Friday, June 5, 2026
HomeEducationધોરણ 6થી 8ના ઓફલાઈન વર્ગો દોઢ વર્ષ બાદ શરૂ થયાં, વિદ્યાર્થીઓએ કહ્યું...

ધોરણ 6થી 8ના ઓફલાઈન વર્ગો દોઢ વર્ષ બાદ શરૂ થયાં, વિદ્યાર્થીઓએ કહ્યું આજે આઝાદી મળી હોય એમ લાગ્યું

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

અમદાવાદ: કોરોના મહામારીની શિક્ષણ પર સૌથી મોટી અસર પડી છે. પહેલી લહેર ઓછી થતાં સ્કૂલો શરૂ કરાઈ હતી. પરંતુ થોડા સમયમાંજ ઘાતક નીવડેલી બીજી લહેર શરૂ થતાં સ્કૂલો ફરી વાર બંધ કરી દેવામાં આવી હતી. સૌથી પહેલાં સરકારે ધોરણ 12 અને 9થી11ની સ્કૂલો શરૂ કરી હતી. હવે આજથી ધોરણ 6થી8ની સ્કૂલો શરૂ કરવામાં આવી છે.ઓફલાઈન વર્ગ શરૂ થતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.રાજ્યભરમાં આજથી સ્કૂલોમાં 6 થી 8ના વર્ગ શરૂ કરવામાં આવ્યા છે. બાળકો મરજિયાત રીતે વર્ગમાં આવી શકશે. સ્કૂલે આવવા વાલીની સંમતિ પત્ર પણ ફરજીયાત રાખવામાં આવ્યું છે.જે બાળકો ઓફલાઈન ભણવા ના ઈચ્છતા હોય તેમના માટે ઓનલાઇન શિક્ષણ ચાલુ જ રાખવામાં આવશે. રાણિપની નિશાન સ્કૂલ દોઢ વર્ષ બાદ શરૂ થતી હોવાથી અનેક વિદ્યાર્થીઓ સ્કૂલે આવ્યા છે. સ્કૂલમાં પણ શિક્ષક અને આચાર્યએ વિદ્યાર્થીઓનું ઉત્સાહ પૂર્વક સ્વાગત કર્યું છે. નિયમોનું પાલન કરવા માટે સૂચના આપી છે. સ્કૂલના ગેટ પરથી લઈને વર્ગ ખંડ સુધી વિદ્યાર્થીઓ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.આ અંગે સ્કૂલના આચાર્ય વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારના નિયમોના પાલન સાથે આજથી સ્કૂલો ફરીથી શરૂ કરવામાં આવી છે. વર્ગ ખંડ સુધી વિદ્યાર્થીઓ ભેગા ના થાય તે માટે શિક્ષકોને સૂચના આપવામાં આવી છે.વાલીઓને અગાઉથી જ પોતાના બાળકને નાસ્તા અને પાણીની બોટલ સાથે મોકલવા જણાવવામાં આવ્યું હતું. જેથી એક બીજાના પાણીનો ઉપયોગ વિદ્યાર્થીઓ ના કરે. રીસેષ દરમિયાન પણ ભેગા ના થવું અને સ્કૂલ છૂટે ત્યારે પણ ભેગા ના થાય તેની તકેદારી રાખવામાં આવશે. આજે 50 ટકા સંખ્યા બોલાવી તેમાંથી 40 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા છે.ક્રિના પટેલ નામની વિદ્યાર્થીને જણાવ્યું હતું કે સ્કૂલમાં ખૂબ સારો માહોલ જોવા મળ્યો છે. ઓનલાઇન કરતા ઓફલાઈન ભણવું સારું લાગે છે. મિત્રો પણ રૂબરૂ મળતા સાથે ભણવાની મજા આવે છે. સ્કૂલે અગાઉથી જ નિયમો મોકલ્યા જ્યાં તે પ્રમાણે નિયમોનું પાલન કરી રહ્યા છે. જૈમિન પટેલ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતુંકે આજે દોઢ વર્ષ પછી સ્કૂલે આવ્યા ત્યારે અમને લાગ્યું આજે અમને આઝાદી મળી. મિત્રો સાથે લાંબા સમય બાદ મળવાનું થતાં મજા આવી છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here