Friday, June 5, 2026
Homenationalસંસદમાં માસ્ક પહેરવું ફરજિયાત, પીએમ મોદી, સ્પીકર સહિત બધા માસ્કમાં દેખાયા

સંસદમાં માસ્ક પહેરવું ફરજિયાત, પીએમ મોદી, સ્પીકર સહિત બધા માસ્કમાં દેખાયા

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

નવી દિલ્હી : સંસદના શિયાળુ સત્રમાં વિપક્ષ સતત ચીનના મુદ્દાને  લઈ ચર્ચા કરી રહ્યું છે. આજે પણ સંસદનું સત્ર ગરમા-ગરમી વાળું રહ્યું હતું. વિપક્ષે સરકારને ઘેરવાની તૈયારીઓ કરી લીધી હતી, સત્ર શરૂ થતાં જ ચીન પર ચર્ચાની માંગ ઉઠી, વિપક્ષના સાંસદોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા. જે બાદ કાર્યવાહી અટકાવવી પડી હતી. તે જ સમયે, સંસદ સત્રમાં પણ આજે કોરોનાની અસર જોવા મળી હતી. બંને ગૃહોમાં સાંસદો માસ્ક સાથે જોવા મળ્યા હતા. લોકસભા સ્પીકરે પણ સાંસદોને માસ્ક પહેરવાની અપીલ કરી હતી. હોબાળાની ગરમી વચ્ચે સંસદના શિયાળુ સત્રમાં પણ કોરોનાની અસર જોવા મળી હતી. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તમામ સાંસદો, મંત્રીઓ અને અધિકારીઓ માટે ગૃહમાં પ્રવેશતી વખતે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. માસ્ક પહેર્યા વિના અંદર જતા તમામ સાંસદોને માસ્ક આપવામાં આવી રહ્યા છે. લોકસભા અધ્યક્ષે તકેદારી અને સાવધાની રાખવાની અપીલ કરતાં તેમણે કહ્યું કે ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવી જરૂરી છે. રાજ્યસભામાં પણ તમામ સાંસદો માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા, બંને ગૃહના અધ્યક્ષે પણ માસ્ક પહેર્યું હતુ. સંસદમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલો હંગામો આજે પણ ચાલુ રહ્યો હતો. કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારી અને મનીષ તિવારીએ ચીન સાથેની સરહદની સ્થિતિ પર ચર્ચા કરવા માટે રાજ્યસભામાં નિયમ 267 હેઠળ સસ્પેન્શન ઑફ બિઝનેસ નોટિસ આપી હતી. જોકે આ અંગેમાં વધારે ચર્ચા થઈ હતી નહિ. વિપક્ષી સાંસદોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું. આ સાથે જ વિપક્ષના હોબાળા બાદ લોકસભાની કાર્યવાહી પણ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here