મીકિનો કબંધ, માનસનો કબંધ અને અન્ય ગ્રંથોનાં કબંધ વિશે વાત કરી! તો મને કહેવામાં આવ્યું કે, અમને તો મોરારી બાપુનાં કબંધ વિશે જ જાણવું છે! જે હું હું વચ્ચે વચ્ચે કહું જ છું. તલગાજરડી દ્રષ્ટિએ જો કબંધ સમજાઈ જાય તો ઘણો ભેદ ખત્મ થઈ શકે છે. માનસમાં ત્રણ વાર કબંધ શબ્દ આવ્યો છે, બે વારની વાત થઈ છે, ત્રીજી વખત “લીલા હત્યો કબંધ” તુલસીના અન્ય ગ્રંથોમાં તો કબંધનો ઉલ્લેખ ઘણીવાર મળે છે, પણ એ જાતિભેદ અને વર્ણ ભેદ થઈ જાય! આજે એક પ્રશ્ન છે કે દશરથજી એ ભેદ ભક્તિ શું કામ માંગી? ભક્તિમાં ભેદ કેવો? ભેદભક્તિ નો અર્થ જાતિભેદ કે વર્ણભેદ નથી, એ ભેદ તું દયાલ દિન હો, તૂં દાની હૌ ભિખારી‌. હે પરમાત્મા તું દયાળુ છે હું દિન છું. તું શિવ છે હું જીવું છું, તું વ્યાપક છે, હું વ્યક્તિ છું, એ ભેદની વાત છે.

પરમાત્મા સાથે સંબંધ જોડવાં માટે કાં તો પરમાત્માને પોતાનો પરિવાર બનાવો, કા તમે પરમાત્માનાં પરિવાર થઈ જાવ. ભક્તિ સંબંધ ઇચ્છે છે, અને સંબંધ બે વચ્ચે થાય છે, સંબંધ માટે બીજું જોઈએ જ! એને તુલસીનું માનસ ભેદભક્તિ કહે છે. તૂં ઠાકુર મેં ચેરો, આ દ્વૈત, હું તારો કિંકર છું તું મારો શંકર છે. તો ભેદભક્તિનો અર્થ અહીં કોઈ અસ્પૃશ્ય, કોઈ નિકૃષ્ઠ, કોઈ અપવિત્ર એવો નથી. તુલસી દ્વૈતને માને છે, અને કહે છે, તારો મારો અનેક નાતો છે, એ રીતે પણ આપણે શિવરુપ થઈ શકીએ. શંકરાચાર્ય અદ્વૈત ને માને છે, અને કહે છે, ન જાતીભેદ, ન મોક્ષ, ન બંધન, ન સંસાર સંન્યાસ ભેદ, કેમકે શિવોહમ્, હું જ શિવ છું.

ગોવર્ધન સંસ્કૃત વિદ્યાપીઠ બહુ સારું કામ કરી રહી છે, રોજ સંસ્કૃત વાંચો, સંસ્કૃત બોલવાથી પણ પવિત્રતા આવે છે, સંસ્કૃત અદભુત ગીરા છે. હું ગોવર્ધન વિદ્યાપીઠને સાધુવાદ આપવાં માંગું છું, આપ વર્ષોથી સંસ્કૃતની સેવા કરી રહ્યાં છો, અને આગળ પણ કરતા રહેશો. આ સંસ્કૃત વિશે જાગૃતિ આવે એ માટેનો એક યજ્ઞ છે. રોજ વેદનું અધ્યયન કરવું! એટલે કે સંસ્કૃતનો પાઠ કરવો. કથા સમજાય ત્યારે વિવેક વધે એટલે દુર્જનો સાથે બેસવાનું બંધ કરો. પેટ ભરીને સ્વાદિષ્ટ ભોજન ખાઓ, પરંતુ હું ભિક્ષા ગ્રહણ કરી રહ્યો છું એ ભાવ રાખો. શંકરાચાર્ય કહે છે શરીર રોગ છે, અને ભિક્ષા ભાવથી ભોજન કરવું એ ઔષધી છે. કોઈ બુદ્ધ પુરુષનાં ચરણોમાં આપણી પૂરી નિષ્ઠા થઈ જાય, તો એની પાદુકાને યાદ કરી લેવી, જે આપણાં તમામ ભેદ અને સંશયોનું સમાધાન કરે છે.

