Friday, June 5, 2026
HomeSpecialસુખનો પાસવર્ડ: પોતાને બદલે બીજાઓ માટે જીવે એવા માણસોનું જીવન સાર્થક ગણાય....

સુખનો પાસવર્ડ: પોતાને બદલે બીજાઓ માટે જીવે એવા માણસોનું જીવન સાર્થક ગણાય….

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

મહાન વૈજ્ઞાનિક જ્યોર્જ વોશિંગ્ટન કાર્વરના જીવનની એક પ્રેરક વાત વાચકમિત્રો સાથે શેર કરવી છે.કાર્વર અમેરિકામાં આયોવા કોલેજ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં તમામ સુખસગવડો વચ્ચે ફરજ બજાવતા હતા, સંશોધન કરતા હતા. મોટાભાગના લોકોને કલ્પના પણ ન આવે એ રીતનું જીવન તેઓ વિતાવી રહ્યા હતા, પરંતુ એક દિવસ બુકર ટી.વોશિંગ્ટને તેમને એક પત્ર લખ્યો કે ‘અલબામામાં સામાજિક રીતે પછાત એવાં થોડાં બાળકોને કેળવણી આપતી એક સંસ્થા છે, ટસ્કેજી ઈન્સ્ટિટયૂટ. એ સંસ્થામાં તમારા જેવા મોટા ગજાના માણસની જરૂર છે. તમારા જેવી વ્યક્તિ માર્ગદર્શન આપે તો એ બાળકોનું જીવન બદલાઈ શકે.’કાર્વરે તરત જ એ વિનંતી સ્વીકારી લીધી.તેમના મિત્રોને એ વિશે ખબર પડી એટલે તેમણે કહ્યું કે ‘તમે આયોવા કોલેજ જેવી પ્રતિષ્ઠિત સંસ્થા  છોડીને અલબામા જેવા વિસ્તારમાં બાળકોને ભણાવવા માટે જતા રહેશો?’કાર્વરે કહ્યું, ‘હા. મેં ત્યાં જવાનો નિશ્ર્ચય કરી લીધો છે.તેમના મિત્રોએ તેમને રોકવાની કોશિશ કરી તેમને સમજાવ્યા કે ‘ભલા માણસ આવી બેવકૂફી ન કરતા. અહીં આવી અદ્યતન લેબોરેટરી છે, વિકાસની આટલી તકો છે એ છોડીને ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં જઈને તમે શું કરશો? ત્યાં તમને કઈ રીતે ફાવશે?’પરંતુ જ્યોર્જ વોશિંગ્ટન કાર્વર મક્કમ રહ્યા. તેમણે કહ્યું, ‘હું ત્યાં જઈશ. અહીં મારી જરૂર છે એના કરતાં એ બાળકોને મારી વધારે જરૂર છે એટલે હું ત્યાં જઈશ.’અને તેઓ એ તમામ સુખસગવડો છોડીને આયોવાથી અલબામા જતા રહ્યા અને પછી એ નાનકડી સંસ્થા ટસ્કેજી ઈન્સ્ટિટયૂટમાં રહીને તેમણે ત્યાં સંશોધન ચાલુ રાખ્યું. તેમણે તેમના જીવન દરમિયાન અનેક ઉત્તમ સંશોધનો ટસ્કેજી ઈન્સ્ટિટ્યૂટમાં કર્યા.ક્યારેક કોઈ સામાન્ય વ્યક્તિ પણ સાધુ જેવું જીવન જીવી શકતી હોય છે. જ્યોર્જ વોશિંગ્ટન કાર્વર જેવા માણસો સંત સમાન ગણાય. પોતાને બદલે બીજાઓ માટે જીવે એવા માણસોનું જીવન સાર્થક ગણાય. પોતાના માટે તો મોટા ભાગના લોકો જીવતા હોય છે, પણ જ્યોર્જ વોશિંગ્ટન કાર્વર જેવા માણસો બહુ ઓછા હોય છે. આવા માણસોને રોલ મોડેલ ગણવા જોઈએ.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here