Saturday, July 25, 2026
HomeAhmedabadઇન્ડિગોને ફટકો, દૈનિક ફ્લાઇટ્સ પર સરકારે 10 ટકા કાપ મુક્યો

ઇન્ડિગોને ફટકો, દૈનિક ફ્લાઇટ્સ પર સરકારે 10 ટકા કાપ મુક્યો

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

દેશના મોટાભાગના એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સના મુસાફરો છેલ્લા એક સપ્તાહથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઇન્ડિગો દ્વારા દરરોજ અનેક ફ્લાઇટો રદ કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે ઇન્ડિગોની ફ્લાઇટોની ઉડાનમાં ૧૦ ટકાનો કાપ મુકી દીધો છે. આ ૧૦ ટકા ઉડાનની તક હવે અન્ય એરલાઇન્સને આપવામાં આવશે. જ્યારે કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુએ ફરી કહ્યું છે કે તેઓ ઇન્ડિગોને છોડશે નહીં અને આકરી કાર્યવાહી કરાશે.  ઇન્ડિગો હાલમાં દરરોજ આશરે ૨૨૦૦ જેટલી ફ્લાઇટ ઓપરેટ કરે છે. કેન્દ્ર સરકારે આ ૨૨૦૦માંથી ૧૦ ટકા એટલે કે ૨૦૦થી વધુ ફ્લાઇટ્સ પર હાલ પુરતા કાપ મુકી દીધો છે. આ નિર્ણય ઇન્ડિગોના સીઇઓ પીટર એલ્બર્સ અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ વચ્ચેની બેઠક બાદ લેવાયો હતો. મંત્રી રામ મોહને કહ્યું હતું કે સમગ્ર સ્થિતિ અંગે અપડેટ આપવા માટે સીઇઓને મંત્રાલય બોલાવવામાં આવ્યા હતા, તેમણે ખાતરી આપી છે કે ૧૦૦ ટકા રિફંડ પૂર્ણ થઇ ગયું છે. મંત્રીએ વધુમાં સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યું હતું કે મંત્રાલય ઇન્ડિગોના તમામ રુટ્સને ઘટાડવા યોગ્ય સમજે છે. જેનાથી એરલાઇન્સના દૈનિક કાર્યમાં સ્થિરતા આવશે. સાથે જ કેંસલેશન પણ ઘટશે, હાલ ૧૦ ટકા કાપ મુકવા આદેશ અપાયો છે તેમ મંત્રીએ કહ્યું હતું. 

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here