રાજસ્થાનમાં વાગડ વિસ્તારમાં જાતિવાદ બહુ વિકૃત રૂપમાં પ્રસ્થાપિત છે, એવી વાત મારી પાસે આવી છે. ભગવાન રામે કહ્યું કે બ્રહ્મકુલ નાં દ્રોહી મને પસંદ નથી, એનો મતલબ બ્રાહ્મણ કુલ નહીં, બ્રહ્મકુલ એટલે બ્રહ્માનું કુળ, જેનાં આપણે સૌ સદસ્ય છીએ. આમાં કોણ હલકું! વ્યાસપીઠની વર્ષો જૂની વ્યાખ્યા છે, કે જે બીજાને હલકાં સમજે, એનાં જેવો હલકો દુનિયામાં બીજો કોઈ નથી. પરમાત્માનાં ચરણોમાંથી જે નીકળે છે, એ ક્યારેય અપવિત્ર નથી હોતું. વેદો એ બધાં ભેદ તોડી નાખ્યા છે, કોણ અસ્પૃશ્ય? આ જીવનનું એક દર્શન છે, સમજમાં ન આવે ત્યારે જ ઘણી ગેરસમજ થાય છે.

આધ્યાત્મ રામાયણ મુજબ કબંધના શ્રાપનો અંત થવાનો છે, અને દેહ પરિવર્તન થઈ રહ્યું છે, ગંધર્વ પુનઃ પોતાનું રૂપ પ્રાપ્ત કરી રહ્યો છે!

ધન્યોઙહં યદિ રામસ્ત્વમાગતોઙસિ મમાન્તિકમ્,
પૂરા ગંધર્વરાજોઙહં રુપયૌવનદર્પિતઃ,..
ક્રુદ્વોઙસાવાહ દ્રુષ્ટ ત્વં રાક્ષસો ભવ દુર્ગતિ.

ભગવાન હું ધન્ય છું, હું પૂર્વે ગંધર્વરાજ હતો, મારામાં રૂપ અને યવનનું અભિમાન હતું, પરંતુ આપ આવી ગયાં, અને મને ધન્ય કરી દીધો. હું યૌવનનો ગર્વ લઈને જતો હતો એકવાર અષ્ટાવક્ર મુનિને જોયાં, અને મેં એમની મજાક કરી, ક્યાં મારું આવું રૂપ! અને ક્યાં આ વિકલાંગ અષ્ટવક્ર! આઠ પ્રકારના અંગ! અષ્ટાવક્ર કબંધની મજાકથી ક્રોધિત થયાં, અને શ્રાપ આપી દીધો કે હે દુર્મતિ તું રાક્ષસ થઈ જા! કાબંધે માફી માગી, અને એમણે પણ કહ્યું કે, ત્રેતા યુગમાં સ્વયં નારાયણ રામ બની આવશે, અને તારી ભુજા કાપી નાખશે, ત્યારે તારો ઉદ્ધાર થશે, અને તું પૂનમ ગંધર્વનું રૂપ પ્રાપ્ત કરીશ.

એક રાજા હતો રાજા પાસે પૈસા બહુ હતાં, પરંતુ એ વિકલાંગ હતો, અને એક સુંદર ગણીકા કોઠા પર બેસનારી એ નૃત્યાંગનાને રાજાનાં દરબારમાં બોલાવવામાં આવી. રાજા એને જોઈ ખુબ પ્રસન્ન થયાં, પરંતુ વિચારવા લાગ્યાં કે મારી પાસે પૈસા, અને એની પાસે રૂપ છે, અને એટલે એણે પૈસા માટે આવું કામ કરવું પડે છે! ભલે મારી પાસે રૂપ નથી પણ પૈસા તો છે! મારે કોઈની ગુલામી કરવી પડતી નથી! રાજાએ મેણું માર્યું કે જ્યારે પરમાત્મા પૈસા વેચી રહ્યાં ત્યાં ત્યારે તું ક્યાં હતી? આટલી સુંદર થઈને તારે નાચવું પડે છે. ગણિકાએ જવાબ આપ્યો કે પરમાત્મા પૈસા આપી રહ્યાં હતાં, ત્યારે હું જ્યાં રૂપ આપવામાં હતું ત્યાં હતી. રાજાજી આપને આપનાં પૈસાનું અભિમાન છે! જ્યારે મને મારા રૂપનો ગર્વ! માનસ ગણિકાની કથાથી સામાજિક સ્તરે ઘણો ફાયદો થઈ રહ્યો છે! એમની દિકરીઓ લગ્ન કરી રહી છે, અને પછી તલગાજરડા બાપને ઘરે પ્રણામ કરવાં આવે છે! અમે એ સૌને પહેરામણી આપીએ છીએ! હું એ તમામ યુવોનોને પ્રણામ કરું છું, જેમણે એ દિકરીઓના હાથ પકડ્યા! એ સૌને સાધુવાદ આપું છું!

