Monday, September 14, 2026
HomeGujaratMonsoon સીઝન-2 : 24 કલાક દરમિયાન 228 તાલુકામાં વરસાદ, 12 ઈંચ...

Monsoon સીઝન-2 : 24 કલાક દરમિયાન 228 તાલુકામાં વરસાદ, 12 ઈંચ વરસાદથી વલસાડ પાણી પાણી

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

ગાંધીનગર :ગુજરાતમાં આખરે મેઘ મહેર થઈ છે. લાંબા સમયથી વરસાદની રાહ જોવાતી હતી, જેથી આખરે હાશકારો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે. 24 કલાક દરમિયાન 228 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં 12 ઇંચ ખાબક્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 14 તાલુકામાં 3 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. તો રાજ્યના 31 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 76 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. તો બુધવારે સવારથી પણ ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. આજે 6:00 થી 8:00 સુધી માં 83 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળિયામાં 2.5 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. તો ગીર સોમનાથના ગીરગઢડામાં 2 ઇંચ જેટલો વરસાદ (heavy rain) નોંધાયો છે. આજે સવારથી આઠ વાગ્યા સુધીમાં 14 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં 12 ઈંચ વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી છે. વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ છે. ત્યારે ઉમરગામના કલગામ હનુમાનજી મંદિરના પટાંગણમાં વરસાદી પાણી ભરાયા છે. જેને લઈ સ્થાનિક લોકોમાં વરસાદ આવવાથી ઉત્સાહનો માહોલ છે. સ્થાનિક યુવકોએ સારે વરસાદ પડતાં હરે કૃષ્ણની ધૂન બોલાવી પાણીમાં કૂદી પડ્યા હતા. યુવકો મન મૂકીને ઝૂમ્યા હતા અને બીજી તરફ મંદિરમાં ધૂન વાગતી હતી. જોકે કલગામનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.વલસાડ જિલ્લામાં બુધવારે બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત છે. ઉપરવાસમાં વરસાદને લઈ નદીઓમાં પાણીનું વહેણ વધ્યું છે. જેને લઈ કપરાડાના ફતેપુર અને પીપરોણી ગામની વચ્ચે આવેલ કોઝવે પુલ ઉપર ભારે વરસાદના કારણે પાણી ફરી વળ્યું છે. જેના કારણે મોટાભાગના લોકોનો સંપર્ક પણ તૂટ્યો છે. આવામાં સેલવાસ ખાતે કંપનીમાં કામ અર્થે જતા આવતા મજૂરો પણ આ પાણીમાં ફસાયા હતા. જેઓ માંડ માંડ બહાર નીકળી શક્યા હતા. તો બીજી તરફ વરસાદ ધોધમાર વરસી રહેતા લોકોની અવરજવર પણ બંધ થઈ છે. જ્યારે વાતાવરણમાં ભારે પલ્ટો આવી જતા મોસમ ઠંડુગાર બની ગયું છે.ઉલ્લેખનીય છે કે, આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાને એલર્ટ અપાયુ છે. વલસાડ, નવસારી અને ડાંગ હાઇ એલર્ટ પર છે. તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના અપડેટ અનુસાર, પોરબંદર અને દ્વારકામા આગામી બે દિવસમાં વરસાદની સંભાવના છે. NDRF ની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. દક્ષિણ ગુજરાત માટે વધુ એક ટીમ વડોદરાથી મોકલાશે. 

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here