Sunday, September 6, 2026
HomeIndiaકોરોનાકાળ પછી વધી અન્ય બીમારીઓ, દર વર્ષે મફતમાં થવું જોઈએ હેલ્થ ચેકઅપ:...

કોરોનાકાળ પછી વધી અન્ય બીમારીઓ, દર વર્ષે મફતમાં થવું જોઈએ હેલ્થ ચેકઅપ: AAP સાંસદની માંગ

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ સંસદમાં જનહિતની માંગણી ઉઠાવી છે. તેમણે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે દરેક ભારતીય નાગરિકને વાર્ષિક આરોગ્ય તપાસનો કાનૂની અધિકાર આપવામાં આવે. આ અંગે રાઘવ ચઢ્ઢાએ કહ્યું છે કે કોવિડ-19 પછી હાર્ટ ફેઈલ અને અન્ય રોગોના કેસમાં ભારે વધારો થયો છે, આવી સ્થિતિમાં સમયસર તપાસ કરીને ઘણા લોકોના જીવ બચાવી શકાય છે.રાઘવ ચઢ્ઢાએ ‘જો તપાસ થાય છે, તો જીવન છે’નો નારો આપતા કહ્યું કે, ‘જો શરૂઆતના તબક્કામાં રોગ શોધી કાઢવામાં આવે, તો સારવાર સરળ બને છે અને જીવન બચાવી શકાય છે. ઘણા દેશોમાં, સરકાર નાગરિકોના વાર્ષિક આરોગ્ય તપાસનો ખર્ચ ઉઠાવે છે અને તેને ફરજિયાત બનાવે છે. તો પછી ભારતમાં કેમ નહીં?’કોવિડ પછી હૃદય રોગ, શ્વસન સમસ્યાઓ અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ભારે વધારો થયો છે. નિષ્ણાતોના મતે, કોવિડ બાદ હવે જાહેર આરોગ્ય એક ગંભીર પડકાર બની ગયું છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ માટે વાર્ષિક તપાસ ફરજિયાત અને મફત બનાવવી એ સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ.રાઘવ ચઢ્ડાએ આરોગ્ય સેવાઓ વિષે વાત કરતા કહ્યું કે, ‘આરોગ્ય સેવાઓ ધનિકોનો વિશેષાધિકાર ન હોઈ શકે. તે દરેક નાગરિકનો અધિકાર હોવો જોઈએ, પછી ભલે તે કોઈ પણ વર્ગ, જાતિ કે રાજ્યનો હોય. જે વ્યવસ્થા ફક્ત ધનિકોને જ સારી હોસ્પિટલો અને પરીક્ષણ સુવિધાઓ પૂરી પાડે છે તે લોકશાહી નથી, પરંતુ અન્યાયી છે.’રાઘવ ચઢ્ડાએ આ મુદ્દો એવા સમયે ઉઠાવ્યો છે કે જયારે ઘણા યુવાન અને સ્વસ્થ દેખાતા લોકો તાજેતરમાં અચાનક હાર્ટ એટેક, સ્ટ્રોક અને અન્ય ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે. દર વર્ષે 70%થી વધુ મૃત્યુ હૃદય રોગ, કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને ફેફસાના રોગ વગેરે જેવા બિન-ચેપી રોગોને કારણે થાય છે. જો આ રોગોની નિયમિત તપાસ કરવામાં આવે તો દેશની સ્વાસ્થ્ય સમસ્યાઓને મોટા પ્રમાણમાં અટકાવી શકાય છે.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here