Friday, August 7, 2026
Homenationalમુખ્યમંત્રીઓ સાથે PM નરેન્દ્ર મોદી આજે કરશે બેઠક

મુખ્યમંત્રીઓ સાથે PM નરેન્દ્ર મોદી આજે કરશે બેઠક

Date:

Related stories

2027માં થિયેટરમાં આવશે YRFની પ્રથમ હોરર ફિલ્મ, વરુણ ધવન...

YRFની પ્રથમ હોરર ફિલ્મમાં વરુણ ધવન લીડ તરીકે જોડાયાપ્રથમ...

સેમસંગ ભારતની એઆઈ પ્રતિભા પાઇપલાઇનના નિર્માણમાં મદદ કરવા સેમસંગ...

7 ઓગસ્ટ, 2026: સેમસંગ ઇન્ડિયા એ સેમસંગ ઇનોવેશન કેમ્પસ...

ઝી સ્ટુડિયોઝનું ગુજરાતી સિનેમામાં ભવ્ય આગમન: સિદ્ધાર્થ રાંદેરિયાની ‘ટોમ...

અમદાવાદ: ભારતીય મનોરંજન જગતમાં પ્રાદેશિક ભાષાની ફિલ્મો સતત નવી...

જીવનયાત્રામાં બાધક બનતી વૃત્તિનું નામ કબંધ છે! અને હરિ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીઓ સાથે વધતા કોવિડ-19 સંક્રમણના ખતરા અને કોરોના વેક્સીન પર વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ચર્ચા કરશે. વડાપ્રધાન 17 માર્ચે બપોરે 12:30 વાગ્યે મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક કરશે. નોંધનીય છે કે, દેશમાં કોરોના વાયરસના મામલામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. એવામાં PM મોદીની મુખ્યમંત્રીઓ સાથે યોજાનારી બેઠક ખૂબ મહત્ત્વની માનવામાં આવી રહી છે. કોરોના સંકટ ઉપરાંત વડાપ્રધાન દેશમાં કોરોના રસીકરણ અભિયાન શરૂ થયા બાદ પહેલીવાર મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરવા જઈ રહ્યા છે. એવામાં વડાપ્રધાન મોદી રાજ્યોની રસીકરણની પ્રગતિ અને તેમાં આવનારી તકલીફોની પણ સમીક્ષા કરશે.સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, દેશમાં મંગળવાર સાંજે સાત વાગ્યા સુધી 19,11,913 લોકોને કોવિડ-19 વિરોધી રસી આપવામાં આવી અને તેની સાથે જ રસીના ડોઝની કુલ સંખ્યા 3.48 કરોડને પાર પહોંચી ગઈ. કુલ રસીકરણ લાભાર્થીઓમાં 75,01,590 સ્વાસ્થ્યકર્મીઓને પહેલો ડોઝ અને 45,40,776 સ્વાસ્ય્નકર્મીઓને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 24,492 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 )ના કારણે 131 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,14,09,831 થઈ ગઈ છે.આ ઉપરાંત, કોવિડ-19ની મહામારી સામે લડીને 1 કરોડ 10 લાખ 27 હજાર 543 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 20,191 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,23,432 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,58,856 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

2027માં થિયેટરમાં આવશે YRFની પ્રથમ હોરર ફિલ્મ, વરુણ ધવન...

YRFની પ્રથમ હોરર ફિલ્મમાં વરુણ ધવન લીડ તરીકે જોડાયાપ્રથમ...

સેમસંગ ભારતની એઆઈ પ્રતિભા પાઇપલાઇનના નિર્માણમાં મદદ કરવા સેમસંગ...

7 ઓગસ્ટ, 2026: સેમસંગ ઇન્ડિયા એ સેમસંગ ઇનોવેશન કેમ્પસ...

ઝી સ્ટુડિયોઝનું ગુજરાતી સિનેમામાં ભવ્ય આગમન: સિદ્ધાર્થ રાંદેરિયાની ‘ટોમ...

અમદાવાદ: ભારતીય મનોરંજન જગતમાં પ્રાદેશિક ભાષાની ફિલ્મો સતત નવી...

જીવનયાત્રામાં બાધક બનતી વૃત્તિનું નામ કબંધ છે! અને હરિ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here