એક શ્રોતાએ લક્ષ્મણ અને ઉર્મિલા વિશે કહેવા કહ્યું છે. ઉર્મિલાનો શબ્દાર્થ સમજી લો, ઊર્મિનો અર્થ લહેર, આપણાં જીવનમાં હૃદયમાં ભગવત પ્રેમની જે ઊર્મિ ઓ ઊઠે છે, એનું નામ જ ઉર્મિલા છે, લા નો અર્થ થાય છે લાવવું. ઉર્મિલા કેવલ સ્ત્રી નથી, એણે લક્ષ્મણના જીવનમાં વ્યક્તિગત ભાવના ઉપર સંયમ કરી, કેટલો સહયોગ કર્યો! માત્ર ઉર્મિલા નહીં, માંડવી અને શ્રુતકીર્તિ પણ રામસીતાનાં કનક ભવનની શોભા છે. ભગવાન રામને જ્યારે 14 વર્ષના વનવાસની સજા થઈ ત્યારે લક્ષ્મણજી માતા સુમિત્રા પાસે વનમાં જવાની આજ્ઞા લેવા ગયાં, માતાએ કહ્યું કે રામ તારા પિતા છે, અને સીતા તારી માતા છે, માટે એ જ્યાં હોય ત્યાં જ તારું સ્થાન છે. લક્ષ્મણજીને થયું કે હું ઝડપથી પસાર થઈ જાઉં, નહીં તો ઉર્મિલા મને રોકી લેશે, અને કહેશે કે મારું શું? પરંતુ ધન્ય છે ઊર્મિલા, કે એ લક્ષ્મણનાં માર્ગમાં આડ બનતી નથી, અદભુત દાંપત્ય છે ઉર્મિલા અને લક્ષ્મણજી નું!

કથાનાં ક્રમમાં આપણે જોયું કે સતી શિવનું અપમાન થતું જોઈ, દક્ષ યજ્ઞમાં દેહ બાળીને ભષ્મ થઈ ગયાં, અને બીજા જન્મમાં હિમાલયને ત્યાં પાર્વતી તરીકે જન્મ થયો! પુત્રીના જન્મ પર ઉત્સવ કરવો, એ આપણી સંસ્કૃતિમાં યુગોથી ચાલી આવતી પ્રથા છે, પરંતુ હજી પણ પુત્રીના જન્મ પર પરિવારજનોના મોઢા મ્લાન થઈ જાય છે. પાર્વતીના જન્મ થતા સાધુ સંતો હિમાલયના ઘરે આવવા લાગે છે! પુત્રીનો જન્મ એ હરખનો પ્રસંગ છે, કારણ કે કિર્તી,શ્રી,વાક્,સ્મૃતિ, મેઘા ધૃતિ અને ક્ષમા એમ સાત પ્રકારની વિભૂતિ આપણા ઘરમાં આવે છે. શંકરના વિવાહ બાદ રામ જન્મ સુધીની કથા કરી પાંચમા દિવસની કથાને વિરામ આપ્યો.

સંકલન. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

બંધન બેન્કે ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યા, ચાર વેરિઅન્ટ રજૂ...

• દરેક ગ્રાહક વર્ગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ચાર કાર્ડ...

નિયોએ IFSCA (ગિફ્ટ સિટી)માંથી PSP લાઇસન્સ મેળવ્યું; આંતરરાષ્ટ્રીય વૃદ્ધિના...

IFSCA પાસેથી પ્રાપ્ત નવું પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડરનાં લાઇસન્સ સાથે...

ઇન્જેક્ટો પોલિમર્સ નો ₹૫૬.૧૩ કરોડનો આઈપીઓ ૧૧ સપ્ટેમ્બરે ખુલશે

૧૬ સપ્ટેમ્બર સુધી ઇશ્યુ ખુલ્લો રહેશે; કંપનીએ આવક અને...

શિવનાં યતિનાથ અને હંસાવતારની પૌરાણિક કથામાં, ભીલ દંપતીની ભૂમિકા...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક.મિત્રો-...

નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે 72મો રાષ્ટ્રીય...

દિલ્હીની બહાર પ્રથમ વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ ગુજરાતમાં;...

અમદાવાદમાં પાંચ વર્ષમાં ફેફસાંના કેન્સરના દર્દીઓમાં લગભગ 40 ટકાનો...

બે દર્દીઓની સારવારની સફર સમયસર નિદાન, આધુનિક સારવાર અને સતત ફોલોઅપના મહત્વને ઉજાગર કરે છે અમદાવાદ, 7 સપ્ટેમ્બર, 2026:અમદાવાદમાં ફેફસાંનું કેન્સર વધતી જતી આરોગ્ય સમસ્યા બની રહ્યું છે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ફેફસાંના કેન્સરના દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. GCRIના ડેટા અનુસાર, દર્દીઓની સંખ્યા 2021માં 813થી વધીને 2025માં 1,133 થઈ છે, જે લગભગ 40 ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ 2021થી 2025 દરમિયાન સંસ્થામાં કુલ 4,830 ફેફસાંના કેન્સરના દર્દીઓ નોંધાયા હતા, જેમાં 3,931 પુરુષો અને 899 મહિલાઓનો સમાવેશ થાય છે. તમાકુનું સેવન હજુ પણ ફેફસાંના કેન્સરના મુખ્ય જોખમી પરિબળોમાંનું એક છે. જોકે, ડૉક્ટરો પેસિવ સ્મોકિંગ, વાયુ પ્રદૂષણ અને જોખમી પદાર્થોના વ્યવસાયિક સંપર્કને પણ મહત્વપૂર્ણ ચિંતાના વિષયો ગણાવે છે. સતત રહેતી ઉધરસ, ગળફામાં લોહી આવવું, કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટવું અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોને અવગણવા જોઈએ નહીં, ખાસ કરીને જ્યારે આ લક્ષણો કેટલાક અઠવાડિયા સુધી ચાલુ રહે. અદ્યતન તબક્કાના ફેફસાંના કેન્સરમાં પણ સફળ સારવારના પરિણામોની શક્યતા હોઈ શકે છે, તે એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ અને ડૉ. કલ્પેશ પ્રજાપતિની દેખરેખ હેઠળ સારવાર પામેલા બે દર્દીઓની સારવારની સફર પરથી સ્પષ્ટ થાય છે. એપ્રિલ 2023માં 69 વર્ષીય એક પુરુષ, જેમને લગભગ ચાર દાયકાથી ધૂમ્રપાન કરવાની આદત હતી, તેમણે કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટી રહ્યું હોવાથી તબીબી સલાહ લીધી હતી. સીટી સ્કેન અને બાયોપ્સીમાં તેમના ફેફસાંમાં લગભગ 7 સેમીનું ટ્યુમર અને સ્ટેજ III ફેફસાંનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ સાથે પરામર્શ બાદ, તેમને કીમોથેરાપી અને ઇમ્યુનોથેરાપી શરૂ કરવામાં આવી. સારવારના શરૂઆતના તબક્કામાં જ ટ્યુમરમાં નોંધપાત્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો અને તેમણે સારવાર ખૂબ સારી રીતે સહન કરી હતી. ત્યારબાદ તેમણે ઇમ્યુનોથેરાપીના 35 સાયકલ પૂર્ણ કર્યા અને હાલમાં તેઓ રોગમુક્ત છે. પોતાની સારવારની સફરને યાદ કરતાં દર્દીએ જણાવ્યું,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here