Friday, June 5, 2026
Homenationalકાશ્મીરી લોકો સાથે અજિત દોભાલે પસાર કરેલો સમય

કાશ્મીરી લોકો સાથે અજિત દોભાલે પસાર કરેલો સમય

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

શ્રીનગર,તા.૭
કલમ ૩૭૦ની નાબૂદી બાદ જમ્મુ કાશ્મીરને મળેલા વિશેષાધિકાર ખતમ થઇ ગયા બાદ અને રાજ્યની ફેરચરના બાદ કાશ્મીરમાં કલમ ૧૪૪ અમલી કરવામાં આવેલી છે. ખીણમાં સુરક્ષા અભૂતપૂર્વ રાખવામાં આવી છે. હાલમાં માર્ગો પર સન્નાટો છે. આવી Âસ્થતિમાં કેટલાક એવા વિડિયો આવ્યા છે જે સરકારની સાથે સાથે દેશના તમામ લોકોને ખુબ રાહત આપે છે. વિડિયોમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ કાશ્મીરી લોકો સાથે શેરીઓમાં ફરતા નજરે પડી રહ્યા છે. તેમની સાથે ભોજન કરતા નજરે પડી રહ્યા છે. કાશ્મીરી લોકો પણ તેમની સાથે વિસ્તારપૂર્વક વાતચીત કરતા નજરે પડી રહ્યા છે. કેન્દ્ર સરકારના નિર્ણય બાદ એવી દહેશત હતી કે રાજ્યમાં Âસ્થતિ બગડી શકે છે. જમ્મુ-કાશ્મીર રાજ્યને બે ભાગમાં વહેંચી લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર એમ બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના બિલને સંસદના બંને ગૃહમાં મળી ગયા પછી ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજે કાશ્મીરના શોપિયાંમાં પહોંચ્યા હતા. અહીં તેમણે સ્થાનિક લોકો સાથે વાતચીત કરી અને તેમની સાથે બિરિયાની પણ ખાધી હતી. ડોભાલની તસવીર દર્શાવે છે કે જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય છે. અજીત ડોભાલે સ્થાનિક લોકો સાથે કલમ-૩૭૦ અને કલમ-૩૫એની જોગવાઈઓ દૂર કરવાથી જમ્મુ-કાશ્મીરના લોકોને શું ફાયદો થશે તે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અહીં તેઓ સુરક્ષા દળોને પણ મળ્યા હતા અને તેમની સાથે પણ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે વાતચીત કરી હતી. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ની જોગવાઈઓ દૂર કરી દીધા પછી એનએએસ ચીફ અજીત ડોભાલ અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહ બુધવારે શોપિયાં પહોંચ્યા હતા. અહીં, તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવાની સાથે-સાથે શહેરની પણ મુલાકાત લીધી હતી અને સ્થાનિક લોકોને પણ મળ્યા હતા. આ અગાઉ અજીત ડોભાલે મંગળવારે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે રાજભવનમાં મુલાકાત કરી હતી.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here