Wednesday, August 5, 2026
Homenationalગુજરાતના માનનીય રાજ્યપાલના જન્મદિવસ નિમિત્તે રાજભવન ખાતે યોજાયેલી રક્તદાન શિબિરમાં NCC કેડેટ્સે...

ગુજરાતના માનનીય રાજ્યપાલના જન્મદિવસ નિમિત્તે રાજભવન ખાતે યોજાયેલી રક્તદાન શિબિરમાં NCC કેડેટ્સે ભાગ લીધો

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

‘હર કામ દેશના નામ’

અમદાવાદ

બુધવાર, 15 જુલાઈ 2026

ગાંધીનગરના રાજભવન ખાતે 15 જુલાઈ 2026ના રોજ યોજવામાં આવેલી રક્તદાન શિબિરમાં, ગ્રૂપ હેડક્વાર્ટર NCC, અમદાવાદના નેજા હેઠળ NCC કેડેટ્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ NCCની સામુદાયિક સેવા અને માનવતાવાદી મૂલ્યો પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

            માનનીય રાજ્યપાલે NCC કેડેટ્સ સાથે સંવાદ કર્યો હતો, કેડેટ્સે આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી અને તેમના દ્વારા નિઃસ્વાર્થ ભાવે કરવામાં આવતી સેવા અને જવાબદારીપૂર્ણ નાગરિકતાના આદર્શોને જાળવી રાખવા માટે પ્રેરણા આપી. NCC ગ્રૂપ હેડક્વાર્ટર અમદાવાદના ગ્રૂપ કમાન્ડર બ્રિગેડિયર એસ.એસ. જામવાલે આ પ્રસંગે કેડેટ્સ સાથે વાતચીત કરી હતી, તેમજ સ્વૈચ્છિક સેવા પ્રત્યેના તેમના ઉત્સાહ તથા પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી અને તેમને સમર્પણ, શિસ્ત અને કરુણા સાથે નિરંતર સમાજની સેવા કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

            રક્તદાન અભિયાનથી કેડેટ્સને રાષ્ટ્રીય કેડેટ કોરના મુખ્ય મૂલ્યોને મજબૂત બનાવવાની સાથે-સાથે ઉમદા માનવતાવાદી કાર્યમાં સક્રિયપણે યોગદાન આપવાની તક મળી હતી. આવી પહેલ નેતૃત્વ, સહાનુભૂતિ, ટીમવર્ક, સામાજિક જવાબદારી અને નાગરિક ચેતનાને પ્રોત્સાહન આપે છે, જે યુવાનો અને મહિલાઓને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબદ્ધ જવાબદાર નાગરિકો બનવા માટે તૈયાર કરે છે.

            NCC સામુદાયિક સેવા પ્રવૃત્તિઓમાં નિયમિત સહભાગીતા દ્વારા, યુવાનોને સમાજમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે નિરંતર પ્રેરણા આપે છે, જે તેના “એકતા અને શિસ્ત”ના સૂત્ર અને શિસ્તબદ્ધ, આત્મવિશ્વાસપૂર્ણ તેમજ સામાજિક રીતે સભાન ભાવિ લીડર્સ તૈયાર કરવાના તેના સદાકાળ મિશનને પ્રતિબિંબિત કરે છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here