વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુની મુલાકાતે છે

0
8
'70 વર્ષનાં અધૂરાં સપનાં પૂરા કરીશું', PM મોદીએ જમ્મુ-કાશ્મીરને 30,500 કરોડની ભેટ આપી
દેશમાં ત્રણ આઈઆઈએમ, ત્રણ આઈઆઈટી, 20 કેન્દ્રીય અને 13 નવોદય વિદ્યાલયો શરૂ કરાશે

 નવી દિલ્હી: તેમણે શિક્ષણ, રેલવે, ઉડ્ડયન અને માર્ગ ક્ષેત્રો સહિત રૂપિયા 30,500 કરોડના અનેક વિકાસ પરિયોજનાઓની શરૂઆત કરી છે. વડાપ્રધાન મોદીએ રૂપિયા 13,375 કરોડના મૂલ્યના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. વડાપ્રધાને ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) જમ્મુ, IIM બૌધ ગયા અને IIM વિશાખાપટ્ટનમ અને ત્રણ આઈઆઈટી અને સમગ્ર દેશમાં કેન્દ્રીય વિદ્યાલય (KV) માટે 20 નવા ભવન અને 13 નવી નવોદય વિદ્યાલય (NV) ભવનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ‘હવે અમે વિકસિત જમ્મુ-કાશ્મીર માટે પ્રતિજ્ઞા લીધી છે. મને તમારા પર વિશ્વાસ છે કે અમે જમ્મુ-કાશ્મીરને વિકસિત બનાવીશું. તમારા છેલ્લા 70 વર્ષથી અધૂરા સપના પૂરા કરીશું.’વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં નવા સરકારી કર્મચારીઓને નિમણૂક ઓર્ડર આપ્યા હતા. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘાટીમાં પ્રથમ ઈલેક્ટ્રિક ટ્રેન અને સંગલદાન અને બારામુલ્લા સ્ટેશન વચ્ચેની રેલવે સેવાને પણ લીલી ઝંડી આપી હતી. વડાપ્રધાને જમ્મુમાં ‘વિકાસ ભારત વિકાસ જમ્મુ’ કાર્યક્રમ હેઠળ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરી.