Friday, June 26, 2026
HomeSpecialસુખનો પાસવર્ડ: પોતાને બદલે બીજાઓ માટે જીવે એવા માણસોનું જીવન સાર્થક ગણાય....

સુખનો પાસવર્ડ: પોતાને બદલે બીજાઓ માટે જીવે એવા માણસોનું જીવન સાર્થક ગણાય….

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

મહાન વૈજ્ઞાનિક જ્યોર્જ વોશિંગ્ટન કાર્વરના જીવનની એક પ્રેરક વાત વાચકમિત્રો સાથે શેર કરવી છે.કાર્વર અમેરિકામાં આયોવા કોલેજ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં તમામ સુખસગવડો વચ્ચે ફરજ બજાવતા હતા, સંશોધન કરતા હતા. મોટાભાગના લોકોને કલ્પના પણ ન આવે એ રીતનું જીવન તેઓ વિતાવી રહ્યા હતા, પરંતુ એક દિવસ બુકર ટી.વોશિંગ્ટને તેમને એક પત્ર લખ્યો કે ‘અલબામામાં સામાજિક રીતે પછાત એવાં થોડાં બાળકોને કેળવણી આપતી એક સંસ્થા છે, ટસ્કેજી ઈન્સ્ટિટયૂટ. એ સંસ્થામાં તમારા જેવા મોટા ગજાના માણસની જરૂર છે. તમારા જેવી વ્યક્તિ માર્ગદર્શન આપે તો એ બાળકોનું જીવન બદલાઈ શકે.’કાર્વરે તરત જ એ વિનંતી સ્વીકારી લીધી.તેમના મિત્રોને એ વિશે ખબર પડી એટલે તેમણે કહ્યું કે ‘તમે આયોવા કોલેજ જેવી પ્રતિષ્ઠિત સંસ્થા  છોડીને અલબામા જેવા વિસ્તારમાં બાળકોને ભણાવવા માટે જતા રહેશો?’કાર્વરે કહ્યું, ‘હા. મેં ત્યાં જવાનો નિશ્ર્ચય કરી લીધો છે.તેમના મિત્રોએ તેમને રોકવાની કોશિશ કરી તેમને સમજાવ્યા કે ‘ભલા માણસ આવી બેવકૂફી ન કરતા. અહીં આવી અદ્યતન લેબોરેટરી છે, વિકાસની આટલી તકો છે એ છોડીને ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં જઈને તમે શું કરશો? ત્યાં તમને કઈ રીતે ફાવશે?’પરંતુ જ્યોર્જ વોશિંગ્ટન કાર્વર મક્કમ રહ્યા. તેમણે કહ્યું, ‘હું ત્યાં જઈશ. અહીં મારી જરૂર છે એના કરતાં એ બાળકોને મારી વધારે જરૂર છે એટલે હું ત્યાં જઈશ.’અને તેઓ એ તમામ સુખસગવડો છોડીને આયોવાથી અલબામા જતા રહ્યા અને પછી એ નાનકડી સંસ્થા ટસ્કેજી ઈન્સ્ટિટયૂટમાં રહીને તેમણે ત્યાં સંશોધન ચાલુ રાખ્યું. તેમણે તેમના જીવન દરમિયાન અનેક ઉત્તમ સંશોધનો ટસ્કેજી ઈન્સ્ટિટ્યૂટમાં કર્યા.ક્યારેક કોઈ સામાન્ય વ્યક્તિ પણ સાધુ જેવું જીવન જીવી શકતી હોય છે. જ્યોર્જ વોશિંગ્ટન કાર્વર જેવા માણસો સંત સમાન ગણાય. પોતાને બદલે બીજાઓ માટે જીવે એવા માણસોનું જીવન સાર્થક ગણાય. પોતાના માટે તો મોટા ભાગના લોકો જીવતા હોય છે, પણ જ્યોર્જ વોશિંગ્ટન કાર્વર જેવા માણસો બહુ ઓછા હોય છે. આવા માણસોને રોલ મોડેલ ગણવા જોઈએ.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here