Friday, June 5, 2026
HomeBusinessદેશનો સૌથી મોટો એલઆઈસીનો આઈપીઓ માર્ચમાં ખૂલશે

દેશનો સૌથી મોટો એલઆઈસીનો આઈપીઓ માર્ચમાં ખૂલશે

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

દેશનો સૌથી મોટો એલઆઈસીનો આઈપીઓ આગામી મહિને માર્ચમાં યોજાઈ શકે છે. કેન્દ્ર સરકાર આગામી સપ્તાહે સેબી સમક્ષ આઈપીઓ માટે ડ્રાફ્ટ ફાઈલ કરશે. ઈશ્યૂનો અમુક હિસ્સો એન્કર ઈન્વેસ્ટર્સ માટે અનામત રાખશે. દિપમ (ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ)ના સચિવ તુહિન કાંતા પાંડેએ આ અંગે માહિતી આપતાં જણાવ્યુ હતું કે, ઈન્સ્યોરન્સ રેગ્યુલેટર દ્વારા ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સને મંજૂરીની રાહ જોઈ રહ્યાં છીએ. બાદમાં સેબીની મંજૂરી સાથે માર્ચમાં આઈપીઓ આવી શકે છે.

નાણા મંત્રીએ બજેટ 2022-23 સ્પીચમાં એલઆઈસીનો આઈપીઓ ટૂંકસમયમાં યોજાવાની જાહેરાત કરી હતી. સરકાર ઈન્સ્યોરન્સ સેક્ટરની ટોચની કંપનીના ડિસઈન્વેસ્ટમેન્ટ અંતર્ગત આઈપીઓ મારફત અંદાજિત રૂ. 78 હજાર કરોડનું ફંડ એકત્ર કરશે. એલઆઈસીની એમ્બેડેડ વેલ્યૂ નિર્ધારિત કરી ચૂકી છે. ડિસઈન્વેસ્ટમેન્ટ હેઠળ હાલમાં જ સરકારે એર ઈન્ડિયાના ખાનગીકરણ દ્વારા રૂ. 12 હજાર કરોડ એકત્ર કર્યા હતાં.

LICના આઈપીઓ વિશે જાણવા જેવું

  • ઈશ્યૂ સાઈઝના 10 ટકા રકમ પોલિસી હોલ્ડર્સ માટે અનામત
  • એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી 25 હજાર કરોડ એકત્ર કરવાની યોજના
  • પોલિસી હોલ્ડર્સે શેર્સ મેળવવા પાનકાર્ડ લિંક કરી રજિસ્ટ્રેશન કરાવવુ પડશે
  • સરકારે ઈશ્યૂ સાઈઝ ઘટાડી, 10 ટકાના બદલે 5 ટકા હિસ્સો વેચશે

એલઆઈસી માટે એફડીઆઈ નીતિમાં ફેરફાર કરાશે
એલઆઈસીના આઈપીઓમાં વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે ડીપીઆઈઆઈટીએ કેન્દ્રીય કેબિનેટને એફડીઆઈ નીતિમાં ફેરફાર કરવા માગ કરી છે. હાલ ઈન્સ્યોરન્સ સેક્ટર માટે 75 ટકા એફડીઆઈને મંજૂરી છે. જો કે, એલઆઈસીને તેમાંથી બાકાત રાખવામાં આવી છે. વિદેશી રોકાણ માટે તેમાં કોઈ જોગવાઈ નથી. જેથી સરકાર સમક્ષ ટૂંકસમયમાં એફડીઆઈને મંજૂરી આપવા ભલામણ કરાઈ છે. સેબીના નિયમો મુજબ, આઈપીઓ ઓફર અંતર્ગત એફપીઆઈ અને એફડીઆઈને મંજૂરી હોય છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here