Sunday, July 19, 2026
HomePoliticsભારતમાં નવેસરથી શરુ થયેલા ખેડૂત આંદોલનના પડઘા બ્રિટનની સંસદમાં પણ પડયા

ભારતમાં નવેસરથી શરુ થયેલા ખેડૂત આંદોલનના પડઘા બ્રિટનની સંસદમાં પણ પડયા

Date:

Related stories

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

લંડન: આંદોલનકારી ખેડૂતો અને સરકાર વચ્ચેની વાટાઘાટો હજી સુધી સફળ થઈ નથી. તેમાં પણ બુધવારે એક યુવકનુ ગોળી વાગવાથી મોત થયુ હોવાના કારણે આંદોલન વધારે ભડકયુ છે. જોકે આ યુવકનુ મોત પોલીસ ફાયરિંગમાં થયુ હોવાનો પોલીસે ઈનકાર કર્યો છે.હવે ભારતના ખેડૂત આંદોલનમાં બ્રિટિશ સાંસદો પણ ચંચૂપાત કરવા માંડ્યા છે. બ્રિટનમાં સિખ સાસંદ તનમનજીત સિંહ ઢેસીએ ખેડૂત આંદોલનમાં યુવકના મોતનો મુદ્દો બ્રિટનની સંસદમાં ઉઠાવ્યો હતો.તેમણે કહ્યુ હતુ કે, શીખ સમુદાય અને સ્થાનિક ગુરુદ્વારા કમિટિઓએ આંદોલનમાં ખેડૂતોની સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરીને મને પત્ર લખ્યો છે. એક આંદોલનકારીનુ પોલીસ ઘર્ષણ દરમિયાન મોત થયુ છે અને તેનુ મોત ગોળી વાગવાથી થયુ છે. પંજાબ સરકારે પણ આ વાતને સમર્થન આપ્યુ છે. શું બ્રિટિશ સરકાર ખેડૂતોના માનવાધિકારોના સમર્થનમાં છે અને બ્રિટિશ સરકારે આ બાબતે કોઈ કાર્યવાહી કરી છે?આ સવાલ પર કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પેની મોડોંટે જવાબ આપતા કહ્યુ હતુ કે, આ એક ગંભીર મામલો છે. સરકાર સુરક્ષા સાથે પ્રદર્શનના અધિકારનુ સમર્થન કરે છે. વિદેશ મંત્રાલયના મંત્રી આ બાબતે તમને બહુ જલ્દી જવાબ આપશે.ખેડૂત આંદોલનમાં યુવકના મોતને લઈને ભારતમાં બે રાજ્યો વિરોધાભાસી દાવા કરી રહ્યા છે. હરિયાણા પોલીસનુ કહેવુ છે કે, દેખાવો દરમિયાન યુવકનુ મોત નથી થયુ તો પંજાબ સરકાર કહી રહી છે કે, ખેડૂતનુ ગોળી વાગવાથી મોત થયુ છે.

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here