Thursday, June 25, 2026
HomeIndiaકોરોનાકાળ પછી વધી અન્ય બીમારીઓ, દર વર્ષે મફતમાં થવું જોઈએ હેલ્થ ચેકઅપ:...

કોરોનાકાળ પછી વધી અન્ય બીમારીઓ, દર વર્ષે મફતમાં થવું જોઈએ હેલ્થ ચેકઅપ: AAP સાંસદની માંગ

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ સંસદમાં જનહિતની માંગણી ઉઠાવી છે. તેમણે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે દરેક ભારતીય નાગરિકને વાર્ષિક આરોગ્ય તપાસનો કાનૂની અધિકાર આપવામાં આવે. આ અંગે રાઘવ ચઢ્ઢાએ કહ્યું છે કે કોવિડ-19 પછી હાર્ટ ફેઈલ અને અન્ય રોગોના કેસમાં ભારે વધારો થયો છે, આવી સ્થિતિમાં સમયસર તપાસ કરીને ઘણા લોકોના જીવ બચાવી શકાય છે.રાઘવ ચઢ્ઢાએ ‘જો તપાસ થાય છે, તો જીવન છે’નો નારો આપતા કહ્યું કે, ‘જો શરૂઆતના તબક્કામાં રોગ શોધી કાઢવામાં આવે, તો સારવાર સરળ બને છે અને જીવન બચાવી શકાય છે. ઘણા દેશોમાં, સરકાર નાગરિકોના વાર્ષિક આરોગ્ય તપાસનો ખર્ચ ઉઠાવે છે અને તેને ફરજિયાત બનાવે છે. તો પછી ભારતમાં કેમ નહીં?’કોવિડ પછી હૃદય રોગ, શ્વસન સમસ્યાઓ અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ભારે વધારો થયો છે. નિષ્ણાતોના મતે, કોવિડ બાદ હવે જાહેર આરોગ્ય એક ગંભીર પડકાર બની ગયું છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ માટે વાર્ષિક તપાસ ફરજિયાત અને મફત બનાવવી એ સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ.રાઘવ ચઢ્ડાએ આરોગ્ય સેવાઓ વિષે વાત કરતા કહ્યું કે, ‘આરોગ્ય સેવાઓ ધનિકોનો વિશેષાધિકાર ન હોઈ શકે. તે દરેક નાગરિકનો અધિકાર હોવો જોઈએ, પછી ભલે તે કોઈ પણ વર્ગ, જાતિ કે રાજ્યનો હોય. જે વ્યવસ્થા ફક્ત ધનિકોને જ સારી હોસ્પિટલો અને પરીક્ષણ સુવિધાઓ પૂરી પાડે છે તે લોકશાહી નથી, પરંતુ અન્યાયી છે.’રાઘવ ચઢ્ડાએ આ મુદ્દો એવા સમયે ઉઠાવ્યો છે કે જયારે ઘણા યુવાન અને સ્વસ્થ દેખાતા લોકો તાજેતરમાં અચાનક હાર્ટ એટેક, સ્ટ્રોક અને અન્ય ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે. દર વર્ષે 70%થી વધુ મૃત્યુ હૃદય રોગ, કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને ફેફસાના રોગ વગેરે જેવા બિન-ચેપી રોગોને કારણે થાય છે. જો આ રોગોની નિયમિત તપાસ કરવામાં આવે તો દેશની સ્વાસ્થ્ય સમસ્યાઓને મોટા પ્રમાણમાં અટકાવી શકાય છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here