Thursday, August 13, 2026
Homenationalસુપ્રીમ કોર્ટનો મોટો આદેશ : કોઇને કોરોનાની વેકસીન લેવાં માટે બાધ્ય ન...

સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ : કોઇને કોરોનાની વેકસીન લેવાં માટે બાધ્ય ન કરી શકાય

Date:

Related stories

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

ગૌરવ વર્માની અવાનિકા ફિલ્મ્સે ‘પ્રેમ કીટાણુ’ની જાહેરાત કરી, 2...

નિર્માતા ગૌરવ વર્માના નવા બેનર અવાનિકા ફિલ્મ્સે ફર્સ ફિલ્મ્સ...

વિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ) નિમિત્તે માનવતાનો અનોખો સંદેશ:...

સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં સફળ ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ;...

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોરોના વેક્સીન પોલિસીને યોગ્ય ઠેરવી છે. પણ સાથે જ એમ પણ કહ્યું છે કે, કોઇપણ વ્યક્તિને વેક્સીન લેવા માટે બાધ્ય ન કરી શકાય. ઉચ્ચતમ ન્યાાયલયે આ વાત વેક્સીન ડેટા અને વેક્સીનને જરૂરી બનાવવાની માંગણી માટે એક અરજી પર નિર્ણય સંભળાવતા કહ્યું. સાથે જ સુપ્રીમ કોર્ટે સરકારને ક્લીનિકલ ટ્રાયલનાં ડેટા પર જાહેર કરવાનું કહ્યું છેસુપ્રીમ કોર્ટે એ વાત પર નારાજગી વ્યક્ત કરી હતી કે કેટલીક રાજ્ય સરકારો જાહેર સ્થળોએ રસીકરણ ન કરાવનારાઓને પ્રવેશ નથી આપી રહી. કોર્ટે આને અન્યાયી ગણાવ્યું હતું. તેમજ રાજ્યોને આવા નિયંત્રણો દૂર કરવા સૂચન કર્યું હતું. જો કે, કોર્ટે એમ પણ કહ્યું કે સરકાર નીતિ બનાવી શકે છે અને જનતાના ભલા માટે કેટલીક શરતો મૂકી શકે છે. સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર, વર્તમાન રસી નીતિને અન્યાયી અને સ્પષ્ટપણે મનસ્વી કહી શકાય નહીં.ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ અને બીઆર ગવઈની બેન્ચે અવલોકન કર્યું કે બંધારણની કલમ 21 હેઠળ ભૌતિક સ્વાયત્તતા અને અખંડિતતા સુરક્ષિત છે, સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે વર્તમાન કોવિડ-19 રસી નીતિ સ્પષ્ટપણે મનસ્વી અને ગેરવાજબી છે. ખંડપીઠે કહ્યું, ‘જ્યાં સુધી સંખ્યા ઓછી ન આવે ત્યાં સુધી અમે સૂચવીએ છીએ કે સંબંધિત આદેશોનું પાલન કરવું જોઈએ અને જાહેર સ્થળોએ રસીકરણ ન કરાવેલ લોકો પર કોઈ પ્રતિબંધ લાદવો જોઈએ નહીં. જો કોઈ પ્રતિબંધ પહેલેથી જ છે, તો તેને દૂર કરવો જોઈએ.સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પણ કહ્યું છે કે કોરોનાની રસી લેવાથી કેવા પ્રકારની આડઅસર થઈ રહી છે તેનો ડેટા સાર્વજનિક કરે. આ સાથે ક્લિનિકલ ટ્રાયલનો ડેટા પણ સરકારને જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બાળકોને રસી આપવાનો નિર્ણય સભાન અને આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર હોવો જોઈએ.

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

ગૌરવ વર્માની અવાનિકા ફિલ્મ્સે ‘પ્રેમ કીટાણુ’ની જાહેરાત કરી, 2...

નિર્માતા ગૌરવ વર્માના નવા બેનર અવાનિકા ફિલ્મ્સે ફર્સ ફિલ્મ્સ...

વિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ) નિમિત્તે માનવતાનો અનોખો સંદેશ:...

સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં સફળ ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ;...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here