
‘હર કામ દેશના નામ’
અમદાવાદ
બુધવાર, 15 જુલાઈ 2026
ગાંધીનગરના રાજભવન ખાતે 15 જુલાઈ 2026ના રોજ યોજવામાં આવેલી રક્તદાન શિબિરમાં, ગ્રૂપ હેડક્વાર્ટર NCC, અમદાવાદના નેજા હેઠળ NCC કેડેટ્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ NCCની સામુદાયિક સેવા અને માનવતાવાદી મૂલ્યો પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
માનનીય રાજ્યપાલે NCC કેડેટ્સ સાથે સંવાદ કર્યો હતો, કેડેટ્સે આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી અને તેમના દ્વારા નિઃસ્વાર્થ ભાવે કરવામાં આવતી સેવા અને જવાબદારીપૂર્ણ નાગરિકતાના આદર્શોને જાળવી રાખવા માટે પ્રેરણા આપી. NCC ગ્રૂપ હેડક્વાર્ટર અમદાવાદના ગ્રૂપ કમાન્ડર બ્રિગેડિયર એસ.એસ. જામવાલે આ પ્રસંગે કેડેટ્સ સાથે વાતચીત કરી હતી, તેમજ સ્વૈચ્છિક સેવા પ્રત્યેના તેમના ઉત્સાહ તથા પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી અને તેમને સમર્પણ, શિસ્ત અને કરુણા સાથે નિરંતર સમાજની સેવા કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
રક્તદાન અભિયાનથી કેડેટ્સને રાષ્ટ્રીય કેડેટ કોરના મુખ્ય મૂલ્યોને મજબૂત બનાવવાની સાથે-સાથે ઉમદા માનવતાવાદી કાર્યમાં સક્રિયપણે યોગદાન આપવાની તક મળી હતી. આવી પહેલ નેતૃત્વ, સહાનુભૂતિ, ટીમવર્ક, સામાજિક જવાબદારી અને નાગરિક ચેતનાને પ્રોત્સાહન આપે છે, જે યુવાનો અને મહિલાઓને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબદ્ધ જવાબદાર નાગરિકો બનવા માટે તૈયાર કરે છે.
NCC સામુદાયિક સેવા પ્રવૃત્તિઓમાં નિયમિત સહભાગીતા દ્વારા, યુવાનોને સમાજમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે નિરંતર પ્રેરણા આપે છે, જે તેના “એકતા અને શિસ્ત”ના સૂત્ર અને શિસ્તબદ્ધ, આત્મવિશ્વાસપૂર્ણ તેમજ સામાજિક રીતે સભાન ભાવિ લીડર્સ તૈયાર કરવાના તેના સદાકાળ મિશનને પ્રતિબિંબિત કરે છે.
