Saturday, September 5, 2026
HomeWorldનાટો દેશો મળીને પણ હરાવી ના શક્યા, અમારી તાકાતથી વાકેફ થયા

નાટો દેશો મળીને પણ હરાવી ના શક્યા, અમારી તાકાતથી વાકેફ થયા

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

રશિયા: રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, અમેરિકા, યુરોપ અને નાટોને પણ રશિયાની તાકાતનો ખ્યાલ આવી ગયો છે. પુતિન અમેરિકન ન્યૂઝ ચેનલ ફોક્સ ન્યૂઝના હોસ્ટ ટ્રકર કાર્લસનને ઈન્ટરવ્યુ આપી રહ્યા હતા. કાર્લસન પશ્ચિમી મીડિયામાં જાણીતો ચહેરો છે. આ ઇન્ટરવ્યુ આપતા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, યુક્રેનમાં રશિયાને હરાવવું અસંભવ છે અને આવી સ્થિતિમાં નાટોએ પણ સ્વીકારવું જોઈએ કે યુક્રેન પર રશિયાનો કબજો છે. અમેરિકા, નાટો અને યુરોપને પણ ખબર પડી ગઈ છે કે, રશિયાની તાકાત શું છે. ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર થયેલા હુમલાનો બચાવ કરતા તેમણે કહ્યું કે, પશ્ચિમી દેશોની મદદથી પણ રશિયાને હરાવી શકાય નહીં.કાર્લસને પોતાના બે કલાકના ઈન્ટરવ્યુ દરમિયાન પુતિનને અનેક પ્રશ્નો પૂછ્યા હતા. જેમાંથી એક સવાલ હતો કે, શું રશિયા પોલેન્ડ અને લાતવિયા પર પણ અટેક કરવાનો પ્લાન બનાવી રહ્યાં છે? મહત્વનું છેકે, પોલેન્ડ અને લાતવિયા પણ નાટોના સભ્ય દેશો છે. આ સવાલના જવાબ પર રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે, મને પોલેન્ડ અને લાતવિયામાં કોઈ રસ નથી. માત્ર આ બે દેશો જ નહીં, અન્ય કોઈ દેશમાં અમને કોઈ રસ નથી. શા માટે આપણે હુમલો કરીશું? યુદ્વ એક સ્થિતિમાં જ થઇ શકે છે.  જો પોલેન્ડ હુમલો કરશે તો રશિયાએ જવાબ આપવો પડશે. કાર્લસને એક વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટર ઇવાન ગેર્શકોવિચ વિશે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા અને પૂછ્યું હતું કે શું તેને મુક્ત કરી શકાય છે? મહત્વનું છેકે, ઇવાન ગેર્શકોવિચ પત્રકારની જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે, જાસૂસીની બાબતને વોલ સ્ટ્રીટ જર્નલે પણ નકારી કાઢી હતી.જેના પર પુતિને કહ્યું કે, આ મામલાને ઉકેલવામાં કોઈ સમસ્યા નથી. અમે આનો ઉકેલ ઈચ્છીએ છીએ અને ખાસ ચેનલ દ્વારા વાતચીત પણ ચાલી રહી છે. ટૂંક સમયમાં ઉકેલ શોધવો જોઈએ. પુતિને કહ્યું કે, અત્યાર સુધી એવુ સાંભળવવામાં આવ્યુ હતુ કે, રશિયાને હરાવવા માટે ઘણા દેશો સાથે મળીને રણનીતિ તૈયાર કરી રહ્યા છે. હવે તેઓને પણ વાસ્તવિકતા ખબર પડી ગઈ છે. ટ્રમ્પના શાસન દરમિયાન પણ અમેરિકા યુક્રેનને ઘણી મદદ કરતું હતું. પુતિને કહ્યું, અમેરિકા વારંવાર કહે છે કે યુદ્ધ બંધ થવું જોઈએ. પરંતુ ખરેખર જો તે યુદ્ધ બંધ કરવા ઈચ્છે છે, તો તેણે પહેલાં તો યુક્રેનને હથિયારો સપ્લાય કરવાનું બંધ કરી દેવુ જોઈએ. અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે વાત કરતા પુતિને કહ્યું, એવું લાગે છે કે, ત્યાં પરિવર્તન થવાનું છે. ટ્રમ્પ અંગે તેમણે કહ્યું કે જો તેઓ રાષ્ટ્રપતિ બને છે તો તેમનામાં 24 કલાકમાં યુદ્ધનો ઉકેલ લાવવાની ક્ષમતા છે.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here